જાણો ભારતમાં લોકો વૃક્ષોની પૂજા શા માટે કરે છે?
[ધર્મ] વૃક્ષોની પૂજા કરવાની પરંપરા પૌરાણિક કથાઓ પર આધારિત છે, અને કેટલીક ધાર્મિક માન્યતાઓના કારણે આવું કરે છે. આ ઉપરાંત જે લોકો એવું નથી કરતા તેઓ પણ વૃક્ષોના અનેક ગુણો અને ફાયદાઓના કારણે તેમની પ્રશંસા કરે છે, વૃક્ષો આપણને ફળ, ફૂલ અને તાજી હવા એટલે કે ઓક્સિઝન અને છાયડો આપે છે.
હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર લોકો અલગ-અલગ કારણોથી વૃક્ષોની પૂજા કરે છે. આ તમામ કારણો આધ્યાત્મિક ભાવનાથી કરવામાં આવેલ રીતિ રિવાજો સાથે જોડાયેલ છે. હિન્દુ માન્યતાઓ અનુસાર વડ અને પીપળાના વૃક્ષની વધારે પૂજા કરવામાં આવે છે.
અમે અમારા આ લેખમાં આજે આપને જણાવી રહ્યા છીએ એવા ઘણા કારણો જેનાથી ભારતીય લોકો વૃક્ષોની પૂજા કરે છે.

ભગવાન વિષ્ણુની પૂજા
બ્રહ્મ પુરાણ અને પદ્મ પુરાણ અનુસાર જ્યારે રાક્ષસોએ ભગવાન વિષ્ણુ પર આક્રમણ કરી દીધું હતું, તો તેઓ પીપળના વૃક્ષ પર છૂપાઈ ગયા હતા. એટલા માટે લોકોની માન્યતા છે કે પીપળાના વૃક્ષની પૂજા કરવી એ ભગવાન વિષ્ણુની પૂજા કરવી બરાબર છે.

ત્રિમૂર્તિ અવધારણા
કેટલાક લોકો માને છે કે પવિત્ર વૃક્ષ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું મિશ્રિત રૂપ છે. એટલા માટે તેમનું માનવું છે કે જ્યારે તેઓ વૃક્ષોની પૂજા કરે છે, ત્યારે તેમને આ ત્રણેય દેવોનો આશિર્વાદ મળે છે.

ત્રણેય લોકની અવધારણા
વૃક્ષની બનાવટ અનુસાર તેનો સંબંધ સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ ત્રણેય લોકોથી છે. લોકોની માન્યતા છે કે વૃક્ષોને ચઢાવવામાં આવેલી વસ્તુ આ ત્રણેય લોકોમાં પહોંચે છે.

પંચવૃક્ષ
ભગવાન ઇન્દ્રના બગીચામાં જે પાંચ વૃક્ષો હતા જેમાં મંદારા (ઇરેથ્રીનાસ્ટ્રીક્ટા), પરિજતા (નાઇક્ટેન્થેસ અબરોર ત્રિસ્ટિસ), સમતાનકા, હરિચન્દન (સંતાલુમ અલ્બુમ) અને કલ્પવૃક્ષ અથવા કલ્પતરૂ. જ્યારે વૃક્ષોની પૂજાની વાત આવે છે તો આ પૌરાણિક સંદર્ભનું ઉદાહરણ પણ આપવામાં આવે છે.

સંતોનો સંબંધ
પૂજા કરતા કેટલાંક વૃક્ષોનો સંબંધ મહાન સંતો સાથે હોવાના કારણે તેને પવિત્ર માનવામાં આવે છે. વડને પવિત્ર માનવામાં આવે છે માર્કન્ડેયએ ખુદને આ વૃક્ષની શાખાઓમાં છૂપાવ્યા હતા, સાલનું વૃક્ષ એટલા માટે પવિત્ર છે કારણ કે તેનો સંબંધ ભગવાન બુદ્ધના જન્મ અને મૃત્યું સાથે જોડાયેલ છે.

લાંબા વૈવાહિક જીવન માટે
ભારતના ઘણા ભાગોમાં કેટલીક યુવતીઓની યુવાવસ્થામાં પ્રતીકાત્મક રીતે પીપળાના વૃક્ષ સાથે લગ્ન કરવામા આવે છે, જેથી તેમનો વૈવાહિક જીવન લાંબુ ચાલે. આના માટે એક દોરાને વૃક્ષ સાથે બાંધવામાં આવે છે અને 108 વાર તેની પરિક્રમા કરવામાં આવે છે, વૃક્ષ પર ચંદનનો લેપ લગાવવામાં આવે છે અને માટીનો લેપ પણ લગાવવામાં આવે છે.

ભગવાનને ચઢાવો
કેટલાંક વૃક્ષોને પવિત્ર એટલા માટે માનવામાં આવે છે કારણ કે આપણે તે વિશેષ વૃક્ષોની પત્તિઓ, ફૂલ અને ફળ ભગવાનને ચઢાવીએ છીએ આ ઉપરાંત કેટલાંક એવા પણ વૃક્ષો છે જેનો પૂજામાં ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
