ગુજરાત ચૂંટણીઃ 'ચેલા'થી કામ ચાલશે? 'ગુરુ'નું શું?

guru_kasab
ગુજરાત વિધાનસભાની ચુંટણીઓમાં ફરી એક વાર આતંકવાદનો મુદ્દો ઊભો થવાની શક્યતા પેદા થઈ છે. મુંબઈ હુમલાના ગુનેગાર અજમલ કસાબને ફાંસી અપાતાં ગુજરાતની ચુંટણીઓમાં ફરી એક વાર આતંકવાદનો મુ્દો ઊભો થવાની શક્યતા પેદા થઈ છે. એક તરફ કોંગ્રેસ દ્વારા કસાબના મુદ્દે જસ ખાટવાના પ્રયત્નો થઈ શકે છે, તો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અફઝલ ગુરુનો મુદ્દો છેડી સ્પષ્ટ ઇશારો કર્યો છે કે ‘ચેલા‘થી કામ નહીં ચાલે. ગુરુનું શું થયું?

આતંકવાદી હુમલાની સરખામણીની વાત કરીએ, તો અફજલ ગુરુએ લોકશાહીના મંદિર ઉપર હુમલો કર્યો હતો. તેથી તેની સામે મુંબઈ હુમલાનો આતંકવાદી કસાબ ચેલો જ કહેવાય. એવામાં ગુજરાતની ચુંટણીઓમાં જો કોંગ્રેસ ચેલાનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરશે, તો મોદીએ ગુરુ દ્વારા કોંગ્રેસને ઘેરવાની તૈયારી કરી નાંખી છે.

એક રીતે જોઇએ તો કસાબને ફાંસી આપ્યાના અમુક કલાકોમાં જ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું કે, અજમલ કસાબને ફાંસી આપીને સરકારે સારું કામ કર્યું છે. પરંતું અફજલ ગુરુને ફાંસી ક્યારે આપવામાં આવશે. મોદીએ આ મુદ્દો છેડીને સ્પષ્ટ ઇશારો કરી આપ્યો છે કે તેમને કસાબના કાસળથી સંતોષ હોય તો પણ તેઓ અફજલ ગુરુ મુદ્દે કોંગ્રેસની અધૂરપનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે.

આ એ જ અફઝલ ગુરુ છે કે જેણે સંસદ ઉપર હુમલો કર્યો હતો અને તે 2007ની ચૂંટણીમાં પણ ખુબ ગાજ્યો હતો. એ ચૂંટણીમાં કોંગ્રેસ એક બાજુ કંધાર કાંડ અને મૌલાના મસૂદ અઝહરનો મુદ્દો ચગાવતી હતી તો જવાબમાં મોદી ગુરુનો મુદ્દો ઉપાડી કોંગ્રેસને ઘેરતા હતા. હાલની પરિસ્થિતિ જોતા ફરી એકવાર ગુજરાતની ચૂંટણીમાં આતંકવાદ મોટો મુદ્દો બની શકે છે. કોંગ્રેસ કસાબને ફાંસીના મુદ્દે જસ ખાટવાનો પ્રયત્ન કરી શકે છે. મોદીને એ વાતનો અણસાર આવી ગયો અને તેમણે ટ્વિટર પર અફઝલ ગુરુનો મુદ્દો ઉપાડી કોંગ્રેસને જવાબ આપવાની તૈયારી કરી નાંખી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X