જાણો 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ઝંડો ફરકાવવામાં શુ ફરક છે?
હાલમાં આખું ભારત જશ્ન-એ-આઝાદીમાં વ્યસ્ત છે, 15 ઓગસ્ટના દિવસને કાશ્મીરથી કન્યાકુમારી સુધી જોરદાર તૈયારી ચાલી રહી છે
હાલમાં આખું ભારત જશ્ન-એ-આઝાદીમાં વ્યસ્ત છે, 15 ઓગસ્ટના દિવસને કાશ્મીરથી કન્યાકુમારી સુધી જોરદાર તૈયારી ચાલી રહી છે, દેશના રાષ્ટ્રીય તહેવાર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો રિવાજ છે અને બંધારણ મુજબ દેશમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે, કોઈ પણ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવી શકે છે પરંતુ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં થોડો તફાવત છે.

સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિન પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં શું ફરક છે
15 ઓગસ્ટ પર, રાષ્ટ્રધ્વજ નીચેથી દોરડાથી ઉપાડવામાં આવે છે, પછી તેને ખોલીને ફરકાવવામાં આવે છે, જેને 'ઘ્વજારોહણ' કહેવામાં આવે છે, જેના માટે અંગ્રેજીમાં ફ્લેગ હોસ્ટિંગ શબ્દનો ઉપયોગ થાય છે, જ્યારે 26 જાન્યુઆરીએ એટલે કે, પ્રજાસત્તાક દિવસ નિમિત્તે, ધ્વજ ઉપર બાંધી દેવામાં આવે છે, જેને ખોલીને લહેરાવવામાં આવે છે, જેને 'ધ્વજ ફેલાવવું' કહેવામાં આવે છે, જેના માટે Flag Unfurling શબ્દનો ઉપયોગ થાય છે.

પ્રધાનમંત્રી સ્વતંત્રતા દિવસ પર ધ્વજવંદન કરે છે
સ્વતંત્રતા દિવસ પર (15 ઓગસ્ટ), પ્રધાનમંત્રી મુખ્ય કાર્યક્રમમાં શામેલ છે, તેઓ લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવે છે. પ્રજાસત્તાક દિન (26 જાન્યુઆરી) ના દિવસે રાષ્ટ્રપતિ મુખ્ય કાર્યક્રમમાં જોડાય છે, 26 જાન્યુઆરી જે દેશમાં બંધારણના અમલીકરણની ઉજવણી માટે ઉજવવામાં આવે છે, આ દિવસે બંધારણીય રાષ્ટ્રપતિ ધ્વજ લહેરાવે છે, જ્યારે પ્રધાનમંત્રી દેશના રાજકીય પ્રમુખ હોય છે.

બધા જ કાર્યક્રમ લાલ કિલ્લાથી
સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રી લાલ કિલ્લાથી જ દેશને સંબોધન કરે છે. જ્યારે પ્રજાસત્તાક દિન પર મુખ્ય કાર્યક્રમ રાજપથ પર થાય છે. આ દિવસે રાષ્ટ્રપતિ રાજપથ પર ધ્વજ ફરકાવે છે. પ્રજાસત્તાક દિન પર, રાજપથ પર વિવિધ રાજ્યની ઝાંકીઓ કાઢવામાં આવે છે, જે પ્રજાસત્તાક દિનનું મુખ્ય આકર્ષણ છે.
-
ટાટાના સાણંદ પ્લાન્ટમાં 50 ટકા ઉત્પાદન ઘટશે, જાણો કેમ? -
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?









Click it and Unblock the Notifications
