PF અકાઉન્ટને બે ભાગમાં વહેંચવામાં આવશે, જાણો ગણતરીનું નવો ફોર્મ્યુલા
નોકરી કરતા લોકો માટે મહત્વના સમાચાર છે. ભવિષ્ય નિધિ અકાઉન્ટને લગતા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે તમારું PF એકાઉન્ટ બે ભાગમાં વહેંચાયેલું છે. પીએફ પર વ્યાજની ગણતરી માટે ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવ્યો છે.
નવી દિલ્હી : નોકરી કરતા લોકો માટે મહત્વના સમાચાર છે. ભવિષ્ય નિધિ અકાઉન્ટને લગતા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે તમારું PF એકાઉન્ટ બે ભાગમાં વહેંચાયેલું છે. પીએફ પર વ્યાજની ગણતરી માટે ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવ્યો છે. જેના વિશે તમારે જાણવું જોઈએ. PF અકાઉન્ટને લગતા નવા નિયમો અનુસાર સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ વ્યાજની ગણતરી કરી છે. આ નવા ફોર્મ્યુલાના આધારે 2021-22ના નાણાકીય વર્ષ માટે વ્યાજની ગણતરી કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે નવા આવકવેરા નિયમોના આધારે પીએફ અકાઉન્ટમાં ફેરફાર માટે જાહેરનામું બહાર પાડ્યું છે. નવા આવકવેરા નિયમો હેઠળ જાહેરનામું બહાર પાડીને કેન્દ્ર સરકાર હવે પીએફ અકાઉન્ટમાં નિર્ધારિત મર્યાદા કરતા વધારે જમા પર કર લાદશે. CBDT એ આ અંગે સૂચના આપી છે. આ નવા નિયમ મુજબ હવે પીએફ અકાઉન્ટને બે ભાગમાં વહેંચવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, નવો નિયમ તે લોકો પર લાગુ થશે જેમના PF અકાઉન્ટમાં 2.5 લાખ રૂપિયાથી વધુ રકમ જમા કરે છે.
આવકવેરા નિયમોમાં ફેરફારને કારણે સરકારે પીએફ અકાઉન્ટને બે અલગ અલગ ભાગોમાં વહેંચવાનો નિર્ણય કર્યો છે. સરકારે જારી કરેલા નોટિફિકેશન અનુસાર પીએફ અકાઉન્ટ પર મળતા વ્યાજ પર પણ ટેક્સ લાગશે. હાલના નિયમ મુજબ પીએફમાં યોગદાન અને તેના પર મેળવેલા વ્યાજ કરના દાયરામાંથી બહાર છે, પરંતુ હવે ઉચ્ચ કમાણી કરનારાઓએ પીએફ યોગદાન અને તેના પર પ્રાપ્ત વ્યાજ પર કર ચૂકવવો પડશે. પ્રોવિડન્ટ ફંડ અકાઉન્ટ પર કર મુક્તિને કારણે, વધારે પગાર ધરાવતા લોકોને તેનો લાભ મળી રહ્યો હતો, પરંતુ સરકારના નવા ફોર્મ્યુલા સાથે તેમની કમાણી પર કરનો બોજ વધશે અને તેમની કમાણી પર સરકાર નજર રાખી શકાશે.

