રેલ્વે તમને 50 રૂપિયામાં ભરપેટ ભોજન આપશે, જાણો શું છે તૈયારી
ભારતીય રેલ્વે હવે ટ્રેનમાં મળતું ખાવાનું બદલવાની તૈયારી કરી રહ્યું છે. આ પરિવર્તન સાથે, મુસાફરો પોતાનું મનપસંદ ખાવાનું મળી શકશે.
ભારતીય રેલ્વે હવે ટ્રેનમાં મળતું ખાવાનું બદલવાની તૈયારી કરી રહ્યું છે. આ પરિવર્તન સાથે, મુસાફરો પોતાનું મનપસંદ ખાવાનું મળી શકશે. રેલવે ટૂંક સમયમાં નવી કેટરિંગ પોલિસી લાવવા જઈ રહી છે. જી હા, ભારતીય રેલ્વે મુસાફરોને સારી સુવિધા આપવા માટે ટ્રેનમાં ઉપલબ્ધ ખાવાનામાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. રેલવે ટૂંક સમયમાં નવી કેટરિંગ પોલિસી લાવવા જઈ રહી છે. આ પોલિસી અંતર્ગત, ટ્રેનમાં વર્ગ મુજબ અલગ અલગ ખોરાક મળશે. નવી કેટરિંગ પોલિસીમાં કોમ્બો મીલ્સનો સમાવેશ કરવામાં આવશે. આ સાથે, ખાદ્યપદાર્થોના ન્યૂનતમ ભાવ રૂપિયા 40 થી 250 સુધી નક્કી કરવાની તૈયારી ચાલી રહી છે.

આ વસ્તુઓ ફક્ત 40-50 રૂપિયામાં મળશે
રેલ્વે બોર્ડના અધ્યક્ષ વિનોદકુમાર યાદવે કહ્યું કે રેલ્વે આ દિશામાં એક પોલિસી બનાવી રહી છે. આ પોલિસી ટૂંક સમયમાં અમલમાં આવશે. આ પોલિસી અંતર્ગત, જો કોઈ મુસાફરને 40-50 રૂપિયામાં ખોરાક લેવો પડે, તો તેને પુરી-શાક, છોલે ભટુરે, રાજમા ચાવલ અથવા કાઢી ચાલના વિકલ્પો આપવામાં આવશે.

રેલ્વે ઇ-કેટરિંગના વિસ્તરણમાં સતત આગળ વધવાનું ચાલુ રાખ્યું છે
બીજી તરફ, જો મુસાફરોને આખી પ્લેટ અથવા ખોરાકમાં વધુ વિવિધતા જોઈએ છે, તો તેના માટે 200-250 રૂપિયા લેવામાં આવશે. બંને ખાવાનામાં ગુણવત્તાની કાળજી લેવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ઓછા પૈસામાં ઘણી વેરાયટી આપી શકાતી નથી, તેથી દરેક વર્ગનું ધ્યાન રાખીને પછી આ નીતિ પર કામ કરવામાં આવી રહ્યું છે. રેલવેનું સીધું ધ્યાન ઇ-કેટરિંગ અથવા ઓર્ડર સિસ્ટમ્સ પરના ફૂડને લાગુ કરવાનું છે. તેનું લક્ષ્ય લગભગ દરેક સ્ટેશન, દરેક ટ્રેન સુધી પહોંચવું છે. આ સાથે, રેલ્વે બોર્ડના અધ્યક્ષના જણાવ્યા મુજબ, 2022 સુધીમાં 40 વંદે ભારત ટ્રેનોનું નિર્માણ કરવામાં આવશે. અત્યારે આ ટ્રેન દિલ્હીથી વારાણસી વચ્ચે દોડી રહી છે.

ડિસેમ્બર સુધીમાં નવી નીતિ આવી શકે છે
વરિષ્ઠ રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર રેલ્વે ડિસેમ્બર પહેલા નવી કેટરિંગ નીતિ લાગુ કરી શકે છે. આ નીતિ તૈયાર કરવા માટે ઘણું કામ કરવામાં આવ્યું છે. નીતિમાં એ પણ ધ્યાનમાં લેવામાં આવી રહ્યું છે કે મુસાફર ખોરાક માટે જેટલો ખર્ચ કરે છે, તેણે તેનું બિલ ચોક્કસપણે મળે.
આ પણ વાંચો: ટ્રેનમાં મુસાફરી કરો છો, પણ શું આ અધિકાર વિશે ખબર છે
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી







Click it and Unblock the Notifications
