For Quick Alerts
For Daily Alerts
કિંગફિશર એરલાઇન્સ સામે ક્રિમિનલ કેસ દાખલ
એરપોર્ટ ઓપરેટર ઓફ ઇન્ડિયા (એએઆઈ)એ કિંગફિશર એયરલાઈન્સ વિરુદ્ધ મુંબઈ હાઈકોર્ટમાં ફોજદારી કેસ દાખલ કર્યો છે. એએઆઈનું કહેવું છે કે માલ્યાની એયરલાઈન્સ કંપની પર તેમનાં 300 કરોડ રૂપિયા બાકી છે. કિંગફિશરે એએઆઈને આ દેવુ ભરપાઈ કરવા 117 કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો, પરંતુ તે ચેક બાઉન્સ થઈ ગયો છે.
એરપોર્ટ ઓથોરિટીનું કહેવું છે કે, તેમણે 183 કરોડ વસુલવા માટે કિંગફિશર એયરલાઈન્સ વિરૂદ્ધ સિવિલ કેસ (દીવાની મુકદ્દમો) પણ દાખલ કર્યો છે. હવે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં કિંગફિશર એરલાઇન્સ આ ચૂકવણા ભરી શકે છે અને તે માટે વિજય માલ્યા તેમની અન્ય કંપનીઓની મદદ લે છે કે પછી કિંગફિશર એરલાઇન્સની તમામ પ્રોપર્ટીને વેચીને તે વસૂલ કરવામાં આવે છે.
Comments
English summary
Criminal case against Kingfisher airlines.
Story first published: Wednesday, May 15, 2013, 13:47 [IST]