મિઠાઇ પર લાગેલ ચાંદીનું વરખ અસલી છે કે નકલી? કઇ રીતે ચકાસશો?
મિઠાઇ પર લાગેલ ચાંદીનું વરખ શુદ્ધ છે કે ભેળસેળવાળું એ જાણવાના સરળ ઉપાયો વાંચો અહીં...
આજના જમાનામાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ સામાન્ય બાબત થઇ ગઇ છે. ખાસ કરીને તહેવારના દિવસોમાં મિઠાઇમાં ખૂબ ભેળસેળ જોવા મળે છે. આવી મિઠાઇઓ, ખાદ્યપદાર્થો તમારા આરોગ્ય માટે હાનિકારક છે. આને કારણે સામાન્ય રોગો ઉપરાંત ક્યારેક ગંભીર બીમારીઓ પણ થાય છે. મિઠાઇઓ ઉપરાંત મિઠાઇ પર લગાવવામાં આવતા ચાંદીના વરખની બનાવટમાં પણ ભેળસેળ જોવા મળે છે, જે ખૂબ હાનિકારક હોય છે.

ચાંદીના વરખના સ્થાને એલ્યુમિનિયમ?
બજારમાં આજકાલ ચાંદીના વરખના નામે એલ્યુમિનિયમ વરખ વેચાઇ રહ્યાં છે. તમે કલ્પના કરી શકો છો કે, આવા વરખવાળી મિઠાઇઓ તમારા શરીર અને આરોગ્યને કેવું નુકસાન કરી શકે છે. આનાથી મગજ અને ફેફેસાંના રોગો તથા કેન્સર થવાનો ભય રહેલો છે. જો કે, મિઠાઇ પર ચાંદીનું વરખ લગાવવામાં આવ્યું છે કે ભેળસેળવાળું નકલી વરખ, એ ખૂબ સરળતાથી જાણી શકાય છે. કઇ રીતે? વાંચો અહીં...

ટેસ્ટ 1
આ ખૂબ સામાન્ય ટેસ્ટ છે, જે કોઇ પણ પોતાના ઘરે કરી શકે છે. તમારી આંગળીથી મિઠાઇ પર લાગેલ ચાંદીના વરખને સાફ કરવાનો પ્રયત્ન કરો. જો વરખ તમારી આંગળીએ ચોંટી જાય, તો એનો અર્થ છે કે ચાંદીના વરખમાં એલ્યુમિનિયમ ભેળવવામાં આવ્યું છે. જો વરખ આંગળીએ ન ચોંટે તો મિઠાઇ સુરક્ષિત છે.

ટેસ્ટ 2
ચાંદીના વરખને ચકાસવા માટેનો અન્ય એક સમાન્ય ટેસ્ટ છે, કે મિઠાઇ પર લાંગેલ ચાંદીના વરખને કાઢી લો. ત્યાર બાદ તેને ગરમ કરો. જો વરખ માત્ર ચાંદીનું હશે, તો ગરમ થતાં તેનો એક નાનો બોલ બની જશો. પરંતુ જો વરખમાં ભેળસેળ હશે તો ગરમીથી વરખ કાળું થવા માંડશે. ચાંદીના વરખમાં મોટે ભાગે ભેળવવામાં આવતું એલ્યુમિનિયમ ગરમ થતાં કાળી રાખમાં પરિવર્તિત થઇ જાય છે.

ટેસ્ટ 3
આ પણ એક સામાન્ય હોમ ટેસ્ટ છે. આ માટે તમારે ચાંદીનું વરખ હાથમાં લઇને તેને હથેળી પર ઘસવાનું છે. જો વરખ શુદ્ધ ચાંદીનું હશે, તો એ ગાયબ થઇ જશે. પરંતુ જો વરખમાં એલ્યુમિનિયમ હશે તો તેનો એક નાનકડો બોલ બની જશે.

ટેસ્ટ 4
જો તમારી પાસે હાઇડ્રોક્લોરિક એસિડ હોય, તો એના દ્વારા તમે ચાંદીના વરખની ચકાસણી કરી શકો છો. આ માટે એક ટેસ્ટ ટ્યૂબમાં ચાંદીનું વરખ નાંખો અને ત્યાર બાદ હાઇડ્રોક્લોરિક એસિડના થોડા ટીપા નાંખો. જો તે સફેદ વેગ સાથે ટર્બાઇડ થઇ જતું હોય, તો એનો અર્થ છે કે ચાંદી શુદ્ધ છે. જો વરખમાં એલ્યુમિનિયમ હશે તો તે ટર્બાઇડ નહીં થાય.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
