કેમ નાગા બાવાઓ કપડાં નથી પહેરતા?
તમે અનેકવાર નાગા બાવાઓને કુંભના મેળામાં સ્થાન કરતા જોયા હશે. અને તે પણ જોયું હશે કે તે એક પણ કપડાં નથી પહેરતા. જે જોઇને મનમાં હંમેશા તે સવાલ ઊભો થાય જ છે કે તેઓ કેમ કપડાં નથી પહેરતા?
નાગાનો અર્થ જ થાય છે કપડાં વગરનો કે પછી તે વ્યક્તિ જેને કોઇની પણ પડી નથી હોતી. અને આ માટે જ તેમને નાગા બાવા કહેવાય છે કારણ કે તેમને કપડાં જેવી બાહ્ય મોહમાયાની બિલકુલ પડી નથી હોતી.
અને તે માટે જ તેમણે કપડાં છોડીને ભભૂતને ધારણ કરી હોય છે. વધુમાં આ બાબાઓ કઠોર સાધનાઓ કરતા હોય છે. ત્યારે નાગા સાધુઓ વિષે કેટલીક વધુ રોચક વાતો જાણો આ ફોટોસ્લાઇડરમાં...

પરિવાર
નાગા સાધુઓમાં માટે તેમનો સમુદાય જ તેમનો પરિવાર હોય છે. અને તે અન્ય કોઇ પણ વ્યક્તિની સાંસારિક સંબંધ નથી રાખતા.

ક્યાં રહે છે
આ સાધુઓ ઝૂંપડું બનાવીને સાધુનું જીવન વ્યતિત કરે છે. પણ તે લાંબા સમય સુધી કોઇ પણ જ્યારે નથી રહેતા.

ભોજન
તે દિક્ષામાં મળેલા તમામ પ્રકારના ભોજનનું ગ્રહણ કરે છે.

કપડા
નાગા સાધુઓનું માનવું છે કે કપડાં શરીરને ઢાંકે છે. તેની સુરક્ષા કરે છે. પણ નાગા બાવાઓના મતે શરીર નાસપ્રાય છે આત્મા અમર છે. માટે શરીરની ચિંતા કરવામાં તે નથી માનતા.

સાધના
નાગા સાધુઓને તેમના જીવનમાં અનેક સાધનાઓમાંથી પસાર થવું પડતું હોય છે. અને તે લાંબા સમય સુધી ધ્યાનમાં લીન રહે છે.

ઇતિહાસ
સૌથી પહેલા વેદ વ્યાસે સંગઠિતરૂપથી વનવાસી સંન્યાસી પરંપરા શરૂ કરી હતી. જે બાદ શુકદેવે ઋુષિ અને સંતોની પરંપરા શરૂ કરી હતી.

શંકરાચાર્ય
જે બાદ શંકરાચાર્યએ ચાર મઠ સ્થાપિત કરી દસનામી સંપ્રદાયનું ગઠન કર્યું. તે પછી અખાડા પરંપરા પણ શરૂ થઇ. ઇ.સ 547માં પહેલો અખોડા બન્યો જેનું નામ અખંડ આહ્વાન અખાડા હતું.

દિક્ષા
નાગા સાધુઓને સૌથી પહેલા બ્રહ્મચારી બનવાની શિક્ષા અપાય છે. જેમાં પાસ થયા બાદ તેમની મહાપુરુષ દિક્ષા થાય છે. તે બાદ તે પોતાનું યજ્ઞોપવીત અને પિંડદાન કરે છે જેને બિજવાન કહેવાય છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી








Click it and Unblock the Notifications
