અજબ કિસ્સાઃ 150-200 વર્ષ પછી કહેવામાં આવ્યું સોરી
વિશ્વ ભરના ઇતહિસમાં આપણે ડોકિયુ કરીએ તો આપણી સમક્ષ ઘણી બધી એવી ભૂલો અથવા તો ક્ષતિ ધ્યાનમાં આવી જતી હોય છે કે જેને લઇને જે તે સમયે ભૂલ કરનારાઓ દ્વારા માફી માગવામાં આવી નથી હોતી.
આવી જ કેટલીક ભૂલોમાં સૌથી જાણીતો કિસ્સો ગેલેલિયોનો છે. ગેલેલિયો દ્વારા 1632મા કહેવામાં આવ્યું હતું કે પૃથ્વી સૂર્યને ગોળ ફરે છે, પરંતુ જે તે સમયે લોકોએ તેમની વાતનો વિશ્વાસ નહોતો કર્યો અને તેમને સજા ફટકારવામાં આવી હતી, જો કે 2000માં ભૂલ સમજાય હતી અને કેથોલિક ચર્ચ દ્વારા માફી માગવામાં આવી હતી.
આવા જ કેટલાક કિસ્સાઓ આજે અમે અહીં તમને જણાવી રહ્યાં છીએ. જેમાં કરવામાં આવેલી ભૂલની માફી અનેક વર્ષો વીતિ ગયા પછી માગવામાં આવી હતી, તો ચાલો તસવીરો થકી જાણીએ કે આ ભૂલો કઇ-કઇ હતી.

ગેલેલિયો અને કેથોલિક ચર્ચ
1632માં વિટેકનના રહેવાસી ગેલેલિયો દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે, સૂર્ય અને પૃથ્વી એકબીજાના ચક્કર વારાફરતી લગાવતા નથી, પરંતુ પૃથ્વી જ સૂર્યને ફરતે ચક્કર લગાવે છે. તેમની આ વાત માનવામા આવી નહીં અને 1633માં તેમને થાંભલા સાથે બાંધીને જીવતા સળગાવી દેવામાં આવ્યા. જો કે, અનેક સંશોધનો થયા અને બાદમાં વૈજ્ઞાનિકોએ પણ માન્યુ કે પૃથ્વી સૂર્યને ફરતે ચક્કર લગાવે છે તે વાત સાચી છે. આ વાતનો ખુલાસો થયા બાદ કેથોલિક ચર્ચે છેક 2000માં ગેલેલિયોની માફી માગવામાં આવી હતી.

ગુલામીવાળી માનસિકતા બદલ માફી
અમેરિકામાં વર્ષો પહેલા આફ્રિકન્સ અને આફ્રિકન્સ અમેરિકનો માટે ગુલામીવાળી માનસિકતા રાખવામાં આવતી હતી અને તેમની સાથે જાતીય દૂર્વવ્યવહાર કરવામાં આવતો હતો. પરંતુ 250 વર્ષ બાદ એટલે કે 2009માં ઓબામા અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ, સેનેટમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો અને તેમાં આ પ્રકારની માનસિકતા બદલ માફી માગવામાં આવી હતી.

મૂળ વંશજોને ભૂલાવી દેવાના પ્રયાસનો પસ્તાવો
ઓસ્ટ્રેલિયાના મૂળ વંશજોનો ભૂલાવી દેવાનો પ્રયાસ છેલ્લા અનેક વર્ષોથી કરવામાં આવતો હતો. જે વાતને ધ્યાનમાં રાખીને 2008માં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન બનેલા કેવિન રૂડ્ડે સૌપ્રથમ પોતાની ઓફિસમાં પગ મુકતાની સાથે જ આ અંગે ક્રાન્તિકારી પગલું ભર્યું હતું અને ઓસ્ટ્રેલિયાના મૂળ વંશજોની માફી માગી હતી. ત્યારબાદ 2008માં જ કેનેડિયન પ્રધાનમંત્રીએ પણ કેનેડાના મૂળ વંશજને ભૂલાવી દેવાના કરવામાં આવેલા પ્રયાસ બદલ માફી માગી હતી.

ઇંગ્લિશ મિશનરીને ખાઇ જવા બદલ માફી
2003માં નુબુતાઉતાઉ, ફિજી દ્વારા એક સેરેમની દરમિયાન પોતાના પૂર્વજો દ્વારા કરવામાં આવેલી એક ભૂલ બદલ માફી માગી હતી. તેમના પૂર્વજોએ 1867માં ઇંગ્લિશ મિશનરીની હત્યા કરી, રોસ્ટિંગ કરીને ખાઇ ગયા હતા.

ન્યુયોર્ક ટાઇમ્સે માફી માગી
2011મા ન્યુયોર્ક ટાઇમ્સ દ્વારા મિલ્ટન સ્ચ્વેંક(Milton Schwenk)ની અવસાન નોંધમાં સુધારો કર્યો હતો. આ વ્યક્તિનું મોત 1899માં થયું હતું. જે તે સમયે ન્યુયોર્ક ટાઇમ્સ દ્વારા જે અવસાન નોંધ પ્રકાશિત કરવામાં આવી હતી, તેમાં ભુલ હતી, તેથી ન્યુયોર્ક ટાઇમ્સે 2011માં સોરી Lt. Schwenk કહીં લખ્યું હતું કે, Lt. M. K. Schwenkનું પહેલુ નામ Melton નહીં પરંતુ Milton છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
