હવે મોદી પાસે માફી નહી વિકાસ માંગે છે મુસલમાન
લખનઉ, 28 મે: વારાણસીમાં નરેન્દ્ર મોદીની તાજપોશીની સાથે જ હવાનો રૂખ બદલાયો અને જશ્નનો દૌર આજે પણ ચાલી રહ્યો છે. ખુશીઓ હજાર રંગોમાં વિખેરી નમો-નમોના ગીત ગણગણાવતાં પ્રતીત થયા. દરેક પોત પોતાના અંદાજમાં ખુશીઓ મનાવતાં જોવા મળ્યા. મુસ્લિમ સમાજમાં પણ નરેન્દ્ર મોદીની તાજપોશીની ખુશી ઓછી જોવા મળી નહી. તેમના જશ્નમાં શરણાઇની ગૂંજ, ગુલાલના રંગ, ફટાકડાના ધમાકા, શુભેચ્છાઓનો સિલસિલો અને લાડવાઓની મિઠાસ જેવી વિવિધતા જોવા મળી. આજે સવારે પણ કાશી ક્ષેત્રમાં ગામની પગદંડીઓથી માંડીને વારાણસી શહેરની ગલીઓ સુધી ખુશીઓના ઇઝહાર નજર આવી રહ્યાં છે.
આજે અલ્પસંખ્યક મોરચાના પ્રદેશ મહામંત્રી હૈદર અબ્બાસ ચાદના નેતૃત્વમાં ગુલાબ બાગ પાર્ટી કાર્યાલયની બહાર શરણાઇ વગાડી મિઠાઇઓ વહેંચવામાં આવી. આતિશબાજી વચ્ચે એકબીજાને ગળે મળીને શુભેચ્છા પાઠવી. બજરડીહામાં રોશન અલી તથા દોસીપુરામાં હાજી હમીદુલ હસનના નેતૃત્વમાં મિઠાઇ વહેંચીને ખુશીઓ મનાવવામાં આવી. મિર્ઝાપુર, ચૌબેપુર, રામનગર, રોહનિયા, સહિત અન્ય ગ્રામીણ અંચલોમાં અબીલ-ગુલાલ ઉડ્યા, નમો ચાનું વિતરણ થયું, આતિશબાજી વચ્ચે ફટાકડા ફોડ્યા.

બીજી તરફ કાલે સવારથી વિભિન્ન મંદિરોમાં મંત્રોચ્ચાર થતા રહ્યા, ક્યારેક ગંગાના વિભિન્ન ઘાટોથી દૂધની ધારા વહી તો ક્યારેક ગંગાની ધારામાં દીપોની માળાને અઠખેલિયા કરતાં જોઇ પ્રવાસીઓના દિલ બાગબાગ થઇ ગયા. ઢોલ નગારાની થાપ પર ઝૂમતાં સમર્થક અને આકાશમાં આતિશબાજી એવી કે જાણે દિવાળી હોય.
ભાજપના નેતાઓએ બાબા વિશ્વનાથ દરબારમાં માથું ટેકી આર્શીવાદ માંગ્યા પછી મોદી-મોદી કરતાં ગંગાનો દુગ્ધાભિષેક કર્યો. ઘાટ કિનારે દુગ્ધાભિષેક બાદ કાર્યકર્તાઓએ ગંગા પાર રેતથી સંસદ સુધી નરેન્દ્ર મોદીની વિજય મુદ્રાવાળી આકૃતિ બનાવી. નાવડી પર નમો ચાલીસાની સાથે અન્ય લોકગીત ગાઇને જશ્ન મનાવ્યો.
નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહને યાદગાર મનાવવા માટે ભાજપના બધા કાર્યાલયોમાં ખૂબ ચહેલપહેલ હતી. ગુલાબબાગ સ્થિત સવારમાં કાર્યાલયમાં પહોંચેલા કાર્યકર્તાઓનું અબીલગુલાલથી સ્વાગત કર્યા બાદ મોઢું મીઠું કરાવવામાં આવ્યું. વેપારીઓએ હનુમાન મંદિરમાં માથું ટેક્યા બાદ કાર્યકર્તાઓએ દીપદાન કર્યું.
ધારાસભ્ય શ્યામદેવ રાય ચૌધરી દાદાના નેતૃત્વમાં ભાજપાઇઓએ દશાશ્વમેધ ઘાટ પર જશ્ન મનાવ્યો. આંતરાષ્ટ્રીય મારવાડી સંમેલનના અધ્યક્ષ ગણેશ લોહિયાના નેતૃત્વમાં શરણાઇવાદનનું આયોજન કરવામાં આવ્યું. મલદહિયા ઘાટ પર લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ સ્મારકની આકર્ષક સજાવટ કરવામાં આવી હતી.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
