For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી ટ્રસ્ટ કંપનીઓને દાન પર કર છૂટ મળી શકશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 જુલાઇ : કંપનીઓના રાજકીય દાનની વ્યવસ્થામાં વધારે પારદર્શકતા લાવવા માટે સરકારે 'ચૂંટણી ટ્રસ્ટ કપનીઓ'નો માર્ગ મોકળો કરી દીધો છે. આવી કંપનીઓને વિવિધ રાજકીય પક્ષોને આપેલા ધન કે દાનની રકમ પર કર છૂટ મળી શકશે.

આ નવા પગલાં અંતર્ગત એકમોએ બિન લાભકારી કંપનીઓને પોતાના નામ અંતર્ગત 'નિર્વાચક ટ્ર્સ્ટના રૂપમાં' પોતાની નોંધણી કરાવવાની છૂટ હશે. આ કારણે અન્ય વ્યવસાયોમાં જોડાયેલી કંપનીઓ સાથે તેમનું અંતર રહેશે. કંપની બાબતોના મંત્રાલયે કંપનીઓ માટે નામની ઉપલબ્ધતા દિશાનિર્દેશોમાં સંશોધન કર્યું છે. જેના કારણે તેમના માટે આવી કંપનીઓમાં નોંધણી વધારે સરળ બની જાય

tax-benefit

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી) દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર અનુસાર કંપની કાયદો 1956ની કલમ 25 અંતર્ગત 'ચૂંટણી ટ્રસ્ટ'ના નામની સાથે કંપનીની નોંધણીનીમંજૂરી આપવામાં આવી છે. આ વ્યવસ્થા ચૂંટણી ટ્રસ્ટ સ્કીમ 2013 અંતર્ગત કરવામાં આવી રહી છે.

મંત્રાલયે જણાવ્યું કે આ પ્રકારની કંપનીઓ નવા એકમમાં ગણાશે. નામ માટે નોંધણી કરાવવા સાથે તેમણે શપથપત્ર પણ આપવું પડશે કે આ નામ માત્ર સીબીડીટીની ચૂંટણી ટ્રસ્ટ યોજના અંતર્ગત કંપનીની નોંધણી કરાવવા માટે મેળવવામાં આવ્યું છે.

English summary
Electoral Trust companies will get tax benefits for donations
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X