મોદી સરકારના આ નિર્ણયથી 8 કરોડ PF એકાઉન્ટ ધારકોને ઝાટકો
મોદી સરકારના નિર્ણયથી 80 કરોડ પીએફ એકાઉન્ટ ધારકોને મોટો ઝાટકો લાગી શકે છે. કેન્દ્રની મોદી સરકાર PF ના વ્યાજ દરમાં કાપ મૂકવાની તૈયારી કરી રહી છે.
મોદી સરકારના નિર્ણયથી 80 કરોડ પીએફ એકાઉન્ટ ધારકોને મોટો ઝાટકો લાગી શકે છે. કેન્દ્રની મોદી સરકાર PF ના વ્યાજ દરમાં કાપ મૂકવાની તૈયારી કરી રહી છે. નાણામંત્રાલયે કર્મચારી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનને PF વ્યાજદરને વાર્ષિક 8.65% થી ઘટાડવા માટે કહેવામાં આવ્યું છે. જો કે, ઇપીએફઓએ સ્પષ્ટતા કરી છે કે તે PF ના વ્યાજ દરમાં ઘટાડો કરશે નહીં.
આ પણ વાંચો: આ CVV નંબરથી લૂંટાઈ જાય છે તમારા પૈસા, જાણો કઈ રીતે રાખવા સુરક્ષિત

PF ના વ્યાજદરમાં ઘટાડો
પીએફના વ્યાજ દર સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. તે ઇપીએફઓ દ્વારા ચલાવવામાં આવે છે. હાલમાં, પીએફ એકાઉન્ટ ધારકોને 8.65% વ્યાજ મળે છે. ખાતાધારકોના પીએફને ઘટાડવા વિશે નાણામંત્રાલયે ઇપીએફઓને પ્રશ્ન પૂછ્યા હતા કે તેમની પાસે વ્યાજ ચૂકવવા માટે પૂરતા પ્રમાણમાં ભંડોળ છે. સરકાર વ્યાજના દરમાં ઘટાડો કરવા માંગે છે, પરંતુ ઇપીએફઓએ સ્પષ્ટ કર્યું છે કે તે વર્તમાન દરમાં કોઈ ફેરફાર કરવા માંગતા નથી. શ્રમ મંત્રાલય અને કર્મચારી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) નાણાકીય વર્ષ 2018-19માં પીએફ પર 8.65% વ્યાજ ચૂકવવાના પ્રસ્તાવ પર અડગ છે.

પીએફ એકાઉન્ટ ધારકોને મળી રાહત
ઇપીએફઓના બોર્ડે ઓફ ટ્રસ્ટીઓએ પર્યાપ્ત રકમ હોવાનો હવાલો આપી પીએફના વ્યાજ દરમાં ઘટાડો કરશે નહિ તેની સ્પષ્ટતા કરી છે. નાણાં મંત્રાલયે ચાલુ 2018-19માં પીએફ પર વ્યાજના દર વધારીને 8.65% આપવાની દરખાસ્તનો વિરોધ કરતા નિર્ણય પર ફરીથી નિર્ણય કરવાનું કહ્યું છે. નોંધપાત્ર રીતે, ઇપીએફઓએ 2017-18ના નાણાકીય વર્ષમાં પીએફ પર 8.55% વ્યાજ ચુકવ્યું હતું.

શું કારણ છે
નાણામંત્રાલયે વ્યાજના દરોમાં ઘટાડો કરવા માટે દલીલ કરી છે, પરંતુ ઇપીએફઓના ઘણા અધિકારીઓ વિરોધ પક્ષને નિયમિત પ્રતિભાવ તરીકે લેતા હોય છે. સૂત્રોનું માનીએ તો વધુ દરથી વ્યાજ આપવા છતાં ઇપીએફઓ પાસે 150 કરોડ રૂપિયાથી વધુ બાકી રહેશે. શ્રમ યુનિયનો ઇપીએફઓના નિર્ણયને પાછો ખેંચવાની તરફેણમાં નથી.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11










Click it and Unblock the Notifications
