EPFO 8.5 ટકા કરતા વધુ વ્યાજ આપી શકે

સૂત્રોએ જણાવ્યું હતું કે ઇપીએફઓમાંની પીએફ ડિપોઝિટ પરનો વ્યાજદર વધવાની આશા રખાય છે. તેણે જણાવ્યું હતું કે ઇપીએફઓ દ્વારા વધુ વ્યાજ ચૂકવાશે તો તેની પાસે કોઇ ખાધ કે પુરાંત નહિ રહે. ઇપીએફઓ દ્વારા 2010-11માં 9.5 ટકા, 2011-12માં 8.25 ટકા અને 2012-13માં 8.5 ટકા વ્યાજ ચૂકવવામાં આવ્યું હતું.
ઇપીએફઓની નિર્ણય લેતી સર્વોચ્ચ સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ - સીબીટી છે. તેનું નેતૃત્વ શ્રમપ્રધાન કરી રહ્યા છે. તેના દ્વારા જ વ્યાજદર અંગે આખરી નિર્ણય લેવાય છે. ઇપીએફઓની સલાહકાર સમિતિ ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કમિટી (એફઆઇસી) દ્વારા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝને વ્યાજદરની ભલામણ કરાય છે. આ સમિતિની પણ નવરચના થવાની છે.
ઇપીએફઓ દ્વારા જૂનમાં જ સીબીટીની નવરચના કરાઇ હતી. વ્યાજદરને લગતી આખરી ભલામણ નાણાં મંત્રાલયની સંમતિ માટે મોકલાય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પીએફ ડિપોઝિટ્સના ચાલુ નાણાકીય વર્ષના વ્યાજદરની જાહેરાત દિવાળી પહેલાં થવાની શક્યતા છે. અગાઉ, ઇપીએફઓ વ્યાજદરની જાહેરાત નાણાકીય વર્ષના પ્રારંભમાં કરતું હતું, પરંતુ છેલ્લાં ઘણાં વર્ષથી તેમ નથી થતું.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી








Click it and Unblock the Notifications
