Diwali 2022: દિવાળીની સફાઈ કરતી વખતે ઘરમાંથી આ વસ્તુઓને ફેંકો બહાર, નહિતર આવશે બદનસીબી!
દિવાળી પહેલા કેટલીક વસ્તુઓનો ત્યાગ કરવો જરૂરી છે. જો તમે તેને ઘરમાંથી દૂર ન કરો તો નકારાત્મકતા હાવી થઈ જાય છે.
દિવાળી પર આપણુ ઘર સ્વચ્છ, સુંદર અને સજાવીને રાખવામાં આવે છે. ઉત્સવનો માહોલમાં ઘરને રોશનીથી સજાવવામાં આવે છે. દિવાળીમાં સ્વચ્છતાનુ વિશેષ મહત્વ છે. એવુ માનવામાં આવે છે કે સ્વચ્છ ઘર પર મા લક્ષ્મીની કૃપા હોય છે. રોજિંદા જીવનમાં લોકો તેમના ઘરમાં નકામી વસ્તુઓ ભેગી કરી લેતા હોય છે. જેમાંથી ઘણી વસ્તુઓ કામની નથી હોતી. દિવાળી પહેલા કેટલીક વસ્તુઓનો ત્યાગ કરવો જરૂરી છે. જો તમે તેને ઘરમાંથી દૂર ન કરો તો નકારાત્મકતા હાવી થઈ જાય છે.

તૂટેલો કાચ દૂર્ભાગ્યનુ પ્રતીક
વાસ્તુ અનુસાર તૂટેલા કાચથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. જો તમે દિવાળી પર ઘરની સફાઈ કરી રહ્યા હોવ તો તૂટેલા કાચને ફેંકી દો. એવુ માનવામાં આવે છે કે તૂટેલો કાચ પ્રગતિને અટકાવે છે અને પરિવારમાં આર્થિક નુકસાન પહોંચાડે છે.

ખરાબ ગેઝેટ્સ ફેંકી દો
આજકાલ દરેકના ઘર અનેક પ્રકારની ઈલેક્ટ્રોનિક વસ્તુઓથી સજ્જ છે. જો તમારુ કોઈપણ ગેઝેટ બિનઉપયોગી હોય તો દિવાળી પહેલા તેને ઠીક કરી લો. જો તે કામ કરવાની સ્થિતિમાં ન હોય તો દિવાળી પહેલા તેને ફેંકી દો.

તૂટેલી મૂર્તિઓ દૂર્ભાગ્ય લાવે છે
ઘરમાં તૂટેલી કે ખંડિત મૂર્તિ હોવી એ અશુભ સંકેત છે. જો તમારા પૂજા ઘરમાં કોઈ તૂટેલી મૂર્તિ હોય તો તેને તમારા ઘરમાંથી સન્માનપૂર્વક દૂર કરી દો.

તૂટેલુ ફર્નીચર પણ અશુભ
જો તૂટેલુ ફર્નીચર રિપેર કરવાની સ્થિતિમાં ના હોય તો તેને કાઢી નાખો. જો રીપેર કરી શકાય તો દિવાળી પહેલા રીપેર કરાવી લો.

તૂટેલી ઘડિયાળ
જો ઘરમાં જૂની ઘડિયાળ હોય કે કામ ન કરતી હોય તો તેને રિપેર કરાવીને સુધારી લો. અટકેલી ઘડિયાળ ઘરમાં ખરાબ નસીબ લાવે છે.

બાથરુમ સાફ રાખો
બાથરૂમની સ્વચ્છતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ડોલ, શેમ્પૂ, સાબુ અને બૉડી વોશ વગેરે ખરાબ થઈ ગયા હોય અને જૂના દેખાતા હોય તો તેને બદલીને નવા રાખવા જોઈએ.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
