For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

EPFO 8.5 ટકા કરતા વધુ વ્યાજ આપી શકે

|
Google Oneindia Gujarati News

epfo-logo
નવી દિલ્હી, 10 ઓક્ટોબર : દેશભરમાંથી એમ્‍પ્‍લોઇસ પ્રોવિડન્‍ટ ફંડ ઓર્ગેનાઇઝેશન - ઇપીએફઓમાં રોકાણ કરનારાઓ માટે આનંદના સમાચાર છે. વર્ષ 2012-13 માટે આપવામાં આવેલા 8.5 ટકાના વ્‍યાજથી વધુ વ્‍યાજદર આ વખતે આપવામાં આવે તેવી શક્યતા છે. આ અંગેની જાહેરાત દિવાળીની પહેલાં થઇ શકે છે.

સૂત્રોએ જણાવ્‍યું હતું કે ઇપીએફઓમાંની પીએફ ડિપોઝિટ પરનો વ્‍યાજદર વધવાની આશા રખાય છે. તેણે જણાવ્‍યું હતું કે ઇપીએફઓ દ્વારા વધુ વ્‍યાજ ચૂકવાશે તો તેની પાસે કોઇ ખાધ કે પુરાંત નહિ રહે. ઇપીએફઓ દ્વારા 2010-11માં 9.5 ટકા, 2011-12માં 8.25 ટકા અને 2012-13માં 8.5 ટકા વ્‍યાજ ચૂકવવામાં આવ્‍યું હતું.

ઇપીએફઓની નિર્ણય લેતી સર્વોચ્‍ચ સંસ્‍થા સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્‍ટીઝ - સીબીટી છે. તેનું નેતૃત્વ શ્રમપ્રધાન કરી રહ્યા છે. તેના દ્વારા જ વ્‍યાજદર અંગે આખરી નિર્ણય લેવાય છે. ઇપીએફઓની સલાહકાર સમિતિ ફાઇનાન્‍સ એન્‍ડ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ કમિટી (એફઆઇસી) દ્વારા સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્‍ટીઝને વ્‍યાજદરની ભલામણ કરાય છે. આ સમિતિની પણ નવરચના થવાની છે.

ઇપીએફઓ દ્વારા જૂનમાં જ સીબીટીની નવરચના કરાઇ હતી. વ્‍યાજદરને લગતી આખરી ભલામણ નાણાં મંત્રાલયની સંમતિ માટે મોકલાય છે. સૂત્રોએ જણાવ્‍યું હતું કે પીએફ ડિપોઝિટ્‍સના ચાલુ નાણાકીય વર્ષના વ્‍યાજદરની જાહેરાત દિવાળી પહેલાં થવાની શક્‍યતા છે. અગાઉ, ઇપીએફઓ વ્‍યાજદરની જાહેરાત નાણાકીય વર્ષના પ્રારંભમાં કરતું હતું, પરંતુ છેલ્લાં ઘણાં વર્ષથી તેમ નથી થતું.

English summary
EPFO may announce higher interest than 8.5 percent
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X