દેશભરમાં 500 કરતાં વધુ પતંજલિ પરિધાન શોરૂમ ખોલશે: રામદેવ
પતંજલિ આયુર્વેદ આ વર્ષે દેશભરમાં 500 થી વધુ પતંજલિ પરિધાન શોરૂમ (Patanjali Apparel Showroom) ખોલશે. આ કેન્દ્રોમાં, તેઓ વાંસના કપડાં સાથે ખાદીના બધા વિકલ્પો ઉપલબ્ધ કરશે.
પતંજલિ આયુર્વેદ આ વર્ષે દેશભરમાં 500 થી વધુ પતંજલિ પરિધાન શોરૂમ (Patanjali Apparel Showroom) ખોલશે. આ કેન્દ્રોમાં, તેઓ વાંસના કપડાં સાથે ખાદીના બધા વિકલ્પો ઉપલબ્ધ કરશે. જણાવી દઈએ કે યોગ ગુરુ બાબા રામદેવએ આ માહિતી આપી છે.
એ વાતથી અવગત કરાવી દઈએ કે પતંજલિ પરિધાનએ રાજસ્થાનના ચિત્રકૂટ વિસ્તારમાં તેના પ્રથમ કપડાના શોરૂમનું ઉદઘાટન કર્યું છે. આ પ્રસંગે, બાબા રામદેવે જણાવ્યું હતું કે શૉરૂમમાં પુરુષો માટે સંસ્કાર, મહિલાઓ માટે આસ્થા અને સ્પોર્ટ્સ વિયરમાટે લિવ ફિટના નામથી 5000 થી વધુ વિવિધ પ્રકારના કપડાં મળી રહ્યા છે.તેમણે એમ પણ કહ્યું કે તેમની ટીમ ટૂંક સમયમાં આ રેન્જમાં વધારો કરશે.
આ પણ વાંચો: બાબા રામદેવનો નરેન્દ્ર મોદી અંગે યુ-ટર્ન, મોટી વાત કહી

પતંજલિ પરિધાનના 20 સ્ટોર્સ છે
જણાવી દઈએ કે હમણાં તેઓએ કહ્યું છે કે કંપનીએ દેશમાં 20 પરિધાન સ્ટોર્સ શરૂ કર્યા છે. એક પ્રશ્નના જવાબમાં, સ્વામી રામદેવે કહ્યું હતું કે સ્વદેશી સાથે જ પતંજલિના પરિધાનોમાં ગુણવત્તા સાથે બિલકુલ પણ સમાધાન ચલાવી લેવામાં આવશે નહીં. આ માટે, 100 થી વધુ નિષ્ણાતોની ટીમ ગુણવત્તા નિયંત્રણ કાર્ય પર ધ્યાન આપી રહી છે.

સ્ટોર ખોલવા માટે આ જરૂરી છે
જો તમે પતંજલિ ગારમેન્ટ સ્ટોર ખોલીને પૈસા કમાવવા માંગો છો, તો તમે આવા પતંજલિ ગાર્મેન્ટ્સ સ્ટોર ખોલી શકો છો. પતંજલિ તરફથી સ્ટોર ખોલવા માટેની અરજીઓ માંગવામાં આવી છે. તદનુસાર રસ ધરાવતી વ્યક્તિઓ પાસે સ્ટોર ખોલવા 2000 ચોરસફૂટ વ્યાપારી મિલકત હોવી જોઈએ. આ મિલકત અવર જવર વારા સ્થળ પર હોવી જોઈએ. જેમની પાસે તેમની મિલકત છે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે. તમે લીઝની પ્રોપર્ટી પર પણ સ્ટોર પણ ખોલી શકો છો. તમને જણાવી દઈએ કે બાબા રામદેવે આસ્થા, સંસ્કાર અને લિવફીટ બ્રાન્ડથી વસ્ત્રો તૈયાર કર્યા છે. આસ્થા હેઠળ મહિલાઓના કપડાં, સંસ્કારમાં પુરુષ અને લીવફીટમાં સ્પોર્ટ્સ અને યોગા વિયર સામેલ છે.

આ રીતે સંપર્ક કરી શકો છો
જણાવી દઈએ કે પતંજલિ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, લોકો જે પરિધાન સ્ટોર ખોલવા માંગે છે તેઓ તેમની સાથે સંપર્ક કરી શકે છે. જે લોકો સ્ટોર ખોલવા માંગે છે તેઓ ઈ-મેલ અને ફોન બંનેનો સંપર્ક કરી શકે છે. સ્ટોર વિશેની માહિતી ઈમેલ આઈડી [email protected] પર મેલ મોકલીને મેળવી શકાય છે. આ સિવાય, તમે પતંજલિ ફોન નંબરોનો સંપર્ક કરીને માહિતી મેળવી શકો છો.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો









Click it and Unblock the Notifications
