જાણો, મહાશિવરાત્રી વ્રતમાં શું-શું કરવું
મહાશિવરાત્રી અથવા શિવરાત્રીનું વ્રત, હિન્દુઓનું મહત્વપૂર્ણ વ્રત છે. મહાશિવરાત્રી વ્રતનું ઘણું જ ધાર્મિક મહત્વ છે. આ વ્રત, ભગવાન શિવને સમર્પિત છે, માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. આ ઉપરાંત અનેક ધાર્મિક ગ્રંથોમાં આ વાતનો ઉલ્લેખ મળે છે કે આ વ્રત રાખવાથી માનવીને બે મહત્વપૂર્ણ નેચરલ ફોર્સ પર કોન્ટ્રોલ કરવાની શક્તિ મળે છે, માનવ પર પ્રભાવ પાડે છે.
આ બન્ને ફોર્સને રાજસ અને તમસ ગુણોના નામ આપવામાં આવે છે. રાજસ ગુણ અર્થાત ઘૃણા, નફરત, ગુસ્સો, જલન વિગેરે. તમસ ગુણનો અર્થ થાય છે. ભેદભાવ અને વિરોધની ભાવના જાગવી, તેનાથી વિનાશકારી શક્તિઓ નજીક આવે છે. દરેક વ્યક્તિઆ શક્તિ મેળવવા માગે છે. જેથી તે ખરાબ શક્તિઓથી બચી શકે અને એક સારું જીવન વિતાવી શકે. મહાશિવરાત્રીનો વ્રત, મનને સુખ અને શાંતિ પ્રદાન કરે છે અને શરીરને શક્તિ પ્રદાન કરે છે. જો તમે મહાશિવરાત્રીનું વ્રત રાખવાના હોવ તો અહીં તસવીરોમાં આપવામાં આવેલી વાતો પર વિશેષ ધ્યાન આપો.

સવાર-સવારમાં સ્નાન કરો
જે દિવસે વ્રત રાખો, સવારે જ સ્નાન કરી લો અને શરીરને સ્વચ્છ બનાવી રાખો. ટાળવાનું કામ ના કરો, તેનાથી સકારાત્મક શક્તિ આવશે.

શિવલિંગને સ્નાન કરાવો
સ્નાન કર્યા બાદ મંદિર અથવા ઘરમાં શિવલિંગને પાણી, મધ અને દૂધથી સ્નાન કરાવો.

પૂજા
શિવલિંગને સ્નાન કરાવ્યા બાદ, તેના પર બિલી પત્ર ચઢાવો. આ પત્રને ચઢાવતા પહેલા જુઓ કે તે યોગ્ય છે કે નહીં, એકપણ પત્ર ફાટેલું ના હોવું જોઇએ. આ ઉપરાંત તમે ફળનો ભોગ લગાવી શકો છો અને ચંદન તથા કુમમકુથી તેનો શ્રૃંગાર કરી શકો છો.

ભોગ
ભગવાન શિવને દૂધથી બનેલા પદાર્થનો ભોગ ચઢાવવામાં આવે છે, જેમ કે ખીર, દહીં વિગેરે. આ ઉપરાંત ભાંગનો પણ ભોગ ચઢાવવામાં આવે છે.

પ્રાર્થના
ભોગ ચઢાવ્યા બાદ ‘ऊं नम: शिवाय' ના જાપ કરવા જોઇએ. સાથે જ ભગવાન શિવના અન્ય મંત્રોના પણ જાપ કરો.

દિવસ અને રાત્રીના વ્રત
શિવરાત્રીનું વ્રત માત્ર દિવસે જ નથી થતું. તે સવારથી લઇને બીજા દિવસની સવાર સુધી રાખવો પડે છે.

વ્રતના નિયમ
મહાશિવરાત્રીનું વ્રત ઘણું સરળ હોય છે. આ માટે કોઇપણ પ્રકારના કોઇ નિયમ હોતા નથી. તમે દિવસમાં ફળાહાર કરી શકો છો. દૂધથી બનેલી સામગ્રીનું સેવન કરી શકો છો.

રાત્રીનું જાગરણ
અનેક લોકો મહાશિવરાત્રીના વ્રત દરમિયાન રાત્રી જાગરણ કરે છે અને રાતભર ભગવાન શિવની કથાઓ વિગેરે સાંભળે છે. તેમના ભજન ગાય છે અને આરાધના કરે છે.

વ્રતની સમાપ્તિ
વ્રતને તોડવા માટે બીજા દિવસે સવારે સ્નાન કર્યા બાદ શિવલિંગને સ્નાન કરાવો, ત્યારબાદ પૂજા કરો અને પછી પ્રસાદ ગ્રહણ કરતી વખતે વ્રતને સમાપ્ત કરો. આ પ્રકારે મહાશિવરાત્રીનું વ્રત કરી શકાય છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
