Navratri Special : નવમા નોરતે કરો માં સિદ્ધિદાત્રીની પૂજા આ રીતે
નવરાત્રીના નવમાં દિવસે થાય છે સિદ્ધાદાત્રીનું પૂજન. આ રીતે જાપ અને પૂજાવિધિથી તમે પણ કરી શકો છો માં સિદ્ધિદાત્રીની પૂજા. વધુ વાંચો અહીં.
આજે મહાનવમી છે, આજના દિવસે માં સિદ્ધિરૂપની પૂજા થાય છે. માં દુર્ગાના આ રૂપને શતાવરી અને નારાયણી પણ કહેવામાં આવી છે. દુર્ગાના તમામ પ્રકારોની સિદ્ધિઓ આપનારી માંની પૂજાનો આરંભ આ નિમ્ન શ્લોકથી કરવી જોઇએ. આજે નવરાત્રીનો છેલ્લો દિવસ.
या देवी सर्वभूतेषु माँ सिद्धिदात्री रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।
આ માં તમામ પ્રકારની સિદ્ધિઓ આપનારી છે. નવરાત્રી-પૂજનના નવમાં દિવસે તેમની ઉપસાના કરવામાં આવે છે. આ દિવસે શાસ્ત્રીય વિધિ વિધાન અને પૂર્ણ નિષ્ઠા સાથે સાધના કરનાર સાધકને તમામ સિદ્ધિઓ હાંસલ થાય છે.
નવદુર્ગામાં માં સિદ્ધિદાત્રી અંતિમ છે. સિદ્ધિદાત્રીનું મનષ્ય નિયમપૂર્વક સેવન કરે છે, તેના તમામ કષ્ટ સ્વયં દૂર થઇ જાય છે. પીડિત વ્યક્તિએ સિદ્ધિદાત્રી દેવીની આરાધના કરવી જોઇએ. પોતાની તમામ ભૂલો માટે માની સાચા દિલથી ક્ષમા માંગવી જોઇએ, માં જરૂર તેને માફ કરી દે છે.