Makar Sankranti 2020: મકર સંક્રાંતિ સાથે જોડાયેલ આ ખાસ વાત નહિ જાણતા હોવ તમે
Makar Sankranti 2020: મકર સંક્રાંતિ સાથે જોડાયેલ આ ખાસ વાત નહિ જાણતા હોવ તમે
હિન્દુ પંચાંગ મુજબ આ વર્ષે મકર સંક્રાંતિનો પર્વ 15 જાન્યુઆરી 2020ના રોજ મનાવવામાં આવશે. શાસ્ત્રોમાં આ ખાસ પર્વનું અધિક મહત્વ વર્ણવવામાં આવ્યું છે. દેશના દરેક ખુણે મકર સંક્રાંતિને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. આમ તો દરેક મહિને આવતી સંક્રાંતિનું પોતાનું મહત્વ હોય છે, પરંતુ મકર સંક્રાંતિનું અલગ જ મહત્વ હોય છે. આ દિવસે જાપ, તપ અને દાન અને ધ્યાનનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે મકર સંક્રાંતિ પહેલા અમે તમને મકર સંક્રાંતિ સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
શાસ્ત્રો મુજબ મકર સંક્રાંતિ પર સૂર્ય ધન રાશિમાંથી નિકલીને મકર રાશિમાં પ્રવેશે છે અને આ કારણે આ તહેવારને મકર સંક્રાંતિ તહેવાર કહેવાય છે.

ઉત્તરાયણ
કેટલીક જગ્યાએ મકર સંક્રાંતિને ઉત્તરાયણ નામથી પણ ઓળખવામાં આવે છે. ગુજરાતમાં મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ બંને નામ પ્રચલિત છે. જણાવી દઈએ કે મકર સંક્રાંતિથી સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણ દિશામાં ચાલવા લાગે છે. ભારતીય સંસ્કૃતિમાં સૂર્યના દક્ષિણાયનને નકારાત્મક તથા ઉત્તરાયણને સકારાત્મક પ્રતીક માનવામાં આવે છે. મકર સંક્રાતિના દિવસે ભગીરથની તપસ્યાથી મા ગંગા પૃથ્ીમાં આવી સાગરમાં મળ્યાં હતાં. આ દિવસે આમ તો કોઈપણ પવિત્ર નદીમાં સ્નાન કરી શકો છો પરંતુ ગંગા સ્નાનનું અધિક મહત્વ હોય છે.

પૌરાણિક માન્યતા
પૌરાણિક માન્યતાઓ મુજબ ભીષ્મ પિતામહે પ્રાણ ત્યાગવા માટે મકર સંક્રાંતિના દિવસને જ પસંદ કર્યો હતો. માન્યતા મુજબ મકર સંક્રાંતિના દિવસે દેહ ત્યાગવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. દક્ષિણ ભારતમાં આ હેવારને પોંગલના રૂપમાં ઉજવવામાં આવે છે. પોંગલનો તહેવાર પણ ખેતીવાડીનો પાક અને ખેડૂતોનો તહેવાર છે. પોંગલનો અર્થ થાય છે ઉબાળવું. દક્ષિણ ભારતમાં ગુળ, ચણા ઉકાળીને સૂર્યને પ્રસાદના નામે અર્પણ કરવામાં આવે છે અને તેને પોંગલ કહેવાય છે.

લોહરીનો તહેવાર
મકર સંક્રાંતિના એક દિવસ બાદ લોહરીનો તહેવાર ઉજવવામાં આવે છે. પંજાબ અને હરિયાણામાં લોહરીનો તહેવાર ધૂમ-ધામથી ઉજવાય છે. ઉત્તર ભારતમાં મકર સંક્રાંતિને ખિચડી સંક્રાંતિના નામથી પણ ઓળખવામાં આવે છે તથા આ દિવસે ખિચડી ખાવાની અને ખિચડી દાન આપવાની પરંપરા પણ પ્રચલિત છે. ભારતમાં મકર સંક્રાંતિના દિવસે પતંગબાજી કરવમાં આવે છે. ગુજરાત સહિત ઘણા વિસ્તારોમાં પતંગ ઉડાી આ પર્વ મનાવવામાં આવે છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
