ગુજરાતના વેપારીઓ ઇ કોમર્સથી શા માટે ત્રાસ્યા છે?
અમદાવાદ, 13 નવેમ્બર : ગુજરાતના વેપારીઓ માટે ઇ કોમર્સ માથાનો દુ:ખાવો બની રહ્યું છે. ગુજરાતના વેપારીઓની ફરિયાદ છે કે ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓ તેમની સાથે પક્ષપાત કરી રહી છે. તેઓ ઓનલાઇન એટલે કે ઇ કોમર્સ કંપનીઓને લાભ આપી રહી છે, જેના કારણે ગુજરાતમાં રિટેલ વેપારીઓનું વેચાણ ઘટ્યું છે.
ગુજરાતના વેપારીઓ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો બનાવતી કંપનીઓને ધમકી આપે છે કે જો આઇટી ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓનો ઇ-કોમર્સ કંપનીઓ તરફ પક્ષપાત બંધ નહીં કરે તો ઉત્પાદક કંપનીઓનો બહિષ્કાર કરવામાં આવશે.
ખરીદી વધી હોવા છતાં ઇ-કોમર્સ સાઇટ્સ પરના જંગી ડિસ્કાઉન્ટ્સના કારણે છૂટક વેપારીઓનો બિઝનેસ છેલ્લાં લગભગ દોઢ વર્ષમાં લગભગ 50 ટકા ઘટ્યો છે. આ ગેરવાજબી ડિસ્કાઉન્ટ્સથી લાંબા ગાળે પારંપરિક રિટેલર્સનો છેદ ઊડતાં ઇ-કોમર્સની મોનોપોલી સર્જાશે અને પછી કંપનીઓ મનસ્વી ધોરણે ભાવ નક્કી કરશે તેવો આક્ષેપ વેપારીઓએ કર્યો છે.

આ સાથે તેમણે સરકારને કેવી રીતે નુકસાન થઇ રહ્યું છે તે પણ જણાવ્યું હતું. ઇ-કોમર્સના સોદા પર વેટ ન હોવાથી સરકારી તિજોરીને પણ ફટકો પડ્યો હોવાનું તેમણે જણાવ્યું છે.
ગુજરાતમાં આઇટી ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓના વેપારીઓની છત્ર સંસ્થા ફેડરેશન ઓફ આઇટી એસોસિયેશન્સ ઓફ ગુજરાત (ફિટાગ)ના પ્રમુખ ગૌરવ વ્યાસે જણાવ્યું હતું કે, "છૂટક બજાર કરતાં 35 ટકા ડિસ્કાઉન્ટ પર કંપનીઓ ઇ-કોમર્સ પર માલ વેચતી હોવાથી વેપારીઓનો ધંધો દોઢ વર્ષમાં રૂપિયા 60-80 કરોડથી ઘટીને રૂપિયા 30-35 કરોડ થયો છે.
આઇટી ઇલેક્ટ્રોનિક્સ પ્રોડ્ક્ટસના વેચાણમાં ઇ-કોમર્સનો હિસ્સો 1 ટકાથી વધીને દોઢ જ વર્ષમાં 19 ટકા થયો છે. અત્યાર સુધી કંપનીઓની વૃદ્ધિમાં અમે ભાગીદાર રહ્યા હતા. હવે તે અમને પડતા મૂકી રહી છે."
વેપારીઓને થયેલા નુકસાન ઉપરાંત સરકારી તિજોરીને પણ માર પડી રહ્યો છે કારણ કે પારંપરિક ખરીદીથી વિપરીત ઇ-કોમર્સમાં વેટ લાગતો નથી. આ તમામ બાબતો અંગે સરકારમાં વિવિધ સ્તર પર તેમજ ભારતમાં વેપારમાં વાજબીપણું રહે તેનું ધ્યાન રાખતી કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)માં રજૂઆત કરવામાં આવશે.
આઇટી ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓને પણ રજૂઆત કરવામાં આવી છે અને 17 નવેમ્બર સુધીમાં તેઓ પોતાનું વલણ જાહેર નહીં કરે તો દુકાનોમાં તેમની પ્રોડક્ટ્સનો બહિષ્કારની ધમકી પણ આપવામાં આવી છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ






Click it and Unblock the Notifications
