મિઠાઇ પર લાગેલ ચાંદીનું વરખ અસલી છે કે નકલી? કઇ રીતે ચકાસશો?
મિઠાઇ પર લાગેલ ચાંદીનું વરખ શુદ્ધ છે કે ભેળસેળવાળું એ જાણવાના સરળ ઉપાયો વાંચો અહીં...
આજના જમાનામાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ સામાન્ય બાબત થઇ ગઇ છે. ખાસ કરીને તહેવારના દિવસોમાં મિઠાઇમાં ખૂબ ભેળસેળ જોવા મળે છે. આવી મિઠાઇઓ, ખાદ્યપદાર્થો તમારા આરોગ્ય માટે હાનિકારક છે. આને કારણે સામાન્ય રોગો ઉપરાંત ક્યારેક ગંભીર બીમારીઓ પણ થાય છે. મિઠાઇઓ ઉપરાંત મિઠાઇ પર લગાવવામાં આવતા ચાંદીના વરખની બનાવટમાં પણ ભેળસેળ જોવા મળે છે, જે ખૂબ હાનિકારક હોય છે.

ચાંદીના વરખના સ્થાને એલ્યુમિનિયમ?
બજારમાં આજકાલ ચાંદીના વરખના નામે એલ્યુમિનિયમ વરખ વેચાઇ રહ્યાં છે. તમે કલ્પના કરી શકો છો કે, આવા વરખવાળી મિઠાઇઓ તમારા શરીર અને આરોગ્યને કેવું નુકસાન કરી શકે છે. આનાથી મગજ અને ફેફેસાંના રોગો તથા કેન્સર થવાનો ભય રહેલો છે. જો કે, મિઠાઇ પર ચાંદીનું વરખ લગાવવામાં આવ્યું છે કે ભેળસેળવાળું નકલી વરખ, એ ખૂબ સરળતાથી જાણી શકાય છે. કઇ રીતે? વાંચો અહીં...

ટેસ્ટ 1
આ ખૂબ સામાન્ય ટેસ્ટ છે, જે કોઇ પણ પોતાના ઘરે કરી શકે છે. તમારી આંગળીથી મિઠાઇ પર લાગેલ ચાંદીના વરખને સાફ કરવાનો પ્રયત્ન કરો. જો વરખ તમારી આંગળીએ ચોંટી જાય, તો એનો અર્થ છે કે ચાંદીના વરખમાં એલ્યુમિનિયમ ભેળવવામાં આવ્યું છે. જો વરખ આંગળીએ ન ચોંટે તો મિઠાઇ સુરક્ષિત છે.

ટેસ્ટ 2
ચાંદીના વરખને ચકાસવા માટેનો અન્ય એક સમાન્ય ટેસ્ટ છે, કે મિઠાઇ પર લાંગેલ ચાંદીના વરખને કાઢી લો. ત્યાર બાદ તેને ગરમ કરો. જો વરખ માત્ર ચાંદીનું હશે, તો ગરમ થતાં તેનો એક નાનો બોલ બની જશો. પરંતુ જો વરખમાં ભેળસેળ હશે તો ગરમીથી વરખ કાળું થવા માંડશે. ચાંદીના વરખમાં મોટે ભાગે ભેળવવામાં આવતું એલ્યુમિનિયમ ગરમ થતાં કાળી રાખમાં પરિવર્તિત થઇ જાય છે.

ટેસ્ટ 3
આ પણ એક સામાન્ય હોમ ટેસ્ટ છે. આ માટે તમારે ચાંદીનું વરખ હાથમાં લઇને તેને હથેળી પર ઘસવાનું છે. જો વરખ શુદ્ધ ચાંદીનું હશે, તો એ ગાયબ થઇ જશે. પરંતુ જો વરખમાં એલ્યુમિનિયમ હશે તો તેનો એક નાનકડો બોલ બની જશે.

ટેસ્ટ 4
જો તમારી પાસે હાઇડ્રોક્લોરિક એસિડ હોય, તો એના દ્વારા તમે ચાંદીના વરખની ચકાસણી કરી શકો છો. આ માટે એક ટેસ્ટ ટ્યૂબમાં ચાંદીનું વરખ નાંખો અને ત્યાર બાદ હાઇડ્રોક્લોરિક એસિડના થોડા ટીપા નાંખો. જો તે સફેદ વેગ સાથે ટર્બાઇડ થઇ જતું હોય, તો એનો અર્થ છે કે ચાંદી શુદ્ધ છે. જો વરખમાં એલ્યુમિનિયમ હશે તો તે ટર્બાઇડ નહીં થાય.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
