Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રબ, રોજા અને રમઝાન સાથે જોડાયેલી 11 ખાસ વાતો

બેગ્લોંર, 30 જૂન: રમઝાનનો પવિત્ર મહિનો ફિઝામાં ઇબાદત અને ઇનાયતનો ખૂબસૂરત તાલમેળ સજાવી રહ્યો છે. રોજા શું છે અને કયા મહત્વ સાથે માણસને ખુદા સાથે જોડે છે આ દરમિયાન કરવામાં આવેલી ઇબાદતો. રોજાનો અર્થ તકવા છે. માણસ રોજા રાખીને પોતાને એવો માણસ બનાવવાનો પ્રયત્ન કરે છે, જેવું તેનો રબ (ભગવાન) ઇચ્છે છે.

તકવા એટલે કે પોતાને બુરાઇઓથી બચાવવું, અને ભલાઇને અપનાવવી છે. રોજા ફક્ત ભૂખ્યા તરસ્યા રહેવાનું નામ નથી. કહેવામાં આવે છે કે રોજા માણસના દરેક ભાગનો હોય છે. રોજા આંખોના હોય છે, મતલબ ખરાબ મત જુઓ, ખોટી વાત ન સાંભળો, મોંઢામાંથી અપશબ્દ ન કાઢો, હાથથી ફક્ત સારું કામ થાય તથા પગ ફક્ત અચ્છાઇના માર્ગે આગળ વધે. આ વો જાણીએ પવિત્ર મહિના સાથે કેટલીક મુખ્ય વાતો-

રોજા

રોજા

મુસ્લિમ માન્યતાઓ અનુસાર પવિત્ર કુરાન આ મહિનામાં નાજિલ થઇ. આ મહિનામાં ઇબાદતની ખાસ જગ્યા છે, જ્યાં મુસાફરોને પણ નમાજ વાંચવાનો ઉલ્લેખ છે.

અર્થ

અર્થ

માળી શરીફ એવું માને છે કે મુસલમાનોના પવિત્ર મહિના રમજાનમાં ગુનાઓની માફી થાય છે, અને અલ્લાહ દયાનો દરવાજો પોતાના બંદાઓ માટે ખોલે છે. રોજાનો અર્થ તકવા છે. રોજા રાખીને પોતાના લોકો એવા માણસ બનવાનો પ્રયત્ન કરે છે, જેવું તેમના રબ ઇચ્છે છે.

દરેક અંગ સાથે જોડાયેલ છે રમજાન

દરેક અંગ સાથે જોડાયેલ છે રમજાન

એવું માને છે કે રોજા ફક્ત ભૂખ્યા તરસ્યા રહેવાનું નામ નથી. રોજા માણસના દરેક ભાગનો હોય છે. રોજા આંખોના છે, મતલબ ખરાબ જુઓ નહી. કાન વડે ખોટી વાત ન સાંભળો. મોંઢામાંથી અપશબ્દ ન નિકળે. કુલ મળીને બુરાઇથી બચવા અને ભલાઇના રસ્તે ચાલવાનું નામ રોજા છે.

ભરપાઇ થઇ શકતી નથી

ભરપાઇ થઇ શકતી નથી

ઇમારત-એ-શરિયાના નાયબ નાઝિમ મૌલાના સોહૈલ અહમદ નદવીએ કહ્યું છે કે જો કોઇ મુસલમાન એક રોજું પણ કારણ છોડી દે તો તે આખી રોજા રાખીને પણ તે એક રોજાનો ઉસબાબ મેળવી શકતા નથી એટલે કે ભરપાઇ કરી શકતા નથી.

ઇફ્તાર

ઇફ્તાર

રોજા પુરા થવાનો સમય ત્યારે હોય છે, જ્યારે સૂરજ ડૂબે છે. રમઝાન ઇસ્લામી કેલેન્ડરમાં નવમો મહિનો છે. સૂર્યોદયથી રોજા રાખ્યા બાદ સાંજે સૂર્યાસ્ત થયા બાદ જ તેને ખોલી શકાય છે.

સપરિવાર

સપરિવાર

સાંજે એકસાથે ઇફ્તાર કરવાથી પારિવારિક મજબૂતી આવે છે. એવું માનવામાં આવે છે કે નાના બાળકો રોજા રાખતા નથી. બીમાર, ઘણા ધરડા અને ગર્ભવતી મહિલાઓને પણ છૂટ છે.

ખરીદદરી

ખરીદદરી

આ મહિનામાં ફક્ત ખાવા-પીવાની ચીજો જ નહી, સજાવટ અને બીજી વસ્તુઓનું વેચાણ વધી જાય છે કારણ કે રમજાન બાદ ઇદ આવે છે અને ઇદ મુસલમાનોનો સૌથી મોટો તહેવાર ગણવામાં આવે છે.

દાન-ધર્માથ પર્વ

દાન-ધર્માથ પર્વ

રમજાન દરમિયાન દાનની પણ મૌસમ હોય છે. ખૈરાત અને જકાત આપવાનો સિલસિલો ચાલી પડે છે, ગરીબોને દાન આપવામાં આવે છે. જકાત એટલે કે ધર્માર્થ થોડા પૈસા ખર્ચ કરવા જો કે ઇસ્લામના પાંચ સ્તંભોમાં એક છે.

રોશની

રોશની

રમઝાન મહિનામાં ચારેય તરફ રોશની દેખાય છે ફક્ત રસ્તા પર જ નહી, પરંતુ ઘરોની દિવાલો પણ રોશન થઇ જાય છે અને હર્ષો-ઉલ્લાસની સાથે ઉત્સવ જેવો અનુભવ કરાવે છે.

આવે છે ઇદ

આવે છે ઇદ

આખો મહિનો રોજા રાખ્યા બાદ ઇદનો મહિનો આવે છે, જેને ઘણા લોકો મીઠી ઇદ પણ કહે છે. આ દિવસે સેવૈયાં અને મીઠા પકવાન બને છે, જે લોકો સગા-સંબંધીઓ ખવડાવે છે.

મહેંદી

મહેંદી

ઇદથી ઠીક પહેલાં રાત્રે ચાંદની રાત પણ કહેવામાં આવે છે. આ છોકરીઓ માટે ખાસ દિવસ હોય છે તે પોતાના હાથોમાં સુંદર મહેંદી રચાવે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X