આ રહી ફુગાવાના મહાકાય રાક્ષસ સામે લડવાની 6 ટિપ્સ
ભારતમાં ફુગાવાને હંમેશા નકારાત્મક દ્રષ્ટિથી જોવામાં આવે છે. કારણ કે ભારતમાં ફુગાવાની ટકાવારી હંમેશા ઊંચી રહે છે. અમેરિકા જેવા દેશમાં ફુગાવો મોટા ભાગે 2 ટકાની અંદર રહે છે. જ્યારે ભારતમાં થોડા મહિના પહેલા છુટક કિંમત ફુગાવો વધીને બે આંક એટલે કે 10 ટકાથી પણ વધી ગયો હતો.
ભારત સરકાર આમ થવા પાછળ ક્રુડના ભાવમાં વધારો, કૃષિ ક્ષેત્રમાં પુરવઠા આપુર્તિની નબળી વ્યવસ્થા વગેરે જેવા કારણ આગળ ધરી પોતાના હાથ બચાવે છે. ભારતમાં વધતા ફુગાવાથી ચિંતા વધે છે તેનું એક મોટું કારણ એ છે કે ફુગાવો વધતા આપની બચત ઓછી થઇ જાય છે.
આ રહી ફુગાવાના મહાકાય રાક્ષસ સામે લડવાની ટિપ્સ...

ફુગાવો બચતને કેવી રીતે ખાઇ જાય છે?
વર્તમાનમાં કોઇપણ બેંકમાં વ્યાજનો સરેરાશ દર 9 ટકાની આસપાસ છે. અત્યાર સુધી ચુટક ફુગાવો પણ 9 ટકા ઉપર હતો. આપણે તેને વાર્ષિક 10 ટકા ધારીએ. આ મુજબ આપણે 100 રૂપિયા બેંક એફડીમાં મૂકીએ તો આવતા વર્ષે આપણને 109 રૂપિયા પાછા મળશે. જો કે ફુગાવો 10 ટકા હોવાથી આપણને રૂપિયા 110 મળવા જોઇએ. તેમ થતું નથી. એટલે કે આપણે એક રૂપિયો ઓછો મળ્યો. આમ થવાથી આપણી આવક ઘટે છે.

ફુગાવા સામે કેવી રીતે લડી શકાય?
ફુગાવો વધારે રહેવાથી આપનું વળતર ઘટે છે. કારણ કે આપને ઓછું વ્યાજ મળે છે. આની સીધી અસર આપની મૂળ રકમ પર પડે છે. બીજા વર્ષે તે જેટલી વધવી જોઇએ તેટલી વધતી નથી. આ સમસ્યાનો એક જ ઉકેલ છે કે વળતર વધારે મળે તેવું રોકાણ કરવું જોઇએ.

બેંક ડિપોઝિટમાંથી કંપની ડિપોઝિટમાં રોકાણ શરૂ કરો
આ માટે પ્રથમ ટિપ્સ છે કે આપ ફિક્સ્ડ ડિપોઝિટ મૂકવા માંગતા હોવ તો બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરવાને બદલે કંપનીમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરો. કારણ કે રાષ્ટ્રીય બેંકો કરતા કંપનીની ડિપોઝિટમાં વધારે વ્યાજ મળે છે.

નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ
નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સમાં ઊંચું વળતર મળે છે. તેમાં 11થી 14 ટકાની રેન્જમાં વળતર મળે છે.

સારા સ્ટોકમાં રોકાણ
ભારતીય શેરબજારમાં અત્યારે રોકાણ કરવાનો સારો સમય છે તેમ કહેવું મુશ્કેલ છે. છતાં જ્યારે પણ તક મળે ત્યારે સારા શેર ઓછી કિમત ખરીદવા જોઇએ અને ઊંચી કિંમતે વેચવા જોઇએ. જેથી આપનું વળતર વધશે.

રિયલ એસ્ટેટ કે સોનામાં રોકાણ કરો
આપ લાંબા ગાળાનું રોકાણ કરવા માંગો તો શ્રેષ્ઠ વળતર માટે રિયલ એસ્ટેટ કે સોનામાં રોકાણ કરવું જોઇએ. જેથી સારું વળતર મળે છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11










Click it and Unblock the Notifications
