'ગંભીર' રાજકારણનો જુઓ જરા હટકે અંદાજ..
નવી દિલ્હી, 19 માર્ચ: દેશમાં આ સમયે લોકસભા ચૂંટણીનો માહોલ છે, અને જેમ જેમ તેનો પારો ચઢતો જઇ રહ્યો છે રાજકારણના માહોલનો રંગ પણ બદલાતો જઇ રહ્યો છે. ક્યાંક કોઇ પાર્ટી છોડીને જઇ રહ્યું છે તો ક્યાંક કોઇ પાર્ટીનો ભાગ બની રહ્યું છે.
જ્યાં અરવિંદ કેજરીવાલ આ સમયે ઘણી પાર્ટીઓની ચિંતાનો વિષય બનેલા છે જ્યારે મીડિયાકર્મીઓને જેલમાં ધલેલી દેવાની ટિપ્પણી સાથે કેજરીવાલ નવા વિવાદનું કેન્દ્ર બની ગયા છે. જ્યારે નરેન્દ્ર મોદી પર આપવામાં આવેલા નિવેદન પર પણ ચર્ચા આવ્યા, એ વાત જુદી છે કે થોડી જ વાર બાદ તેઓ પોતાના નિવેદનથી ફરી પણ ગયા.
આવી જ કેટલીંક ગંભીર વાતો પર કરો એક નજર પરંતુ થોડા કટાક્ષી અંદાજમાં...

ચૂંટણીના બદલાતા સંબંધો
ચૂંટણીના સમયે પાર્ટીમાં સામેલ નેતાઓના રંગ અને સંબંધ બદલાઇ રહ્યા છે. જુની પાર્ટીને છોડીને નવી પાર્ટીમાં સામેલ થવું જાણે એક પરંપરા બની ગઇ હોય.

હાલ કેસા હે..
ડોક્ટર મુરલી મનોહર જોશી પહેલા જ નરેન્દ્ર મોદી માટે વારાણસી બેઠક છોડી ચૂક્યા છે અને કંઇક એવા જ હાલ લાલ કૃષ્ણ અડવાણીના પણ છે. જોશી બાદ અડવાણીને હવે મોદીની લોકપ્રિયતાના પગલે ગાંધીનગર બેઠક છોડવી પડશે.

'આપ'નો કેજરી
નરેન્દ્ર મોદી વારાણસીથી લડશે તો અહીં તેમને 'આપ'ના અરવિંદ કેજરીવાલથી પડકાર મળી શકે છે. શીલા દીક્ષિતને હરાવ્યા બાદ આત્મવિશ્વાસથી ભરપૂર કેજરીવાલ, મોદીને હરાવશે તેનો તેમને ભરપૂર વિશ્વાસ છે.

અહીંથી આવ્યો વિશ્વાસ
નરેન્દ્ર મોદીના ગઢ અમદાવાદમાં મોદીને લલકારવાના કારણે જ લગભગ આપ પાર્ટીના પ્રમુખ કેજરીવાલની અંદર મોદીને હરાવવાનો વિશ્વાસ પેદા થયો.

ધ્યાન રહે આચાર સંહિતા
જેવી રીતે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાતથી જ આચાર સંહિતા લાગૂ થઇ ગઇ છે. હવે નેતા બિચારા શું કરે, આ આચાર સંહિતાના ભાર તળે પોતાને મજબૂર અનુભવી રહ્યા છે.

કંઇ પાર્ટીમાં જઉ
ચૂંટણીને ધ્યાનમાં રાખતા પાર્ટીઓમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવી રહ્યું છે અને એવામાં કેટલાંક લોકો તો એ વાતને લઇને કન્ફ્યૂઝ છે કે તેઓ કઇ પાર્ટી જોઇન કરે. કોઇ સવાલ પૂછે છે તો જવાબ હોય છે કે ટિકિટ મળી જશે ત્યાં જ જતા રહીશું.

ક્યાં જશે આ
તમામ એક્ઝિટ પોલ્સ અને સર્વેમાં હવે એ વાત સાબિત થઇ ચૂકી છે કે કોંગ્રેસ અને તેના ગઠબંધન યૂપીએને ચૂંટણીમાં કોઇ ખાસ સફળતા નથી મળવાની.

અરવિંદ જેલભેગા કરી દેશે
નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન આપ પાર્ટીના અરવિંદ કેજરીવાલે મીડિયાને જેલમાં મોકલી દેવાની વાત કહી તો હોબાળો મચી ગયો પરંતુ આદત અનુસાર અરવિંદ કેજરીવાલ પોતાની આ વાતથી ફરી ગયા.
-
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ











Click it and Unblock the Notifications
