Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કિંગફિશર એરલાઇન્સ સામે ક્રિમિનલ કેસ દાખલ

kingfisher-airlines-with-vijay-malya
મુંબઇ, 15 મે : ઉદ્યોગપતિ વિજય માલ્યાની મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. કિંગફિશર એયરલાઈન્સનાં મોટા દેવાને વસુલવા એક તરફ બેન્ક તેમની સંપત્તિની હરાજી કરવાની તૈયારીમાં છે, ત્યાં લેણદારોએ કંપની વિરૂદ્ધ ફોજદારી કેસ દાખલ કર્યો છે.

એરપોર્ટ ઓપરેટર ઓફ ઇન્ડિયા (એએઆઈ)એ કિંગફિશર એયરલાઈન્સ વિરુદ્ધ મુંબઈ હાઈકોર્ટમાં ફોજદારી કેસ દાખલ કર્યો છે. એએઆઈનું કહેવું છે કે માલ્યાની એયરલાઈન્સ કંપની પર તેમનાં 300 કરોડ રૂપિયા બાકી છે. કિંગફિશરે એએઆઈને આ દેવુ ભરપાઈ કરવા 117 કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો, પરંતુ તે ચેક બાઉન્સ થઈ ગયો છે.

એરપોર્ટ ઓથોરિટીનું કહેવું છે કે, તેમણે 183 કરોડ વસુલવા માટે કિંગફિશર એયરલાઈન્સ વિરૂદ્ધ સિવિલ કેસ (દીવાની મુકદ્દમો) પણ દાખલ કર્યો છે. હવે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં કિંગફિશર એરલાઇન્સ આ ચૂકવણા ભરી શકે છે અને તે માટે વિજય માલ્યા તેમની અન્ય કંપનીઓની મદદ લે છે કે પછી કિંગફિશર એરલાઇન્સની તમામ પ્રોપર્ટીને વેચીને તે વસૂલ કરવામાં આવે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X