1લી સપ્ટેમ્બરથી બેંકિંગના આ નિયમો બદલાઈ ગયા, અત્યારે જ જાણી લો
1લી સપ્ટેમ્બરથી બેંકિંગના આ નિયમો બદલાઈ ગયા, અત્યારે જ જાણી લો
સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. નવા મહિનાની શરૂઆતની સાથે જ તમારી આસપાસના કેટલાય નિયમો બદલાઈ ગયા છે. 1 સપ્ટેમ્બરથી બેંકો સાથે જોડાયેલા નિયમો પણ બદલાઈ ગયા છે. તમારા બેંક ખાતા, ચેક પેમેન્ટ સહિત કેટલાય નિયમોમાં બદલાવ થઈ ચૂક્યો છે. બેંકિંગ નિયમો ઉપરાંત પીએફ એકાઉન્ટ સાથે જોડાયેલા નિયમ, એલપીજીના ભાવ, ડ્રાઈવિંગ, ઈન્સ્યોરન્સ સાથે જોડાયેલા નિયમોમાં બદલાવ થઈ ગયો છે. અમે તમને એવા બદલાવો વિશે જણાવી રહ્યા છીએ જે તમારા બેંક ખાતાં સાથે જોડાયેલા છે.

ચેક પેમેન્ટનો નવો નિયમ લાગૂ
1 સપ્ટેમ્બરથી મોટાભાગની બેંકો પોઝિટિવ પે સિસ્ટમ લાગૂ કરવા જઈ રહી છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના નિર્દેશ પર બેંકોએ આ ફેસલો લીધો છે. એક્સિસ બેંક તરફતી ખાતાધારકોને ઈમેલ, એસએમએસ દ્વારા આ જાણકારી આપવામાં આવી રહી છે. ખાતાધારકોને નવા નિયમ વિશે જાણકારી આપવામાં આવી રહી છે. 1 સપ્ટેમ્બરથી ચેક જાહેર કરતા પહેલાં ખાતાધારકોને આ અંગેની પૂરી ડિટેલ્સ બેંકમાં પહેલેથી આપવી પડશે. જો તમે ચેકની પૂરી જાણકારી પહેલેથી બેંકને નહીં આપો તો બેંક તમારે ચેક કેંસલ કરી શકે છે. RBIએ 50000 રૂપિયા અથવા તેનાથી વધુના ચેક પેમેન્ટ પર પોઝિટિવ પેમેન્ટ લાગૂ કરવાનો નિર્દેશ આપ્યો છે, જેને બેંકો પોતાની સુવિધાઅનુસાર અપનાવી શકે છે.

PNB આ નિયમ બદલશે
1 સપ્ટેમ્બરથી પંજાબ નેશનલ બેંક પોતાના ખાતાધારકોને ઝાટકો આપશે. પંજાબ નેશનલ બેંકે પોતાના ખાતાધારકોને જબરો ઝાટકો આપવાની તૈયારી કરી લીધી છે. બેંકે પોતાના ગ્રાહકોની બચત ઘટાડવાની તૈયારી કરી લીધી છે. બેંકે સેવિંગ અકાઉન્ટના વ્યાજ દરોમાં બદલાવ કરવાનો ફેસલો લીધો છે. પંજાબ નેશનલ બેંકે 1 સપ્ટેમ્બરથી સેવિંગ અકાઉન્ટના વ્યાજ દર ઘટાડવાનો ફેસલો લીધો છે. પીએનબીની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલી જાણકારી મુજબ 1 સપ્ટેમ્બરથી સેવિંગ્સ અકાઉન્ટના વ્યાજ દરોમાં કટૌતી કરવામાં આવશે.

ઘર સુધી પહોંચશે સિક્કા
બેંક હવે જલદી જ ડોર સ્ટેપ બેંકિંગની શરૂઆત કરવા જઈ રહી ચે, જે અંતર્ગત હવે ગ્રાહકોને તેમના ઘરે જ સિક્કા પહોંચાડવામાં આવશે. જણાવી દઈએ કે આરબીઆઈએ બેંકોને પોતાના થોક ગ્રાહકો માટે નવી સુવિધા પ્રદાન કરવાની મંજૂરી આપી દીધી છે. RBIએ સિક્કાની લેણ-દેણ વધારવા માટે બેંકોના પ્રોત્સાહનને પણ વધારી 65 રૂપિયા પ્રતિ બોરી કરી દીધું છે, જે પહેલાં 25 રૂપિયા હતું. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ સિક્કાની લેણ-દેણ વધારવા માટે 1 સપ્ટેમ્બરથી બેંકોની પ્રોત્સાહન રાશિ વધારી દીધી છે.

SBIના આ નિયમો બદલાઈ જશે
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ 30 સપ્ટેમ્બર સુધી પોતાના પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરી લે. આવું ના કરવા પર ટ્રાંજેક્શનમાં સમસ્યા સર્જાઈ શકે છે. જણાવી દઈએ કે હાલમાં જ એસબીઆઈએ પોતાના 44 કરોડ ગ્રાહકો માટે જરૂરી જાણકારી શેર કરતાં 1 વીડિયો શેર કર્યો. જેમાં ડેબિટ કાર્ડના ગુમ થઈ જવા પર, ક્યાંક પડી જવા પર અથવા ચોરી થઈ જવાની સ્થિતિમાં તમારે શું કરવું તેની જાણકારી આપવામાં આવી છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
