ટેલિકોમમાં 100 ટકા વિદેશ રોકાણને મંજૂરી

બેઠકમાં ભાગ લેવા આવેલા મંત્રીઓમાં નાણામંત્રી પી ચિદમ્બરમ, રક્ષામંત્રી એકે એન્ટોની, વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી આનંદ શર્મા તથા ટેલિકોમ મંત્રી કપીલ સિબ્બલ સામેલ હતા. ટેલિકોમમાં સો ટકા વિદેશી રોકાણના નિર્ણય પહેલા બે જુલાઇએ ટેલિકોમ પંચે 100 ટકા એફડીઆઇ માટે મંજૂરી આપી દીધી હતી.
બેઠક બાદ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી આનંદ શર્માએ જણાવ્યું કે વીમા ક્ષેત્રમાં 26 ટકા એફડીઆઇ સીમા વધારીને 49 ટકા કરવામાં આવી છે. સરકારે અનેક ક્ષેત્રોમાં વિદેશી રોકાણના રૂટમા બદલાવ કર્યો છે, આ હેઠળ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ, પાવર એક્સચેન્જ, કોમોડિટી એક્સચેન્જ અને સ્ટોક એક્સચેન્જમાં ઓટોમેટિક રૂટથી 49 ટકા એફડીઆઇને મંજૂરી આપી દીધી છે.
આનંદ શર્માએ કહ્યું કે વિદેશી રીટેલ ક્ષેત્ર તરફથી સતત વધી રહેલી માંગોને જોઇને સરકારે અનેક બ્રાન્ડવાળા રીટેલ વેપારમાં એફડીઆઇના માપદંડોને ઉદાર બનાવવાનો નિર્ણય કર્યો છે. નાગરીક ઉડ્ડયનમાં એફડીઆઇની 49 ટકાની સીમામાં કોઇ ફેરબદલ કરવામાં આવ્યા નથી.
રક્ષા ક્ષેત્રમાં ઓટોમેટિક રૂટથી 26 ટકા વિદેશી રોકાણને અનુમતિ મળશે, જ્યારે 26-29 ટકા એફડીઆઇ માટે કેબિનેટ કમેટી ઓન સિક્યૂરિટીની અનુમતિ અનિવાર્ય રહેશે. મહત્વપૂર્ણ છે કે રક્ષામંત્રી એકે એન્ટોનીએ રક્ષા ક્ષેત્રમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણની હાલની સીમાને 26 ટકાથી વધારીને 49 ટકા કરવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.
એમનો તર્ક એવો હતો કે આ એક ઉંલ્ટુ પગલું સાબિત થશે, કારણ કે તેનાથી એક તરફ જ્યાં વિદેશી કંપનીઓ પર નિર્ભરતા વધશે, તો બીજી તરફ સ્થાનિક રક્ષા ઉદ્યોગની વૃદ્ધિ પ્રભાવિત થશે. સરકારે એફડીઆઇ સંબંધિત નિર્ણય માયારામ સમિતિની ભલામણો પર કર્યાં છે. સમિતિએ 20 ક્ષેત્રોમાં રોકાણ વધારવાની સલાહ આપી હતી, પરંતુ સરકારે માત્ર 12ને જ મંજૂરી આપી છે.












Click it and Unblock the Notifications
