ATM ટ્રાન્જેક્શનને લઈ RBIએ કહી મોટી વાત, નવું સર્ક્યુલેશન જાહેર
ATM ટ્રાન્જેક્શનને લઈ RBIએ કહી મોટી વાત, નવું સર્ક્યુલેશન જાહેર
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ એટીએમ ટ્રાન્જેક્શનને લઈ સ્પષ્ટતા આપી છે. રિઝર્વ બેંકે ફ્રી એટીએમ ટ્રાન્જેક્શન પર સફાઈ આપતા નવા સર્ક્યૂલેશન અંતર્ગત જાણકારી આપી છે અને કહ્યું છે કે એટીએમ ખરાબ થવા, એટીએમમાં કેશ ન હોવા અથવા ટેક્નિકલ ખામીને કારણે ફેલ થયેલ ટ્રાન્જેક્શન નહિ ગણાય.

જ્યારે આરબીઆઈએ એમ પણ કહ્યું કે ખોટો પિન નાખવો પણ ટ્રાન્જેક્શનમાં નહિ ગણાય. આરબીઆઈએ નવા સર્ક્યુલર અંતર્ગત જાણકારી આપતા કહ્યું કે એટીએમમાં કરંસી ન હોવા અથવા કોઈ ટેક્નિકલ કારણે ટ્રાન્જેક્શન ફેલ થવા પર તેને ગણવામાં નહિ આવે. રિઝર્વ બેંકે સ્પષ્ટ કહ્યું કે ટેક્નિકલ કારણો, કોઈ કારણે બેંક દ્વારા ટ્રાન્જેક્શન પરવાની ના પાડવા, એટીએમમાં રોકડ ન હોવા, ખોટો પિન કોડ નાખવો વગેરેને એટીએમ ટ્રાન્જેક્શન તરીકે નહિ ગણાય.
રિઝર્વ બેંકના નવા સર્ક્યુલર મુજબ હવે એટીએમમાં બેલેંસ ચેક કરવું પણ ફ્રી ટ્રાન્જેક્શનમાં નહિ ગણાય. ઉલ્લેખનીય છે કે બેંકોએ એટીએમમાં મહિને મહત્તમ 5 ટ્રાન્જેક્શન ફ્રી કરી રાખ્યા છે. જ્યારે 6 મોટા શહેરોમાં 3 ટ્રાન્જેક્શન જ ફ્રી છે. ફ્રી લિમિટથી વધુ ટ્રાન્જેક્શન પર 20 રૂપિયા પ્રતિ ટ્રાન્જેક્શન તરીકે ચૂકવવા પડે છે.












Click it and Unblock the Notifications
