ભ્રષ્ટાચાર સામે અવાજ બુલંદ કરનારા પ્રામાણિક અધિકારીઓ
તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં આઇએએસ અધિકારી દુર્ગા શક્તિ નાગપાલને પોતાની પ્રામાણિકતા બદલ ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટાચારીઓના રોષનો ભોગ બનવું પડ્યું અને પોતાની નોકરી ગુમાવી પડી છે. જો કે, ભારતમાં માત્ર આ એકલા એવા પ્રામાણિક નથી કે જેમને આ રીતે ભ્રષ્ટચારીઓનો સમનો કરવો પડ્યો હોય, ભારતમાં એક તરફ જ્યાં ભ્રષ્ટ લોકોની ફોજ છે તો બીજી તરફ આ મોટી ફોજ સામે લડી શકે તેવા પ્રામાણિક અધિકારીઓની એક ટૂકડી પણ છે. જે કોઇપણ ભોગે પોતાના પ્રામાણિકતાના માર્ગ પર અડગ રહેવા તૈયાર છે.
ત્યારે આ વખતે અમે અહીં એવા જ કેટલાક પ્રામાણિક અધિકારીઓ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ કે જેમણે પોતાની કારકિર્દીમાં અનેકવાર ભ્રષ્ટાચારીઓ સાથે બાથ ભીડી છે અને તેના કારણે એક સ્થળેથી બીજા સ્થળે સજાના ભાગરૂપે બદલીઓ પણ સહી છે, છતાં પણ પાતાના ઝમીર સાથે સોદો કર્યો નથી. તો ચાલો તસવીરો થકી દેશના પ્રામાણિક અધિકારીઓ અંગે આછેરી માહિતી મેળવીએ.

ઉમા શંકર
ઉમા શંકર 1990ની બેન્ચના આઇએએસ અધિકારી છે કે જેમણે તમિળનાડુના માયિલડુથુરાઇ ખાતે સાયકલોન રિલિફ વર્કમાં થઇ રહેલી ગેરરીતિ સામે પગલા ભરતા તેમની શૈઇયર ખાતે બદલી કરી દેવામાં આવી હતી.

અરૂણ ભાટિયા
અરૂણ ભાટિયા હાલ રાજકારણી છે, પરંતુ એ પહેલા તેઓ આઇએએસ અધિકારી હતા અને તેમણે મહારાષ્ટ્રમાં વિવિધ પદો પર નોકરી કરી છે. ભ્રષ્ટાચારીઓ સામે નહીં ઝુકવાની સજાના રૂપે 26 વર્ષની કારકિર્દીમાં તેમની 26 વખત બદલી થઇ છે.

મનોજે નાથ
મનોજે નાથ એક પ્રામાણિક આઇપીએસ અધિકારી છે, જેમની 39 વર્ષ લાંબી કારકિર્દીમાં 40 વખત એટલા માટે બદલી થઇ છે કે તેમણે ક્યારેય રાજકારણીની હામાં હા મિલાવી નથી.

મુગ્ધા સિન્હા
મુગ્ધા સિન્હા 1999ની બેન્ચના આઇએએસ અધિકારી છે કે, તેઓ પહેલા મહિલા કલેક્ટર છે કે જેમની ઝુન્ઝુનુ ખાતેથી બદલી એટલા માટે કરી દેવામાં આવી હતી કે તેમણે લોકલ માફિયા અને સ્થાનિક ધારાસભ્યની માંગણીનો વિરોધ કર્યો હતો.

અશોક ખામેકા
તેઓ 1991ની બેન્ચના આઇએએસ અધિકારી છે કે જેમણે રોબર્ટ વાડ્રા અને ડીએલએફ ડીલને કેન્સલ કરી હતી.

દુર્ગા શક્તિ નાગપાલ
2010ની બેન્ચના આઇએએસ કે જેમણે ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધ નગર ખાતે ગેરકાયદે માઇનિંગ અને ભ્રષ્ટાચાર સામે પગલાં ભર્યા હતા, જેના કારણે તેઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11










Click it and Unblock the Notifications
