આ રહી ફુગાવાના મહાકાય રાક્ષસ સામે લડવાની 6 ટિપ્સ
ભારતમાં ફુગાવાને હંમેશા નકારાત્મક દ્રષ્ટિથી જોવામાં આવે છે. કારણ કે ભારતમાં ફુગાવાની ટકાવારી હંમેશા ઊંચી રહે છે. અમેરિકા જેવા દેશમાં ફુગાવો મોટા ભાગે 2 ટકાની અંદર રહે છે. જ્યારે ભારતમાં થોડા મહિના પહેલા છુટક કિંમત ફુગાવો વધીને બે આંક એટલે કે 10 ટકાથી પણ વધી ગયો હતો.
ભારત સરકાર આમ થવા પાછળ ક્રુડના ભાવમાં વધારો, કૃષિ ક્ષેત્રમાં પુરવઠા આપુર્તિની નબળી વ્યવસ્થા વગેરે જેવા કારણ આગળ ધરી પોતાના હાથ બચાવે છે. ભારતમાં વધતા ફુગાવાથી ચિંતા વધે છે તેનું એક મોટું કારણ એ છે કે ફુગાવો વધતા આપની બચત ઓછી થઇ જાય છે.
આ રહી ફુગાવાના મહાકાય રાક્ષસ સામે લડવાની ટિપ્સ...

ફુગાવો બચતને કેવી રીતે ખાઇ જાય છે?
વર્તમાનમાં કોઇપણ બેંકમાં વ્યાજનો સરેરાશ દર 9 ટકાની આસપાસ છે. અત્યાર સુધી ચુટક ફુગાવો પણ 9 ટકા ઉપર હતો. આપણે તેને વાર્ષિક 10 ટકા ધારીએ. આ મુજબ આપણે 100 રૂપિયા બેંક એફડીમાં મૂકીએ તો આવતા વર્ષે આપણને 109 રૂપિયા પાછા મળશે. જો કે ફુગાવો 10 ટકા હોવાથી આપણને રૂપિયા 110 મળવા જોઇએ. તેમ થતું નથી. એટલે કે આપણે એક રૂપિયો ઓછો મળ્યો. આમ થવાથી આપણી આવક ઘટે છે.

ફુગાવા સામે કેવી રીતે લડી શકાય?
ફુગાવો વધારે રહેવાથી આપનું વળતર ઘટે છે. કારણ કે આપને ઓછું વ્યાજ મળે છે. આની સીધી અસર આપની મૂળ રકમ પર પડે છે. બીજા વર્ષે તે જેટલી વધવી જોઇએ તેટલી વધતી નથી. આ સમસ્યાનો એક જ ઉકેલ છે કે વળતર વધારે મળે તેવું રોકાણ કરવું જોઇએ.

બેંક ડિપોઝિટમાંથી કંપની ડિપોઝિટમાં રોકાણ શરૂ કરો
આ માટે પ્રથમ ટિપ્સ છે કે આપ ફિક્સ્ડ ડિપોઝિટ મૂકવા માંગતા હોવ તો બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરવાને બદલે કંપનીમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરો. કારણ કે રાષ્ટ્રીય બેંકો કરતા કંપનીની ડિપોઝિટમાં વધારે વ્યાજ મળે છે.

નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ
નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સમાં ઊંચું વળતર મળે છે. તેમાં 11થી 14 ટકાની રેન્જમાં વળતર મળે છે.

સારા સ્ટોકમાં રોકાણ
ભારતીય શેરબજારમાં અત્યારે રોકાણ કરવાનો સારો સમય છે તેમ કહેવું મુશ્કેલ છે. છતાં જ્યારે પણ તક મળે ત્યારે સારા શેર ઓછી કિમત ખરીદવા જોઇએ અને ઊંચી કિંમતે વેચવા જોઇએ. જેથી આપનું વળતર વધશે.

રિયલ એસ્ટેટ કે સોનામાં રોકાણ કરો
આપ લાંબા ગાળાનું રોકાણ કરવા માંગો તો શ્રેષ્ઠ વળતર માટે રિયલ એસ્ટેટ કે સોનામાં રોકાણ કરવું જોઇએ. જેથી સારું વળતર મળે છે.
-
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ










Click it and Unblock the Notifications
