શું ખરેખર ભગવાન હનુમાન જીવીત છે?
એવી શ્રદ્ધા છે કે ભગવાન હનુમાન અમર છે અને ક્યારેય મૃત્યુ પામ્યા નથી, એટલા માટે જ આ પ્રશ્ન હંમેશા ઉદ્ભવે છે કે, શું ખરેખર ભગવાન હનુમાન જીવીત છે? ભગવાન હનુમાન વાનર સાથે સંબંધ ઘરાવે છે અને હિન્દુ ધર્મમાં તેમની સૌથી વધુ પૂજા કરવામાં આવે છે.
આ ઉપરાંત પણ ભગવાન રામે જ્યારે રાવણ વિરુદ્ધ યુદ્ધ કર્યુ ત્યારે તેમણે જ ભગવાન રામની ઘણી સહાયતા કરી હતી. ભક્તોમા એવી પણ શ્રદ્ધા છે કે ભગવાન હનુમાન એ પ્રભુ શિવનો જ એક અવતાર છે. હનુમાન મજબૂત અને અમર છે.
પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે રામે જ્યારે યુદ્ધ જીતી લીધું ત્યારે વૈકુંઠ પરત ફરવાનો સમય આવી ગયો હતો. રામના પરિવાર અને શુગ્રિવે પણ તેમની સાથે વૈકુંઠ જવાનું નક્કી કર્યું. જો કે, હનુમાનની અરજથી ભગવાન રામ ધરતી પર પરત ફર્યા અને ત્યારથી રામની ભક્તો દ્વારા પૂજા કરવામાં આવી રહી છે.

હનુમાન તમને દર્શન આપે છે
તેથી એવો વિશ્વાસ છે કે, ભગવાન હનુમાન અમર અને સર્વવ્યાપી છે. તેથી જ ભક્તો દ્વારા કહેવામાં આવે છે કે જો ખરી શ્રદ્ધા અને ભક્તિ સાથે હનુમાન અથવા ભગવાન રામનું નામ લેવામાં આવે તો તમારી એ શ્રદ્ધા કામ કરી જાય છે અને ભગવાન હનુમાન તમને દર્શન આપે છે.

1999માં જોવાયા હતા હનુમાનજી?
જો કે, અન્ય કેટલીક કહાણીઓ પર પ્રચલિત છે, તેમાની એક 1999ની છે, જ્યારે કેટલાક લોકોએ ભગવાન હનુમાન જેવી દેખાતી એક વ્યક્તિને નીહાળી હતી.

કંઇક આવી હતી કહાણી
આ કહાણી કંઇક એવી હતી કે, કેટલાક લોકોનું સમૂહ માન સરોવર ગયા હતાં, જ્યાં તેઓ એક ગુફામાં ગયાં, જ્યાં તેમને ભગવાન હનુમાન જેવી દેખાતી એક વ્યક્તિ મળી હતી. એક વ્યક્તિ દ્વારા તેની તસવીર લેવામાં આવી હતી, જે મૃત્યુ પામ્યો હતો, જેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

ત્યારથી માનવામાં આવે છે કે હનુમાનજી છે ચિરંજીવી
આ પ્રકારની કહાણી બહાર આવ્યા બાદ ભક્તોની અંદર શ્રદ્ધા જન્મી હતી તેમને શ્રદ્ધા છે કે ભગાવન હનુમાન ચિરંજીવી છે.












Click it and Unblock the Notifications
