International Nurses Day 2020: જાણો કેમ અને ક્યારથી મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ
International Nurses Day 2020: જાણો કેમ અને ક્યારથી મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ
નવી દિલ્હીઃ દુનિયાભરમાં દર વર્ષે 12મી મેના દિવસને આંતરરાષ્ટ્રીય નર્ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બીમાર લોકોને નવી જિંદગી આપવામાં જેટલું યોગદાન ડૉક્ટર્સનું હોય છે, તેટલું જ યોગદાન નર્સનું પણ હોય છે. નર્સ બીમાર લોકોની તન અને મનથી સેવા કરે છે. તે પોતાની પરવા કર્યા વિના દર્દીનો જીવ બચાવે છે. આજનો દિવસ તેમના યોગદાનને સમર્પિત છે. આની સાથે જ આ દિવસ દુનિયામાં નર્સિંગનીસંસ્થાપક ફ્લોરેંસ નાઈટિંગેલ (Nightingale of Florence)ને શ્રદ્ધાંજલિના રૂપમાં મનાવવામાં આવે છે.

દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસ મહામારીનાઆ સમયે નર્સોની ભૂમિકા વધીગઈ છે. નર્સ દિસ રત કામ કરે છે, તેઓ દર્દીને આપવામાં આવતી દરેક સવિધાઓ અને સેવાઓનો ખ્યાલ રાખે છે. આધુનિક નર્સિંગના જનની ફ્લોરેંગ નાઈટિંગલની યાદમાં દર વર્ષે 12 મેને આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે મનાવવામાં આવે છે. તેમણે ક્રીમિયાના યુદ્ધ દરમિયાન કેટલીય મહિલાઓને નર્સની ટ્રેનિંગ આપી હતી અને કેટલાય સૈનિકોના ઈલાજ પણ કર્યા હતા.
તેમણે નર્સિંગને એક પ્રોફેશન બનાવ્યું અને તેઓ વિક્ટોરિયન સંસ્કૃતિનાએક આઈકન બન્યા. વિશેષ રૂપે તેઓ લેડી વિથ ધી લેમ્પ (Lady With the Lamp)ના નામે ઓળખાયા કેમ કે તેઓ રાજના સમયે કેટલાય સૈનિકોનો ઈલાજ કરતા હતા. જે બાદ નાઈટિંગેલે વર્ષ 1860માં લડનમાં સેન્ટ થૉમસ હોસ્પિટલમાં પોતાની નર્સિંગ સ્કૂલની સ્થાપના સાથે પ્રોફેશનલ નર્સિંગનો પાયો રાખ્યો. આ દુનિયાની પહેલી નર્સિંગ સ્કૂલ હતી, જહવે લડનના કિંગ્સ કૉલેજનો ભાગ છે.
નર્સિંગમાં પોતાના અગ્રણી કાર્યોને કારણે ઓળખ બનાવનાર ફ્લોરેંસના નામે જ નવી નર્સો દ્વારા નાઈટિંગેલ પ્લેજ લેવામા આવે છે. નર્સ માટે આંરરાષ્ટ્રીય સ્તરે ફ્લોરેંસ નાઈટિંગેલ મેડલ જ સૌથી ઉચ્ચ પ્રતિષ્ઠિત છે. દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ફ્લોરેન્સના જન્મદિવસ પર મનાવવામાં આવે છે. જાન્યુઆરી 1974માં ફ્લોરેન્સ નાઈટિંગેલની યાદમાં 12 મેને આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે મનાવવાનો પ્રસ્તાવ યૂએસમાં પાસ થયો હતો. બ્રિટિશ પરિવારમાં 12 મે 1820ના રોજ જન્મેલી ફ્લોરેન્સ નાઈટિંગેલ પોતાની સેવા ભાવના માટે આજે પણ યાદ કરવામાં આવે છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11










Click it and Unblock the Notifications
