6 કરોડ લોકોને મળી શકે છે મોટી રાહત, PFના નવા રેટ પર આજે ફેસલો થશે
6 કરોડ લોકોને મળી શકે મોટી રાહત, PFના નવા રેટ પર આજે ફેસલો
નવી દિલ્હીઃ આજે મળનાર સેન્ટ્ર્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટની મીટિંગમાં 6 કરોડ પીએફ ખાતાંધારકોને મોટી રાહત મળી શકે છે. આજે મળનાર સીબીટીની મહત્વની બેઠકમાં EPFO નાણાકીય વર્ષે 2018-19 માટે પ્રોવિડેન્ટ ફંડના વ્યાજદર પર ફેસલો લેશે. ન્યૂજ એજન્સી પીટીઆઈ મુજબ આજે મળના સીબીટીની બેઠકમાં પીએફ પર વ્યાજ દર યથાવત રાખવાનો પ્રસ્તાવ આવી શકે છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ વ્યાજદરોમાં કોઈ કટૌતી કરવામાં નહિ આવે.
જણાવી દઈએ કે નાણાકીય વર્ષે 2017-18માં પીએફ પર 8.55 ટકા વ્યાજ આપવામાં આવ્યું હતું, જે પાછલા 5 વર્ષમાં સૌથ ઓછું હતું. અપેક્ષા છે કે બેઠકમાં વ્યાજદર વધારવા અથવા યથાવત રાખવા પર ફેસલો થશે. શ્રમ મંત્રીની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. બેઠકમાં ભવિષ્ય નિધિ જમા પરના વ્યાજદર પર નિર્ણય લેવામાં આવશે. આ બેઠકમાં બોર્ડના ફેસલા બાદ તેને નાણામંત્રી પાસે ફેસલા માટે મોકલી આપવામાં આવશે. નાણા મંત્રાલયની મંજૂરી બાદ જ વ્યાજદરને અંશધારકના ખાતામાં નાખવામાં આવશે.
પીએફ
ખાતાધારકોને
મળશે
મોટી
રાહત
આજે મળનારી પીએફ બોર્ડની બેઠકમાં ન્યૂનતમ પેંશનને લઈને પણ ફેસલો લેવાઈ શકે છે, જેમાં ન્યૂનતમ પેંશન વધારીને 3000 રૂપિયા કરવામાં આવી શકે છે. જો આ ફેસલો આવે છે તો તેનો સીધો લાભ 50 લાખ પેંશનધારકોને મળશે. જણાવી દઈએ કે EPFO મેંમ્બર્સને અત્યાર 1000 રૂપિયા ન્યૂનતમ પેંશન મળે છે જે વધારીને 3000 રૂપિયા કરવાનો ફેસલો લેવામાં આવી શકે છે.
આ પણ વાંચો- 21મી ફેબ્રુઆરીએ પણ મોંઘુ થયું ડીઝલ, આજે ફરી વધી પેટ્રોલની કિંમત