આજથી બદલાઈ ગયા આ નિયમો, તમારા ખિસ્સા પર થશે અસર
આજથી બદલાઈ ગયા આ નિયમો, તમારા ખિસ્સા પર થશે અસર
નવી દિલ્હીઃ લૉકડાઉનને કારણે દેશમાં કામકાજ ઠપ છે. કોરોના વાયરસના કારણે આપણી જીવનશૈલીમમાં બદલાવ થયો છે. આપણા કામકાજ કરવાની રીતમાં બદલાવ આવ્યો છે. મોટાભાગના લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. લોકોની આવક પર અસર પડી છે. એવામાં જાણવું જરૂરી બની જાય છે કે તમે કેવી રીતે વધુમાં વધુ બચી શકો અને કોઈપણ દંડ, પેનલ્ટીથી બચી શકો. આના માટે નિયમોમાં થઈ રહેલ બદલાવો વિશે જાણવું જરૂરી છે. જણાવી દઈએ કે 1 મેથી નવા નિયમો લાગૂ થઈ રહ્યા છે. કેટલાય નિયમોમાં બદલાવ થઈ રહ્યા છે. એટીએમ, બેંકિંગ, એસબીઆઈ, પીએનજી, ઈનકમ ટેક્સ સહિત કેટલાય નિયમોમાં આજે બદલાવ થઈ રહ્યો છે. લૉકડાઉનને પગલે ટ્રેન અને હવાઈ સેવાઓ પ્રતિબંધિત છે પરંતુ આની સાથે જોડાયેલા નિયમોમાં પણ બદલાવ આવ્યો છે. આવો જાણીએ 1 મેથી કયા કયા નિયમો બદલાઈ રહ્યા છે અને તેની શું અસર પડશે.

1 મેથી એસબીઆઈનો વ્યાજદર બદલી જશે
1મેથી એસબીઆઈ ખાતાધારકો માટે નિયમોમાં મોટો બદલાવ થવા જઈ રહ્યો છે. 1 મેથી એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના વ્યાજદરમાં બદલાવ થઈ રહ્યો છે. 1 મેથી એક લાખથી વધુ બચત જમા ખાતામાં વ્યાજ દર ઘટાડી રહી છે. જ્યારે નવા લૉનધારકોને હવે પહેલાથી ઓછા દરે લોન મળશે. આરબીઆઈએ એપ્રિલ મહિનામાં રેપો રેટમાં કટોતી કરી, જેને પગલે બચત જમા કરી. વ્યાજ દરમાં બદલાવ થયો. જણાવી દઈએ કે એસબીઆઈ પહેલી બેંક છે, જેણે એક્સટર્નલ બેંચમાર્ક રૂલ્સ લાગૂ થતા બચત જમા અને અલ્પાવધિ વ્યાજ દરને રેપો રેટ સાથે જોડ્યો છે.

PNB ખાતાધારકો માટે આ નિયમ બદલાઈ ગયા
જ્યારે પંજાબ નેશનલ બેંકના ખાતાધારકો માટે આજે મોટો નિયમ બદલાઈ ગયો છે. 1 મેથી પીએનબીની પેમેન્ટ વોલેટ સેવા PNB Kitty Wallet બંધ થઈ ગઈ છે. 30 એપ્રિલ સુધી આ ખાતાધારકો માટે ઓપન રાખવામાં આવ્યું હતું. અડધી રાત બાદ આ બંધ કરી દેવામાં આવ્યું. જણાવી દઈએ કે પીએનબીના આ Kitty Wallet ખાતાધારકોને ડિજિટલ પેમેન્ટની સુવિધા મળી રહી હતી. બેંકે આ સેવાને ડિસેમ્બર 2016માં શરૂ કરવામાં આવી હતી.

ATM સાથે જોડાયેલ નિયમોમાં બદલાવ
લૉકડાઉન અને કોરોના સંકટ વચ્ચે સાફ સફાઈ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કોરોના સંક્રમણને રોકવા માટે એટીએમ માટે નવા નિયમ બનાવવામાં આવ્યા છે. નવા નિયમ મુજબ એટીએમના દરેક ઉપયોગ બાદ તેને સંક્રમણ મુક્ત કરવા માટે સાફ કરવામાં આવશે. ગાઝિયાબાદ અને ચેન્નીથી તેની શરૂઆત પણ થઈ ચૂકી છે. જો આ માનવામાં નહિ આવ્યું તો એટીએમ ચેમ્બરને સીલ કરી દેવામાં આવશે.

બોર્ડિંગ સ્ટેશન બદલવાની છૂટ
લૉકડાઉનને કારણે ટ્રેનનું પરિવહન ભલે બંધ છે, પરંતુ આજેથી રેલવેના મોટા નિયમોમાં બદલાવ થયો છે. સેવા શરૂ થતા જ આ નિયમ લાગૂ થઈ જશે. નવા નિયમ મુજબ 1 મેથી રેલવેમાં સફર કરનાર યાત્રી રિઝર્વેશન ચાર્ટ નીકકળી ગયાના 4 કલાક પહેલા સુધી બોર્ડિંગ સ્ટેશનને બદલી શકે છે. જણાવી દઈએ કે વર્તમાનમાં રેલવેના નિયમો મુજબ યાત્રી પોતાના બોર્ડિંગ સ્ટેશનને યાત્રાની તારીખથી 24 કલાક પહેલા જ બદલી શકાયું હતું, પરંતુ હવે આને 4 કલાક પહેલા સુધી કરી શકાય છે.

એરલાયન્સ માટે નિયમ બદલાયો
1 મેથી એર ઈન્ડિયાના તમામ યાત્રીઓની ટિકિટ રદ્દ કરાવવા પર કોઈ એક્સટ્રા ચાર્જ નહિ આપવો પડે. કંપની 1 મેથી યાત્રાની 24 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરાવવા અથવા બદલાવ કરવા પર કેન્સલ ચાર્જને રદ્દ કરી દીધો છે.

મેટ્રોમાં એન્ટ્રીના નિયમ બદલાઈ જશે
કોરોના વાયરસના કારણે દેશભમાં મેટ્રોમાં એન્ટ્રીના નિયમોમાં બદલાવ આવ્યો છે. નવા નિયમો અંતર્ગત માત્ર કોન્ટેક્ટલેસ સ્માર્ટ કાર્ડ દ્વારા જ યાત્રાની મંજૂરી આપવામાં આવી શકે છે. ટોકન સિસ્ટમ બંધ કરી દેવામાં આવશે. જ્યારે યાત્રા દરમિયાન માસ્ક અને આરોગ્ય સેતુ એપ ફરજિયાત હશે. સોશિયલ ડિસ્ટેન્સિંગનું પણ પાલન કરવું ફરજિયાત હશે. સ્ક્રીનિંગ વિના મેટ્રોમાં પ્રવેશ નહિ મળે.
-
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11










Click it and Unblock the Notifications
