Muharram 2021: જાણો આશૂરાનુ મહત્વ અને તેના વિશે બધુ
નવી દિલ્લીઃ 9 ઓગસ્ટથી જ 1443 હિજરી વર્ષની શરૂઆત થઈ ચૂકી છે. મુહર્રમ હિજરી કેલેન્ડરનો પહેલો મહિનો છે. શિયા સમુદાય માટે આ માતમનો મહિનો હોય છે જેને તેઓ ઈમામ હુસેનની યાદમાં શોકમાં મનાવે છે. હિજરી મહિનાના 10માં દિવસને મુહર્રમનો સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે કારણકે ઈસ્લામની રક્ષા માટે હજરત ઈમામ હુસેને આ દિવસે પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા. આના કારણે 10માં મુહર્રમનુ સૌથી વધુ મહત્વ છે જેને 'આશૂરા' કહેવાય છે આ વખતે 'આશૂરા' 19 ઓગસ્ટે છે.

મુહર્રમમાં મરસિયા ગાવામાં આવે છે
ઈમામ હુસેનની યાદમાં શિયા મુસલમાન આ દિવસે પહેલા તાજિયાનુ જૂલુસ કાઢે છે અને પછી તેને કરબલામાં દફન કરે છે. મુહર્રમમાં મરસિયા ગાવામાં આવે છે. આ દરમિયાન મહિલાઓ છાતી પીટીને વિલાપ કરે છે અને પુરુષો ખુદને તલવારથી પીટે છે. આ દરમિયાન ઘરોમાં ખીચડો કે હલીમ બનાવવામાં આવે છે જે ઘણા પ્રકારના અનાજ અને માંસના મિશ્રણથી બનાવવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે કર્બલાના શહીદોએ પોતાના છેલ્લા ભોજન તરીકે હલીમ જ ખાધુ હતુ.

મુહર્રમનો ઈતિહાસ
તમને જણાવી દઈએ કે મુસ્લિમ દેશના લોકો હિજરી કેલેન્ડરને જ માને છે. મુહર્રમને ચાર પવિત્ર મહિનાઓમાંનો એક માનવામાં આવે છે. મુહર્રમનો અર્થ થાય છે હરામ એટલે કે નિષિદ્ધ. આ સમગ્ર મહિનાને અલ્લાહનો મહિનો કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે આ મહિનામાં કર્બલા નામક સંસ્થામાં એક ધર્મ યુદ્ધ થયુ હતુ જે પેગમ્બર હજરત મુહમ્મદ સાહેબના દોહિત્ર અને યજીદના વચ્ચે થયુ હતુ. આ ધર્મ યુદ્ધમાં જીત હજરત સાહેબની થઈ હતી પરંતુ યજીદના કમાંડરે છેતરપિંડીથી ઈમામ હુસેન અને તેમના બધા 72 સાથીઓને શહીદ કરી દીધા હતા. જેમાં તેમના છ મહિનાના પુત્ર હજરત અલી અસગર પણ શામેલ હતા. ત્યારથી આ મહિનો ગમ, માતમ અને શહીદીનો મહિનો કહેવાય છે.

મુહર્રમ પર મોકલો આ સંદેશ
મુહર્રમ પર મોકલો આ સંદેશ
કર્બલા કી શહાદત ઈસ્લામ બના ગયી,
ખૂન તો બહા થા લેકિન કુર્બાની હોંસલો કી ઉડાન દિખા ગયી.
કર્બલા કી કહાની મે કત્લેઆમ થા લેકિન હોંસલો કે આગે હરકોઈ ગુલામ થા,
ખુદા કે બન્દેને શહીદકી કુર્બાની દી ઈસલિએ ઉસકા પૈગામ બના.
ક્યા અદા કરેગા જમાના હુસેન કા
અબ તક જમીન પર કર્ઝ હે સજદા હુસેન કા
ઝોલી ફેલાકર માંગ લો મુમીનો
હર દુઆ કબૂલ કરેગા દિલ હુસેન કા.
જન્નત કી આરઝૂ મે કહાં જા રહે હે લોગ
જન્નત તો કર્બલામે ખરીદી હુસેનને
દુનિયા-ઓ-આખરાતમે જે રહેના હો ચેન સે
જીના અલી સે સીખો મરના હુસેન સે.