જેટ એરવેઝ પર સંકટઃ 1 એપ્રિલથી બંધ થઈ શકે ઉડાણ
જેટ એરવેઝ પર સંકટઃ 1 એપ્રિલથી બંધ થઈ શકે ઉડાણ
નવી દિલ્હીઃ જેટ એવેઝના પોતાના વિમાનોની ઉડાણ ભરતાં રોકવા અને ઉડાણ રદ કરવાનો સિલસિલો યથાવત છે. નાણાકીય તંગીની સમસ્યા સામે લડી રહેલ ઘરેલૂ પાયલટોએ મંગળવારે ચેતવણી આપી છે કે જો સમાધાન યોજનામાં મોડું થાય છે અને તેમની બાકી પગારની ચૂકવણી આ મહિનાના અંત સુધીમાં ન કરવામાં આવે તો તેઓ એક એપ્રિલથી ઉડાણ રોકી દેશે. જેટ એરવેઝ ઘરેલૂ પાયલટોના નિકાય નેશનલ એવિએટર્સ ગિલ્ડની 90 મિનિટથી વધુ ચાલેલ વાર્ષિક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. ગિલ્ડમાં એરલાઈન્સના 1000 ઘરેલૂ પાયલ છે. આ સંગઠન લગભગ 1 દશકા પહેલાં અસ્તિત્વમાં આવ્યું હતું.

જેટ એરવેઝના પાયલટોએ ઉડાણ બંધ કરવાની ધમકી આપી
જણાવી દઈએ કે સંગઠને કહ્યું કે જો સમાધાન પ્રક્રિયા સ્પષ્ટ ન થઈ અને વેતન ભુગવાન 31 માર્ચ સુધી ન થયું તો અમે એક એપ્રિલથી ઉડાણ બંધ કરી દેશું. વેતનના મામલામાં મેનેજમેન્ટ તરફથી કોઈ આશ્વાસન ન મળ્યા બાદ ગિલ્ડે પાછલા અઠવાડિયે શ્રમ મંત્રી સંતોષ ગંગવારને પત્ર લખી આ મામલે હસ્તક્ષેપ કરવાનો આગ્ર કર્યો. આ દરમિયાન ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ મંગળવારે પોતાના સચિવને દેવાંમાં ડૂબેલ એરલાઈન્સ સાથે ઈમરજન્સી બેઠક કરવાનો નિર્દેશ આપ્યો. કેટલાય વિમાનોની ઉડાણ ન ભરવાના કારણે એરલાઈન્સ મોટી સંખ્યામાં ઉડાણો રદ કરી રહી છે.

હાલ જેટ એરવેઝના માત્ર 41 પ્લેન ઉડી રહ્યાં છે
નાગર વિમાન મહાનિદેશાલય (DGCA)એ મંગળવારે કહ્યુ્ં કે જેટ એરવેઝની હાલ 41 ફ્લાઈટ જ ઉડાણ ભરી રહી છે. આગામી અઠવાડિયે હજુ આંકડો ઘટી શકે છે. ડીજીસીએનું માનવું છે કે જેટ એરવેઝના મામલામાં સ્થિતિ તેજીથી બદલી રહી છે. જેટ એરવેઝની વેબસાઈટ મુજબ એરલાઈન પાસે કુલ 119 વિમાન છે. પાછલા કેટલાક અઠવાડિયાથી એરલાઈનની ઉડાણો રદ થવાથી યાત્રીગણ પોતાની નારાજગી સોશિયલ મીડિયા પર ઠાલવી રહ્યા છે અને પરિચાલિત વિમાનોની સંખ્યામાં નિરંતર ઘટાડો થતો જઈ રહ્યો છે.

કેમ વધી રહ્યું છે સંકટ
જણાવી દઈએ કે પીટીઆઈ મુજબ જેટ એરવેઝ ઉપર 8200 કરોડ રૂપિયાનું દેવું છે અને માર્ચના અંત સુધીમાં 1700 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની જરૂર છે. નાણાકીય સંકટથી પીડાઈ રહેલ જેટ એરવેઝે પોતાના પાયલોટનો પગાર નથી ચૂકવ્યો, જે કારણે મોટા ભાગની તેમની ઉડાણ બંધ થઈ રહી છે. અત્યાર સુધીમાં કંપનીએ 40થી વધુ વિમાન ઉભાં કરી દીધાં છે. કંપનીના સૂત્રો મુજબ કંપનીએ પોતાના 123થી વધુ વિમાનોમાંથી 50 ટકાનું પરિચાલન બંધ કરી દીધું છે. અગાઉ સોમવારે પણ આવી રીતે જ જેટ એરવેઝે બીએસઈને સૂચિત કર્યા હતા કે પટ્ટેદારોને પગાર ન ચૂકવવાના કારણે તેમણે પોતના ચાર વિમાનોનું પરિચાલન બંધ કરી દીધું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
