એશિયા, લેટિન અમેરિકા અમારો વ્યાપાર-ટાર્ગેટ છે: તાતા ગ્રુપ

રતન તાતાના રિટાયર્નમેન્ટ બાદ તાતા ગ્રુપના ચેરમેન સાઇરસ મિસ્ત્રીએ જણાવ્યું કે અમે ભારત અને ભારતની બહાર અમારો વ્યાપાર વિસ્તારવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ. તેમણે જણાવ્યું કે તાતા ગ્રુપને પોતાના શેર ધારકોને સાથે લઇને ચાલવું પડશે જેના કારણે લોકોનો ભરોસો અમારી પર બની રહે. તેમણે કર્મચારીઓને લખેલા પત્રમાં પોતાની આગામી યોજનાઓ અંગે જાણકારી આપી છે.
ભારતમાં વ્યાપારની સંભાવનાઓ અંગે સાઇરસે જણાવ્યું કે ભારત રોકાણ કરવા માટે ઉત્તમ છે અને સરકારે રોકાણ કરવા માટે જે પગલા ભર્યા છે તે પ્રશંસનીય છે. તેમણે એ પણ કહ્યું કે કંપનીની લીડરશીપમાં પરિવર્તન થવા ઉપરાંત તાતા ગ્રુપની મૂળ ભાવનામાં કોઇ ફેરફાર નહી થાય કારણકે ભાવના જ અમને અન્યોથી અલગ પાડે છે અને સારુ કરવાની પ્રેરણા આપે છે.
સાઇરસ મિસ્ત્રીએ હાલમાં જ તાતા ગ્રુપના ચેરમેનનુ પદ સંભાળ્યું છે. તેઓ રતન તાતાના ઉત્તરાધિકારી છે. તાતા ગ્રુપનો વ્યાપાર દેશ વિદેશમાં ફેલાયેલો છે. તાતા સામાન્ય માણસને ઉપયોગમાં આવે તેવી પ્રોડક્ટ બનાવે છે. જે ભારતનું એક પ્રતિષ્ઠિત અને સમ્માનિત બિઝનેસ ગ્રુપ છે.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
