કેજરીવાલ નહી અજય રાય આપશે નરેન્દ્ર મોદીને આકરી ટક્કર
વારાણસી, 21 એપ્રિલ: અરવિંદ કેજરીવાલનો નારો છે, ' અગર દેશ બચાના હૈ તો મોદી કો હરાના હૈ'. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા આખા વારાણસીમાં ફરી ફરીને નારા લગાવી રહ્યાં છે, પરંતુ ધર્મ તથા જાતિય સમીકરણ જોઇએ તો અરવિંદ કેજરીવાલ વારાણસીમાં ત્રીજા સ્થાને રહેવાના છે, કારણ કે પહેલાં અને બીજા સ્થાન માટે નરેન્દ્ર મોદી અને અજય રાય વચ્ચે જંગ જામશે.
જી હાં દિલ્હીમાં શીલા દીક્ષિતને હરાવ્યા બાદ અરવિંદ કેજરીવાલને એવું લાગે છે કે તે વારાણસીમાં નરેન્દ્ર મોદીને હરાવી દેશે. રસપ્રદ વાત એ છે કે આખું મીડિયા વારાણસીની જનતા, ખાસ કરીને મુસલમાનો પાસેથી એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે તે કોને વોટ આપશે. એવામાં વનઇન્ડિયાએ પણ વારાણસીનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો તો અલગ-અલગ સમીકરણ જોવા મળ્યા. આ સમીકરણ કોંગ્રેસ માટે સારા, પરંતુ આપ માટે ઉદાસી ભર્યા છે.
જો હિન્દુ મુસ્લિમ વોટ જોઇએ તો આ વખતે વારાણસીના 3 લાખ 30 હજાર મુસલમાનોમાં મોટાભાગના કોંગ્રેસ અજય રાયને પોતાના નેતા પસંદ કરવાનું મન બનાવી લીધું છે, જ્યારે હિન્દુઓમાં એક વર્ગ એવો છે, જેની વસ્તી ઘણી વધુ છે. તે વર્ગ રખેપુનો છે, જેની સંખ્યા 1 લાખ 80 હજારની આસપાસ છે.
અજય રાયના રાજકીય ઇતિહાસની વાત કરીએ તો અજય રાય વારથી વધુ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. ખાસ વાત એ છે કે અજય રાય જ્યારે-જ્યારે અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા, ત્યારે-ત્યારે જીત્યા. 2012માં સપાની ટિકીટ પર લડ્યા તો હારી ગયા, આ વખતે ટિકીટ કોંગ્રેસની છે. જવા દો હાર જીત તો 16 મેના રોજ નક્કી થશે, પરંતુ મુખ્તાર અંસારી મેદાનથી હટી ચૂક્યાં છે, એટલા માટે અજય રાયને મજબૂતી મળી શકે છે.

જાતિવાદ કે વિકાસ
અમે જ્યારે વારાણસીની ગલીઓની મુલાકાત કરી તો રેલવે સ્ટેશનથી નિકળતાં તમે જમણી તરફ જુઓ કે ડાબી તરફ, બંને તરફ તૂટેલા રસ્તા અને પાતળી ગલીઓમાં ટ્રાફિક જામ. ગંગા નદીના ઘાટો પર અવ્યવસ્થા અને સાથે જ સુરક્ષાનો અભાવ. ગંદકી ચરમ પર છે અને નાની-નાની ગલીઓમાં કચરા ઢગલાઓમાં મચ્છરોનો આતંક વધી રહ્યો છે.
વારાણસી જે એક સમયે એજ્યૂકેશન હબ ગણાતું હતું, આજે અહીં સંસ્થાઓમાં (આઇઆઇટી-બીચયૂને બાદ કરતાં) અભ્યાસનું ધોરણ ઘટતું જાય છે. એવામાં હવે જોવાનું એ છે કે વારાણસીની જનતા જાતિ કે ધર્મને મહત્વ આપે છે કે વિકાસને.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
