જરુરી સમાચારઃ 1 જાન્યુઆરી 2022થી ATMમાંથી કેશ કાઢવાનુ થઈ જશે મોંઘુ, જાણો કેટલો લાગશે ચાર્જ?
બેંક ગ્રાહક એટીએમમાંથી કેશ ટ્રાન્ઝેક્શન માટે પહેલા જેટલી ચૂકવણી કરી રહ્યા હતા, 1 જાન્યુઆરીથી તેનાથી વધુ ચૂકવણી કરવી પડશે.
નવી દિલ્લીઃ નવા વર્ષ 2022ની શરુઆત સાથે જ તમારા પર મોંઘવારીનો બોજ વધશે. તમારા માટે ATMની નક્કી સીમા પછી કેશ કાઢવા પર પહેલા કરતા વધુ ચાર્જ લાગશે. આરબીઆઈએ એટીએમ ટ્રાન્ઝેક્શ ચાર્જ વધારવાની બેંકોની માંગને મંજૂરી આપી દીધી છે ત્યારબાદથી 1 જાન્યુઆરીથી એટીએમમાંથી કેશ કાઢવી તમાર માટે મોંઘી થઈ જવાની છે. બેંક ગ્રાહક એટીએમમાંથી કેશ ટ્રાન્ઝેક્શન માટે પહેલા જેટલી ચૂકવણી કરી રહ્યા હતા, 1 જાન્યુઆરીથી તેનાથી વધુ ચૂકવણી કરવી પડશે.

1 જાન્યુઆરીથી આપવો પડશે વધુ ચાર્જ
1 જાન્યુઆરી, 2022થી બેંક ખાતાધારકોએ એટીએમમાંથી કેશ કાઢવા પર પહેલાથી વધુ ચાર્જ આપવો પડશે. એક જાન્યુઆરી, 2022થી ગ્રાહકોએ ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શન સીમા બાદ એટીએમમાંથી કોઈ પણ પ્રકારની લેવડ-દેવડ કરવા પર ચાર્જ લાગશે. વળી, બેલેન્સ ચેક કરો, એટીએમ પિન જનરેટ કરો, મિની સ્ટેટમેન્ટ કાઢવાની સુવિધા પહેલાની જેમ મળતી રહેશે. જૂનમાં જ આરબીઆઈએ બેંકોને 1 જાન્યુઆરી, 2022થી મફત માસિક સીમાથી વધુ ફાઈનાન્સિયલ અને નૉન ફાઈનાન્સિયલ એટીએમ લેવડ-દેવડ માટે ફી વધારવાની અનુમતિ આપી દીધી હતી.

કેટલો લાગશે ચાર્જ
આરબીઆઈની મંજૂરી મળ્યા બાદ બેંકોએ ટ્રાન્ઝેક્શન ચાર્જ વધારી દીધો છે. નવા નિયમને લઈને બેંકોએ પોતાના ગ્રાહકોને ઈમેલ, એસએમએસ મોકલીને માહિતી આપવાનુ શરુ કરી દીધુ છે. બેંકો તરફથી મળી રહેલી માહિતી અનુસાર 1 જાન્યુઆરી, 2022થી મફત લિમિટ ખતમ થયા બાદ એટીએમમાંથી ટ્રાન્ઝેક્શન કરવા પર લોકોને 21+ જીએસટીની ચૂકવણી કરવી પડશે. વર્તમાનમાં ગ્રાહકોએ એટીએમમાંથી કેશ અને નૉન-કેશ ટ્રાન્ઝેક્શન કરવા માટે મહિનમાં 5 નાણાકીય ટ્રાન્ઝેક્શન ફ્રીમાં મળે છે. ત્યારબાદ દરેક ટ્રાન્ઝેક્શન માટે 20 રૂપિયા પ્લસ જીએસટી લાગે છે.

પહેલાની જેમ મળતી રહેશે ફ્રી ટ્રાન્ઝેક્શન સુવિધા
બેંકોએ નવા વર્ષથી એટીએમ ટ્રાન્ઝેક્શન ફી વધારવાનો નિર્ણય કર્યો છે. જે ગ્રાહકોને ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ ખતમ થયા બાદ આપવાનુ છે. જો કે મફત ટ્રાન્ઝેક્શન પહેલાની જેમ ચાલુ રહેશે. એટલે કે મેટ્રો શહેરોમાં ખાતાધારકો બીજી બેંકોમાંથી એટીએમમાંથી મહિનામાં 3 ફ્રી ટ્રાન્ઝેક્શન કોઈ ફી વિના કરી શકશે. વળી, નૉન-મેટ્રો શહેરમાં બીજી બેંકના એટીએમમાંથી 5 ફ્રી ટ્રાન્ઝેકશન મળે છે. વળી, ખાતાધારકોએ પોતાના બેંક એટીએમમાંથી દર મહિને પાંચ ફ્રી લેવડ-દેવડની સુવિધા મળતી રહેશે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
