Must Read: 1 જુલાઈથી બદલાઈ જશે બેંકો સાથે જોડાયેલા આ નિયમો, કેશ ઉપાડવી પણ પડશે મોંઘી, બદલાશે આ કોડ
જુલાઈ મહિનાની શરૂઆત થતા જ બેંકો સાથે જોડાયેલા ઘણા નિયમોમાં ફેરફાર થઈ જશે.
નવી દિલ્લીઃ જુલાઈ મહિનાની શરૂઆત થતા જ બેંકો સાથે જોડાયેલા ઘણા નિયમોમાં ફેરફાર થઈ જશે. તમારા ખાતા સાથે જોડાયેલા નિયમો બદલાઈ જશે. બેંક ખાતા કે એટીએમમાંથી કેશ ઉપાડવાથી લઈને બેંકના IFSC કોડ પણ બદલાઈ જશે. વળી, બેંકમાંથી નવી ચેકબુક લેવી પણ 1 જુલાઈથી મોંઘી થઈ જશે. એટલે કે 1 જુલાઈથી બેંકિંગ સેક્ટર સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર થઈ જશે. આ નિયમોની માહિતી ન હોવા પર તમને મુશ્કેલી થઈ શકે છે.

1 જુલાઈથી બદલાશે આ નિયમ
1 જુલાઈથી બેંકિંગ સેક્ટરમાં ઘણા ફેરફાર થવાના છે. બેંકોના સર્વિસ ચાર્જ બદલાવા જઈ રહ્યા છે. વળી, કેનેડા બેંકમાં વિલય થયા બાદ સિંડિકેટ બેંકના IFSC કોડમાં પણ ફેરફાર થઈ જશે. વળી, SBI અને એક્સિસ બેંકના એટીએમમાંથી નક્કી કરેલી સીમા પછી કેશ ઉપાડવા પર હવે પહેલાથી વધુ ચાર્જ વધારી દેવામાં આવ્યો છે. વળી, ચેકબુકના ચાર્જમાં પણ વધારો થયો છે.

બદલાઈ જશે IFSC કોડ
1 જુલાઈથી કેનેડા બેંકમાં વિલય થઈ ચૂકેલ સિંડિકેટ બેંકના IFSC કોડ બદલાઈ જશે. તમને જણાવી દઈએ કે ઑનલાઈન ટ્રાન્ઝેક્શન કે લેવડ-દેવડ માટે આ કોડની જરૂર પડે છે. IFSC કોડ વિના તમે NEFT, RTGS જેવા ટ્રાન્ઝેક્શન નહિ કરી શકો. 1 જુલાઈથી આ ગ્રાહકો માટે નવા IFSC કોડ જ માન્ય ગણાશે. સિંડિકેટ બેંકના ગ્રાહકો જૂના કોડથી લેવડ-દેવડ નહિ કરી શકે.

1 જુલાઈથી કેશ ઉપાડવી મોંઘી પડશે
જો તમારુ ખાતુ દેશની સૌથી મોટી બેક SBI હોય તો તમારા માટે 1 જુલાઈથી કેશ કાઢવી મોંઘી થઈ જશે. 1 જુલાઈથી નક્કી સીમા પછી જો બેંકની શાખામાં જઈને કે એટીએમથી કેશ કાઢશો તો તમારા પ્રત્યેક ટ્રાન્ઝેક્શન ઉપર 15 રૂપિયા પ્લસ જીએસટી લાગશે. તમને જણાવી દઈએ કે SBIના ગ્રાહક બ્રાંચ કે એટીએમ જઈને 4 વખત ફ્રી કેશ કાઢી શકશે.

ચેકબુકના ચાર્જમાં પણ વધારો
1 જુલાઈથી SBIમાંથી બીએસબીડી ખાતાધારકો માટે ચેકબુકના ચાર્જમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. 1 તારીખથી 10 લીવવાળી ચેકબુક માટે 40 રૂપિયા પ્લસ જીએસટી, 25 પાનાની ચેકબુક માટે 75 રૂપિયા પ્લસ જીએસટી આપવાનુ રહેશે. વળી, ઈમરજન્સી ચેકબુક માટે 10 પાનાવાળા માટે 50 રૂપિયા પ્લસ જીએસટી ચાર્જ આપવાનો રહેશે. તમને જણાવી દઈએ કે બેંકે સીનિયર સીટિઝન્સને છૂટ આપી છે.

એક્સિસ બેંકના ગ્રાહકો ધ્યાન આપે
1 જુલાઈથી એક્સિસ બેંકના ગ્રાહકો માટે નિયમો બદલાઈ જશે. બેંકે SMS એલર્ટ ચાર્જ વધારી દીધો છે. એસએમએસ એલર્ટ સર્વિસ માટે બેંકે ચાર્જ વધારી દીધો છે. આના માટે 1 જુલાઈથી લોકોને મહિનાના મહત્તમ 25 રૂપિયા ચૂકવવા પડશે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
