Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Independence Day 2021: જાણો 'રાષ્ટ્રગાન'નો અર્થ, નિયમ અને મહત્વ

Independence Day 2021: જાણો 'રાષ્ટ્રગાન'નો અર્થ, નિયમ અને મહત્વ

રવિવારે એટલે કે 15 ઓગસ્ટે આખું ભારત આઝાદીનાં 75 વર્ષ પૂરું કરવા જઈ રહ્યું છે, દેશમાં આઝાદીના જશ્નની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. જો કે કોવિડ મહામારીને કારણે આ વખતે ક્યાંય પણ ભવ્ય આયોજન નથી થઈ રહ્યાં. આઝાદીનો આ પર્વ પર ઘણા લોકોએ કુરબાની આપ્યા બાદ આવ્યો છે. જો આજે આપણે ખુલી હવામાં શ્વાસ લઈ શકીએ છીએ તો તેની પાછળ લાખો લોકોએ બલિદાન આપ્યું છે માટે આઝાદીના આ દિવસનું મહત્વ દરેક ભારતીયએ સમજવું જોઈએ.

ગુરુદેવ રવિંદ્ર નાથ ટાગોરે લખ્યું હતું 'રાષ્ટ્રગાન'

ગુરુદેવ રવિંદ્ર નાથ ટાગોરે લખ્યું હતું 'રાષ્ટ્રગાન'

સ્વતંત્રતા દિવસે તિરંગો ફરકાવવામાં આવે છે અને તે બાદ રાષ્ટ્રગાન ગવાય છે. જેને ગુરુદેવ રવિંદ્ર નાથ ટાગૌરે લખ્યું હતું. રાષ્ટ્રગાનના એક-એક શબ્દનો અર્થ ખુદ જ દેશની અમર ગાથા સંભાવે છે, જે બધાએ જાણવું જરૂરી છે.

જાણો રાષ્ટ્રગાનનો અર્થ અને તેના નિયમો

જાણો રાષ્ટ્રગાનનો અર્થ અને તેના નિયમો

જન- લોકો
ગણ- સમૂહ
મન- દિમાગ
અધિનાયક- નેતા
જય હે- જીત
ભારત- ભારત
ભાગ્ય- કિસ્મત
વિધાતા- ઉપરવાળો
પંજાબ- પંજાબ
સિંધુ- સિંધુ
ગુજરાત- ગુજરાત
મરાઠા- મહારાષ્ટ્ર
દ્રવિડ- દક્ષિણ
ઉત્કલ- ઓરિસ્સા
બંગા- બંગાળ
વિંધ્ય- વિન્ધયાચલ
હિમાચલ- હિમાચલ
યમુના- યમુના
ગંગા- ગંગા
ઉચ્છલ- ગતિમાન
જલધિ- સમુદ્ર
તરંગા- લહેરો
તબ- તમારું
શુભ- મંગળ
નામે- નામ
જાગે- જાગો
તબ- તમારું
શુભ- મંગળ
આશીષ- આશિર્વાદ
માંગે- પૂછો
ગાહે- ગાઓ
તબ- તમારી જ
જય- જીત
ગાથા- ગીત
જન- લોકો
ગણ- સમૂહ
મંગલ- ભાગ્ય
દાયક- દાતા
જય હૈ- જીત
ભારત- ભારત
ભાગ્ય- કિસ્મત
વિધાતા- ઉપરવાળો

રાષ્ટ્રગાનના નિયમ

રાષ્ટ્રગાનના નિયમ

  • રાષ્ટ્રગાન ગાવાની અવધિ 52 સેકંડની હોય છે.
  • રાષ્ટ્રગાન વાગતાં જ દરેક નાગરિકોએ સાવધાનની મુદ્રામાં ઉભું થવું જોઈએ.
  • બીમાર, વૃદ્ધ અને નાનાં બાળકો પર આ નિયમ લાગૂ નથી પડતો.
  • સૌથી પહેલાં બંગાળી ભાષામાં રાષ્ટ્રગાન લખાયું હતું.
  • વર્ષ 1950માં આ ગાનને રાષ્ટ્રગાનના રૂપમાં અંગીકૃત કરવામાં આવ્યું હતું.
રવિંદ્રનાથ ટાગોરના અણમોલ વિચાર

રવિંદ્રનાથ ટાગોરના અણમોલ વિચાર

  • મોત એટલે પ્રકાશને ખતમ કરવો નહી, આ માત્ર સવાર થવા પર દીવો ઓલવવા બરાબર છે.
  • પ્રસન્ન રહેવું બહુ સરળ છે પરંતુ સરળ થવું બહુ અઘરું છે.
  • માત્ર તર્ક કરવા વાળું દિમાગ એક એવા ચાકૂ જેવું છે, જેમાં માત્ર બ્લેડ છે. જે તેનો પ્રયોગ કરનારાઓના હાથમાંથી લોહી કાઢી દે છે.
  • મુષ્ય કળામાં સ્વયંને પ્રકટ કરે છે ના કે પોતાની વસ્તુઓને.
  • આવો, આપણે એવી પ્રાર્થના કરીએ નહીં કે આપણી ઉપર કંઈ ખતરો ના આવે, પરંતુ એવી પ્રાર્થના કરીએ કે આપણે તેનો નિડરતાથી સામનો કરીએ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X