PF પર મળશે વધુ વ્યાજ, નિર્ણય 13 જાન્યુઆરીએ
નવી દિલ્હી, 25 ડિસેમ્બર: નવા વર્ષ નોકરિયાતો માટે ખુશખબરી લઇને આવી શકે છે. આ સમાચાર પીએફ પર મળનારા વ્યાજ સાથે જોડાયેલા છે. જો આ યોજનાને લાગૂ કરવામાં આવે તો નવું વર્ષ ખુશીઓની ભેટ લઇને આવશે. આ અંગે નિર્ણય આગામી 13 જાન્યુઆરીએ લેવામાં આવશે.
ઇપીએફઓએ ચાલુ નાણાંકીય વર્ષ 2013-14 માટે પીએફ જમા પર 8.5થી વધુ વ્યાજ આપવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. તેને 13 જાન્યુઆરીના 2014ના રોજ સેન્ટ્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટી (સીબીટી)ની બેઠકમાં રજૂ કરવામાં આવશે. જો પ્રસ્તાવિત દર પર સામાન્ય સમજૂતી બની જાય તો હાલના નાણાંકીય વર્ષમાં કર્મચારીઓને પીએફ જમા પર પહેલાંથી વધુ વ્યાજ મળી શકે છે. ઇપીએફઓના એક વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે પુનગઠન બાદ આ પ્રથમ બેઠક હશે. બેઠકના એજન્ડામાં કેટલાક અન્ય મુદ્દા પણ છે. પરંતુ તેમાં મહત્વપૂર્ણ વ્યાજદર પર નિર્ણય લેવામાં આવશે.

તેમને કહ્યું હતું કે ચાલુ નાણાંકીય વર્ષ માટે પીએફ પર વ્યાજદર નક્કી કરવાનો પ્રસ્તાવ લાંબા સમયથી લટકેલો છે. ઇપીએફઓના અનુસાર સંગઠનની આર્થિક સ્થિતી સારી છે. એટલા માટે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે નવા દર 8.50 ટકાથી વધુ હોય શકે છે.
જાણકારોનું કહેવું છે કે ચૂંટણીના વાતાવરણમાં આકર્ષક વ્યાજદર નક્કી થવાની આશા છે. પરંતુ તેના માટે નાણામંત્રાલય દ્વારા લીલી ઝંડીની જરૂરિયાત છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષમા6 8.5 ટકા વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો હતો. આ પહેલાં પૂર્વ પીએફ પર વ્યાજ દર 8.25 ટકા હતો.
-
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
ઓમ બિરલા 9 એપ્રિલે ગોવામાં કોમનવેલ્થ સંસદીય પરિષદનું ઉદ્ઘાટન કરશે, જે શાસન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો












Click it and Unblock the Notifications
