કેજરીવાલ નહી અજય રાય આપશે નરેન્દ્ર મોદીને આકરી ટક્કર
વારાણસી, 21 એપ્રિલ: અરવિંદ કેજરીવાલનો નારો છે, ' અગર દેશ બચાના હૈ તો મોદી કો હરાના હૈ'. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા આખા વારાણસીમાં ફરી ફરીને નારા લગાવી રહ્યાં છે, પરંતુ ધર્મ તથા જાતિય સમીકરણ જોઇએ તો અરવિંદ કેજરીવાલ વારાણસીમાં ત્રીજા સ્થાને રહેવાના છે, કારણ કે પહેલાં અને બીજા સ્થાન માટે નરેન્દ્ર મોદી અને અજય રાય વચ્ચે જંગ જામશે.
જી હાં દિલ્હીમાં શીલા દીક્ષિતને હરાવ્યા બાદ અરવિંદ કેજરીવાલને એવું લાગે છે કે તે વારાણસીમાં નરેન્દ્ર મોદીને હરાવી દેશે. રસપ્રદ વાત એ છે કે આખું મીડિયા વારાણસીની જનતા, ખાસ કરીને મુસલમાનો પાસેથી એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે તે કોને વોટ આપશે. એવામાં વનઇન્ડિયાએ પણ વારાણસીનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો તો અલગ-અલગ સમીકરણ જોવા મળ્યા. આ સમીકરણ કોંગ્રેસ માટે સારા, પરંતુ આપ માટે ઉદાસી ભર્યા છે.
જો હિન્દુ મુસ્લિમ વોટ જોઇએ તો આ વખતે વારાણસીના 3 લાખ 30 હજાર મુસલમાનોમાં મોટાભાગના કોંગ્રેસ અજય રાયને પોતાના નેતા પસંદ કરવાનું મન બનાવી લીધું છે, જ્યારે હિન્દુઓમાં એક વર્ગ એવો છે, જેની વસ્તી ઘણી વધુ છે. તે વર્ગ રખેપુનો છે, જેની સંખ્યા 1 લાખ 80 હજારની આસપાસ છે.
અજય રાયના રાજકીય ઇતિહાસની વાત કરીએ તો અજય રાય વારથી વધુ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. ખાસ વાત એ છે કે અજય રાય જ્યારે-જ્યારે અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા, ત્યારે-ત્યારે જીત્યા. 2012માં સપાની ટિકીટ પર લડ્યા તો હારી ગયા, આ વખતે ટિકીટ કોંગ્રેસની છે. જવા દો હાર જીત તો 16 મેના રોજ નક્કી થશે, પરંતુ મુખ્તાર અંસારી મેદાનથી હટી ચૂક્યાં છે, એટલા માટે અજય રાયને મજબૂતી મળી શકે છે.

જાતિવાદ કે વિકાસ
અમે જ્યારે વારાણસીની ગલીઓની મુલાકાત કરી તો રેલવે સ્ટેશનથી નિકળતાં તમે જમણી તરફ જુઓ કે ડાબી તરફ, બંને તરફ તૂટેલા રસ્તા અને પાતળી ગલીઓમાં ટ્રાફિક જામ. ગંગા નદીના ઘાટો પર અવ્યવસ્થા અને સાથે જ સુરક્ષાનો અભાવ. ગંદકી ચરમ પર છે અને નાની-નાની ગલીઓમાં કચરા ઢગલાઓમાં મચ્છરોનો આતંક વધી રહ્યો છે.
વારાણસી જે એક સમયે એજ્યૂકેશન હબ ગણાતું હતું, આજે અહીં સંસ્થાઓમાં (આઇઆઇટી-બીચયૂને બાદ કરતાં) અભ્યાસનું ધોરણ ઘટતું જાય છે. એવામાં હવે જોવાનું એ છે કે વારાણસીની જનતા જાતિ કે ધર્મને મહત્વ આપે છે કે વિકાસને.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
