“કોટથી લઇને લંગોટ” પણ બનાવશે બાબા રામદેવ
યોગગુરુ બાબા રામદેવે હજુ થોડા દિવસો પહેલા જ જીંસ બનાવવાની વાત કરી હતી. હવે બાબા રામદેવ તેના પ્રત્યે ગંભીર હોય તેવુ લાગી રહ્યું છે. બાબા રામદેવ હવે કાપડ ક્ષેત્રે ઝંપલાવી રહ્યા છે. તેમણે સંદેશ આપી દીધો છે કે પતંજલિ "કોટથી લઇને લંગોટ" પણ બનાવશે. રામદેવના આ અભિયાનનું ટેક્સટાઇલ ઇંડસ્ટ્રીઝના તમામ મોટા નામાંકિત ઉદ્યોગપતિઓએ આશ્ચર્યજનક રીતે સમર્થન કર્યુ છે.
હિંદી ન્યૂઝ પોર્ટલ ઇકોનૉમિક્સ ટાઇમ્સમાં છપાયેલ એક સમાચાર મુજ્બ આ સપ્તાહની શરુઆતમાં રેમંડ ગ્રુપની એક ટીમે પોતાની પ્રોડક્ટનું સેમ્પલ પતંજલિના અધિકારીઓને બતાવ્યુ હતુ. આ ઉપરાંત અમદાવાદની ટેક્સટાઇલ મેન્યૂફેક્ચરર અરવિંદ લિમિટેડે પણ બિઝનેસના ઇરાદાથી પતંજલિનો સંપર્ક કર્યો છે.

ખાદીના કપડા
બાબા રામદેવની નજર હાલમાં ખાદીના કપડા પર છે. રામદેવ ખાદીના કપડાને મોટાસ્તર પર લૉંચ કરવા માંગે છે. બાબા રામદેવનુ કહેવુ છે કે દેશમાં ફેબ ઇંડિયા જેવી વિદેશી કંપનીઓ ખાદીના વસ્ત્રો વેચી રહી છે, જે ગાંધીની સ્વદેશી આંદોલનથી ઉપજેલી વિચારધારાની હત્યા છે. પૉર્ટલ મુજબ બાબા રામદેવે જણાવ્યું કે પતંજલિએ કાપડ ક્ષેત્ર સાથે જોડાયેલ યોજનાઓને ધ્યાનમાં રાખીને "કોટથી લઇને લંગોટ" બનાવવા સુધીની તૈયારી કરી દીધી છે.

સ્વદેશી જાગરણ
બાબા રામદેવ દેશમાં ફરીથી સ્વદેશી જાગરણ ચલાવવા ઇચ્છે છે. તેમના કહેવાપ્રમાણે ભારતીયો જો પશ્ચિમી કપડા પણ પહેરે તો તે સ્વદેશી હોવા જોઇએ. થોડાદિવસો પહેલા બાબા રામદેવે સંકેત આપ્યા હતા કે તેમની કંપની જીંસ બનાવશે.હવે તેઓ પૂરી ગંભીરતાથી આ યોજનાને પૂરી કરવા માટે કાર્યરત થઇ ગયા છે.

બાબા હવે ટેક્સટાઇલમાં પણ
બાબા રામદેવે સ્વદેશી ઉદ્યોગનો વિકાસ કરવાના ઉદ્દેશથી કહ્યું કે તેમનીકંપનીએ પોતાની જાહેરાત બનાવવા માટે કોઇ વિદેશી કંપનીને પસંદ કરવાને બદલેભારતીય કંપનીને પસંદ કરી છે. બાબા રામદેવે કાપડ ઉદ્યોગના મોટા નામો તરફથીમળી રહેલા સમર્થન પર કંઇ કહ્યુ નહિ. જો કે તેમણે એમ જરુર કહ્યું કે ઘણામોટા નામોએ તેમની મુલાકાત કરી છે અને આ વિષયમાં ચર્ચા પણ કરી છે. બાબારામદેવે કહ્યું છે કે તેઓ ટેક્સટાઇલ ઇંડસ્ટ્ર્રીઝને સાથે લઇને ચાલશે અનેઆ એક સામૂહિક કોશિશ હશે.

પતંજલિ કપડા
કપડાને બજારમાં મૂકવા અને તેમને વેચવાને લઇને થયેલા એક સવાલ પર પતંજલિનાસીઇઓ અને રામદેવના શિષ્ય બાલકૃષ્ણએ જણાવ્યું કે હજુ તેના પર વિચારકરવામાં આવી રહ્યો છે. બજારમાં સર્વેનુ કામ ચાલી રહ્યું છે સાથે જ મળેલાઆંકડાઓ પર રિસર્ચ અને એનાલીસીસ પણ ચાલુ છે. બાલકૃષ્ણએ જણાવ્યું કે પતંજલિગ્રાહકો માટે ક્વૉલિટી પ્રોડક્ટ રજૂ કરશે.

ફેબ ઇન્ડિયા જેવું કંઇક!
વળી, એક તરફ એવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બાબા રામદેવ ફ્યૂચરગ્રુપ સાથે મળીને પતંજલિ બ્રાંડના કપડા બજારમાં મૂકી શકે છે. વળી અમુકજગ્યાઓએ ફેબ ઇંડિયાની જેમ પોતાના રિટેલ સ્ટોર પણ ખોલી શકે છે. પતંજલિબ્રાંડ હાલમાં બજારમાં રોજિંદી ખાનપાનની વસ્તુઓ ઉપરાંત આયુર્વેદિકઔષધિઓને બજારમાં વેચી રહ્યું છે, સામાન્ય માણસો વચ્ચે પતંજલિની ઔષધિઓ અનેઅમુક ખાનપાનની વસ્તુઓ ખૂબ જ લોકપ્રિય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
