For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કિંગફિશરને ઝટકો, બેન્કો કરશે કડકાઇથી ઉઘરાણી

|
Google Oneindia Gujarati News

kingfisher
નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી: કિંગફિશર એરલાઇન્સને લોન આપનાર બેન્કોનું હવે ધેર્ય ખુટી રહ્યું છે. બેન્કોના કન્સોર્ટિયમે સ્પષ્ટતા કરી દીધી છે કે તેઓ કિંગફિશરને આપેલી લોન પાછી લેશે. બેન્કોએ આ નિર્ણય ગઇકાલે કિંગફિશર એરલાઇન્સની બેઠક બાદ લેવામાં આવ્યો. કિંગફિશર એરલાઇન્સને ફરી શરૂ કરવાને લઇને બેન્ક માલ્યા અને તેમની ટીમના પ્લાનથી ખુશ નથી.

બેન્કોએ જણાવ્યું છે કે તેમણે એરલાઇન્સને લોન ચૂકવવા માટે ખુબ જ સમય આપ્યો હતો, પરંતુ પાણી હવે માથાની ઉપર જઇ રહ્યું છે. કિંગફિશરને આપેલી લોન કેવી રીતે વસૂલમાં આવે તેના પર દરેક બેન્ક અગલ અગલ નિર્ણય લેશે.

કિંગફિશર એરલાઇન્સને સૌથી વધારે લોન એસબીઆઇએ આપી હતી. એસબીઆઇએ કિંગફિશર પાસેથી 1600 રૂપિયા વસૂલવાના છે. ત્યાંજ કિંગફિશર એરલાઇન્સમાં પીએનબી અને આઇડીબીઆઇ બેન્કના 800-800 કરોડ રૂપિયા ફસાયેલા છે. જ્યારે બેન્ક ઓફ ઇન્ડિયાને કિંગફિશર પાસેથી 650 કરોડ રૂપિયા વસૂલવાના છે. જ્યારે બીઓબીએ કિંગફિશરને 550 કરોડ રૂપિયાની લોન આપી હતી.

દરેક બેન્કો આપેલી લોન પાછી માગી રહી છે પરંતુ એરલાઇન્સના સીઇઓને આશા છે કે કિંગફિશર ફરી ઉડાન ભરશે. તેમજ વિજય માલ્યાએ પોતે દરેક કર્મચારીઓની બાકી રહેલી સેલરી પણ ચૂકતે કરવાનું જણાવ્યું છે.

English summary
Lenders to start recovery of Kingfisher Airlines' loans.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X