RBI એ ATM માંથી પૈસા ઉપાડવા, ફંડ ટ્રાન્સફર કરવાના નિયમોમાં ફેરફાર કર્યા
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ફરી એકવાર એટીએમ પર રોકડ જમા અને ઉપાડવા તથા ફંડ ટ્રાન્જેક્શનના નિયમોમાં ફેરફાર કર્યા છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ફરી એકવાર એટીએમ પર રોકડ જમા અને ઉપાડવા તથા ફંડ ટ્રાન્જેક્શનના નિયમોમાં ફેરફાર કર્યા છે. આરબીઆઈના નવા નિયમ બાદ એટીએમ દ્વારા ટ્રાન્ઝેક્શન કરનારા ગ્રાહકોને મોટી રાહત થશે. આરબીઆઈના નવા નિયમ હેઠળ ડેબિટ કાર્ડથી અથવા ઓનલાઇન ટ્રાંઝેક્શન ફેલ થવા પર આવનારી સમસ્યાથી છૂટકારો મેળવવા માટે એક નવો નિયમ જારી કર્યો છે.

ATM માંથી નાણાં ટ્રાન્સફર કરવા માટે નવો નિયમ
ઓનલાઇન વ્યવહાર કરતી વખતે જો તમારા ખાતામાંથી પૈસા કાપવામાં આવે તો તમારે ગભરાવાની જરૂર નથી, પરંતુ વેપારીને ચૂકવણી થઇ શકતી નથી અથવા એટીએમ કાર્ડ સ્વાઇપ કરતી વખતે તમારા ખાતામાંથી ફંડ કપાઈ જાય છે, પરંતુ વેપારીના ખાતામાં પહોંચતું નથી. આરબીઆઈએ આ અંગે કડક વલણ અપનાવ્યું છે અને આ માટે નવી માર્ગદર્શિકા નિર્ધારિત કરી છે.

ફેલ્ડ ટ્રાન્જેક્શન પર નવો નિયમ
ટર્નઆરાઉન્ડ ટાઇમ (TOT) પર જારી કરાઈ ગાઇડલાઈન્સમાં આરબીઆઈએ નિર્દેશ આપ્યો છે કે બેંકોએ 'ફેલ્ડ ડેબિટ કાર્ડ ટ્રાંઝેક્શન' ના મુદ્દાને પાંચ દિવસમાં ઉકેલીનો રહેશે. તે જ સમયે, આઇએમપીએસ સાથે સંકળાયેલા ફેલ્ડ ટ્રાન્જેક્શનની ફરિયાદોનું નિરાકરણ 1 દિવસમાં કરવું પડશે.
આરબીઆઈએ તમામ ચુકવણી ઓપરેટરોને ફેલ્ડ ટ્રાન્જેક્શનને નિર્ધારિત સમયમાં સમાધાન કરવાનો નિર્દેશ આપ્યો. એટલું જ નહીં, જો આ ફરિયાદોનું સમયમર્યાદામાં સમાધાન નહીં કરવામાં આવે તો બેંકોને નુકસાન ચૂકવવું પડશે.

બેંકોએ દંડ ભરવો પડશે
જો બેંકો નિર્ધારિત સમયમાં ફરિયાદોનો નિકાલ નહીં કરે તો ખાતામાંથી પૈસા કાપવામાં આવે છે અને એટીએમમાંથી રોકડ ન નીકળવા પર 5 દિવસથી વધુ મોડું થવા પર દિવસ દીઠ 100 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.
જો તમારા ખાતામાંથી પૈસા કપાઈ જાય અને મોકલવામાં આવેલા વ્યક્તિના ખાતામાં પૈસા નહીં પહોંચવા પર 1 દિવસથી વધુ વિલંબ માટે 100 રૂપિયા દંડ થશે. જો ખાતામાંથી પૈસા કપાયા પછી 5 દિવસ સુધી વેપારીને કન્ફર્મેશન ન મળવા પર બેંકને દરરોજ 100 રૂપિયા દંડ ભરવો પડશે. આઇએમપીએસ ટ્રાન્ઝેક્શન ફેલ થવા પર 1 દિવસના પછીના દિવસથી દરરોજ 100 રૂપિયા દંડ થશે.
આ પણ વાંચો: પહેલીવાર બેંક ક્રેડિટ ગ્રોથ રેટ 10%ની નીચે, RBIએ આંકડા જાહેર કર્યા
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