સરકારના નવા ઘોષમાએ ઓછી આવક ધરાવતા લોકોને ગભરાવાની જરૂર નથી. તે જ સમયે, લોકોની વાર્ષિક આવક 20 લાખથી વધુ છે, તેમને આ નિયમથી આંચકો લાગી શકે છે. બે ભાગમાં પીએફ અકાઉન્ટ સરકારે પીએફ યોગદાન અને વ્યાજ પર કર ચૂકવવાની સૂચના બહાર પાડી છે, ત્યારબાદ તમારું પીએફ અકાઉન્ટ બે ભાગમાં હશે. લોકોએ એક નિશ્ચિત મર્યાદામાંથી પીએફ અકાઉન્ટમાં જમા કરાયેલા વ્યાજ પર આવકવેરો લેવો પડશે. નોટિફિકેશન મુજબ 2.5 લાખ રૂપિયાથી વધુના યોગદાન પર ટેક્સ ચૂકવવો પડશે. નવા નિયમો અનુસાર હવે પીએફ એકાઉન્ટને બિન-કરપાત્ર પીએફ યોગદાન અને કરપાત્ર યોગદાન અકાઉન્ટમાં વહેંચવામાં આવશે. આ નિયમ દ્વારા સરકાર તે લોકો પર નજર રાખવામાં આવશે જેમની કમાણી વધું છે. લગભગ 1.23 લાખ આવા પીએફ સબ્સ્ક્રાઇબર્સ છે, જેમને પીએફ વ્યાજ પર કર લાભોનો લાભ લઈને વાર્ષિક રૂપિયા 50 લાખનો કરમુક્ત લાભ મેળવી રહ્યા હતા. આવા લોકો સરકારના નવા નિયમથી ચોંકી જશે.
આવકવેરા નિયમોમાં ફેરફારને કારણે સરકારે પીએફ અકાઉન્ટને બે અલગ અલગ ભાગોમાં વહેંચવાનો નિર્ણય કર્યો છે. સરકારે જારી કરેલા નોટિફિકેશન અનુસાર પીએફ અકાઉન્ટ પર મળતા વ્યાજ પર પણ ટેક્સ લાગશે.
હાલના નિયમ મુજબ પીએફમાં યોગદાન અને તેના પર મેળવેલ વ્યાજ કરના દાયરામાંથી બહાર છે, પરંતુ હવે ઉચ્ચ કમાણી કરનારાઓએ પીએફ યોગદાન અને તેના પર પ્રાપ્ત વ્યાજ પર કર ચૂકવવો પડશે. પ્રોવિડન્ટ ફંડ અકાઉન્ટ પર કર મુક્તિને કારણે, વધારે પગાર ધરાવતા લોકોને આનો લાભ મળી રહ્યો હતો, પરંતુ સરકારના નવા ફોર્મ્યુલા સાથે તેમની કમાણી પર કરનો બોજ વધશે અને તેમની કમાણી પર સરકાર નજર રાખી શકાશે.

ઉચ્ચ કમાણી કરનારાઓને ફટકો
સરકારની નવી જાહેરાતથી ઓછી આવક ધરાવતા લોકોને ગભરાવાની જરૂર નથી. જે લોકોની વાર્ષિક આવક 20 લાખથી વધુ છે, તેમને આ નિયમથી આંચકો લાગી શકે છે.
બે ભાગમાં પીએફ અકાઉન્ટ
સરકારે પીએફ યોગદાન અને વ્યાજ પર ટેક્સની ચુકવણી માટે જાહેરનામું બહાર પાડ્યું છે, ત્યારબાદ તમારું પીએફ ખાતું બે ભાગમાં વહેંચાઈ જશે. લોકોએ એક નિશ્ચિત મર્યાદામાંથી પીએફ અકાઉન્ટમાં જમા કરાયેલા વ્યાજ પર આવકવેરો લેવો પડશે. નોટિફિકેશન મુજબ 2.5 લાખ રૂપિયાથી વધુના યોગદાન પર ટેક્સ ચૂકવવો પડશે.
નિયમો અનુસાર, હવે પીએફ એકાઉન્ટને બિન-કરપાત્ર પીએફ યોગદાન અને કરપાત્ર યોગદાન અકાઉન્ટમાં વહેંચવામાં આવશે. આ નિયમ દ્વારા સરકાર તે લોકો પર નજર રાખશે જેઓ મોટી કમાણી કરે છે. લગભગ 1.23 લાખ આવા પીએફ સબ્સ્ક્રાઇબર્સ છે, જેઓ પીએફ વ્યાજ પર કર લાભોનો લાભ લઈને વાર્ષિક રૂપિયા 50 લાખનો કરમુક્ત લાભ મેળવી રહ્યા હતા. આવા લોકો સરકારના નવા નિયમથી ચોંકી જશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
