વિલિનીકરણ શું છે? કંપનીઓ શા માટે વિલય કરે છે?
કોર્પોરેટ ન્યુઝમાં આપણને અવારનવાર કંપનીઓનું મર્જર એટકે કે કંપનીઓનું વિલિનીકરણ શબ્દ કાને પડે છે. તાજેતરમાં આપણે કોટક મહિન્દ્ર બેંક અને ING વૈશ્ય બેંકના વિલિનીકરણના સમાચાર સાંભળ્યા છે કે વાંચ્યા છે. આ કારણે વિલિનીકરણ વાસ્તવમાં શું છે અને કંપનીઓ શા માટે વિલિનીકરણ કરે છે તે જાણીએ...
મર્જર ત્યારે કરવામાં આવે છે જ્યારે બે કે તેથી વધારે કંપનીઓ એક થઇને તેમના બિઝનેસને વધારવા માંગે, તે તેનું વિસ્તરણ કરવા માંગે છે.આમ કરવાથી તેમનો નફો વધે છે. મરજિંગની શરતો મૈત્રીપૂર્ણ હોય છે. નવી કંપનીમાં બંને કંપનીઓ નફો સરખા હિસ્સે વહેંચે છે.
મર્જરના કેટલાક પ્રકારો છે જે આ મુજબ છે...

હોરિઝોન્ટલ મર્જર
હોરિઝોન્ટલ મર્જર ત્યારે થાય છે જ્યારે બે કંપનીઓ એક જ પ્રોડક્ટ કે સેવા પ્રદાન કરતી હોય અને માર્કેટમાં સ્પર્ધા ઘટાડવા માટે મર્જર કરે.
વર્ટિકલ મર્જર
બે અલગ અલગ ક્ષેત્રની કંપનીઓ વચ્ચે મર્જર થાય ત્યારે તેને વર્ટિકલ મર્જર તરીકે ઓળખવામાં આવે છે. વેલ્યુ ચેઇનમાં પણ બંને કંપનીઓ અલગ અલગ સ્થિતિમાં હોય છે. જેમ કે સપ્લાયર અને કસ્ટમર. જ્યારે સપ્લાયર કસ્ટમરને હસ્તગત કરે ત્યારે તે ફોરવર્ડ ઇન્ટેગ્રેશનનું ઉદાહરણ છે. જ્યારે કસ્ટમર સપ્લાયરને હસ્તગત કરે ત્યારે તેને બેકવર્ડ ઇન્ટિગ્રેશન કહે છે.
કોંગ્લોમરેટ કે ડાયાગોનલ મર્જર
આવું મર્જર ત્યારે કરવામાં આવ છે જ્યારે બે કંપનીએ એક જ બિઝનેસમાં કે સમાન ઉત્પાદન બનાવતા ના હોય. પરંતુ તેઓ પોતાના બિઝનેસનું ડાયવર્સિફિકેશન કરવા માંગતા હોય.
રિવર્સ મર્જર
સામાન્ય રીતે નાની કે નબળી કંપની મોટી કે શક્તિશાળી કંપનીમાં ભળે છે. પણ જ્યારે આવનાથી ઊલટું બને છે ત્યારે તેને રિવર્સ મર્જર કહેવામાં આવે છે.
કંપનીઓ મર્જર ક્યારે કરે છે?
જ્યારે પણ કંપની નવા માર્કેટમાં પ્રવેશે ત્યારે જોખમ ઓછું કરવા માટે મર્જરનો વિકલ્પ પસંદ કરે છે. દરેક કંપનીઓ માટે વિવિધ દેશોના વિવિધ માર્કેટમાં સીધો પ્રવેશ કરવો મુશ્કેલ હોય છે. આ કારણે કંપની જે તે દેશની કંપની સાથે મર્જર ઇચ્છે છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
