બજેટ રજૂ થયા પછી હવે તમારા પગાર પર કેટલો ટેક્સ લાગશે?
આ વખતના બજેટમાં કર છૂટની સીમા વધારવામાં નથી આવી, પરંતુ એક સ્લેબ પર લાગતો ટેક્સ અડધો કરવામાં આવ્યો છે, જેને કારણે હવે એ સ્લેબના વ્યક્તિઓને ઘણી રાહત મળશે.
સરકારે વર્ષ 2017-18નું બજેટ રજૂ કરી દીધું છે. આ વખતના બજેટમાં કર છૂટની સીમા વધારવામાં નથી આવી, પરંતુ એક સ્લેબ પર લાગતો ટેક્સ અડધો કરવામાં આવ્યો છે, જેને કારણે હવે એ સ્લેબના વ્યક્તિઓને ઘણી રાહત મળશે. સરકારે 2.5 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકોને મોટી રાહત આપી છે. આવો જાણીએ આ વર્ષના બજેટ પછી હવે કેટલી આવક પર કેટલો ટેક્સ લાગશે?

- જો તમારી આવક 2.5 લાખ રૂપિયા કે તેથી ઓછી છે, તો તમારી પર કોઇ ટેક્સ નહીં લાગે.
- જો તમારી આવક 2.5 લાખથી 5 લાખની વચ્ચે છે, તો તમારી આવક પર 5 ટકા ટેક્સ લાગશે. પહેલાં આ ટેક્સ 10 ટકા હતો, જે હવે ઘટાડીને અડધો કરી દેવામાં આવ્યો છે. આ સિવાય આવકવેરા પર 3 ટકા એજ્યુકેશન સેસ લાગશે.
- જો તમારી વાર્ષિક આવક પ લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયાની છે, તો તમારે આવકના 20 ટકા ટેક્સ ભરવાનો રહેશે અને સાથે જ આવકવેરા પર 3 ટકા એજ્યુકેશન સેસ લાગશે.
- તમારી વાર્ષિક આવક 10 લાખથી 50 લાખની વચ્ચે હોય તો 30 ટકા ટેક્સ ભરવાનો રહે છે અને આવકવેરા પર 3 ટકા એજ્યુકેશન સેસ લાગશે.
- 50 લાખથી 1 કરોડ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકોને પણ 30 ટકા ટેક્સ ભરવાનો રહે છે અને સાથે જ આવકવેરા પર 10 ટકા સરચાર્જ અને આવકવેરાના 3 ટકા એજ્યુકેશન સેસ રૂપે ભરવાના રહે છે.
- જો તમારી વાર્ષિક આવક રૂપિયા 1 કરોડથી વધુ હોય તો તમારે 30 ટકા ટેક્સ અને આવકવેરાના 15 ટકા સરચાર્જ ભરવાનો રહે છે. સાથે જ 3 ટકા એજ્યુકેશન સેસ પણ આપવાનો રહે છે.
More From
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી








Click it and Unblock the Notifications
