જરુરી સમાચારઃ 1 જાન્યુઆરી 2022થી ATMમાંથી કેશ કાઢવાનુ થઈ જશે મોંઘુ, જાણો કેટલો લાગશે ચાર્જ?
બેંક ગ્રાહક એટીએમમાંથી કેશ ટ્રાન્ઝેક્શન માટે પહેલા જેટલી ચૂકવણી કરી રહ્યા હતા, 1 જાન્યુઆરીથી તેનાથી વધુ ચૂકવણી કરવી પડશે.
નવી દિલ્લીઃ નવા વર્ષ 2022ની શરુઆત સાથે જ તમારા પર મોંઘવારીનો બોજ વધશે. તમારા માટે ATMની નક્કી સીમા પછી કેશ કાઢવા પર પહેલા કરતા વધુ ચાર્જ લાગશે. આરબીઆઈએ એટીએમ ટ્રાન્ઝેક્શ ચાર્જ વધારવાની બેંકોની માંગને મંજૂરી આપી દીધી છે ત્યારબાદથી 1 જાન્યુઆરીથી એટીએમમાંથી કેશ કાઢવી તમાર માટે મોંઘી થઈ જવાની છે. બેંક ગ્રાહક એટીએમમાંથી કેશ ટ્રાન્ઝેક્શન માટે પહેલા જેટલી ચૂકવણી કરી રહ્યા હતા, 1 જાન્યુઆરીથી તેનાથી વધુ ચૂકવણી કરવી પડશે.

1 જાન્યુઆરીથી આપવો પડશે વધુ ચાર્જ
1 જાન્યુઆરી, 2022થી બેંક ખાતાધારકોએ એટીએમમાંથી કેશ કાઢવા પર પહેલાથી વધુ ચાર્જ આપવો પડશે. એક જાન્યુઆરી, 2022થી ગ્રાહકોએ ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શન સીમા બાદ એટીએમમાંથી કોઈ પણ પ્રકારની લેવડ-દેવડ કરવા પર ચાર્જ લાગશે. વળી, બેલેન્સ ચેક કરો, એટીએમ પિન જનરેટ કરો, મિની સ્ટેટમેન્ટ કાઢવાની સુવિધા પહેલાની જેમ મળતી રહેશે. જૂનમાં જ આરબીઆઈએ બેંકોને 1 જાન્યુઆરી, 2022થી મફત માસિક સીમાથી વધુ ફાઈનાન્સિયલ અને નૉન ફાઈનાન્સિયલ એટીએમ લેવડ-દેવડ માટે ફી વધારવાની અનુમતિ આપી દીધી હતી.

કેટલો લાગશે ચાર્જ
આરબીઆઈની મંજૂરી મળ્યા બાદ બેંકોએ ટ્રાન્ઝેક્શન ચાર્જ વધારી દીધો છે. નવા નિયમને લઈને બેંકોએ પોતાના ગ્રાહકોને ઈમેલ, એસએમએસ મોકલીને માહિતી આપવાનુ શરુ કરી દીધુ છે. બેંકો તરફથી મળી રહેલી માહિતી અનુસાર 1 જાન્યુઆરી, 2022થી મફત લિમિટ ખતમ થયા બાદ એટીએમમાંથી ટ્રાન્ઝેક્શન કરવા પર લોકોને 21+ જીએસટીની ચૂકવણી કરવી પડશે. વર્તમાનમાં ગ્રાહકોએ એટીએમમાંથી કેશ અને નૉન-કેશ ટ્રાન્ઝેક્શન કરવા માટે મહિનમાં 5 નાણાકીય ટ્રાન્ઝેક્શન ફ્રીમાં મળે છે. ત્યારબાદ દરેક ટ્રાન્ઝેક્શન માટે 20 રૂપિયા પ્લસ જીએસટી લાગે છે.

પહેલાની જેમ મળતી રહેશે ફ્રી ટ્રાન્ઝેક્શન સુવિધા
બેંકોએ નવા વર્ષથી એટીએમ ટ્રાન્ઝેક્શન ફી વધારવાનો નિર્ણય કર્યો છે. જે ગ્રાહકોને ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ ખતમ થયા બાદ આપવાનુ છે. જો કે મફત ટ્રાન્ઝેક્શન પહેલાની જેમ ચાલુ રહેશે. એટલે કે મેટ્રો શહેરોમાં ખાતાધારકો બીજી બેંકોમાંથી એટીએમમાંથી મહિનામાં 3 ફ્રી ટ્રાન્ઝેક્શન કોઈ ફી વિના કરી શકશે. વળી, નૉન-મેટ્રો શહેરમાં બીજી બેંકના એટીએમમાંથી 5 ફ્રી ટ્રાન્ઝેકશન મળે છે. વળી, ખાતાધારકોએ પોતાના બેંક એટીએમમાંથી દર મહિને પાંચ ફ્રી લેવડ-દેવડની સુવિધા મળતી રહેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
