જાણો જીવનને કેવી રીતે સુંદર બનાવે છે ધાર્મિક યાત્રા
આજના જમાનામાં આપણું ટાઇમટેબલ એકદમ ટાઇટ થઇ ગયું છે અભ્યાસ, જોબ, ફોન પર વાતો, ટ્રાફિક, મેકડીમાં જમવું....નાના મોટા હેંગઆઉટ, આ થોડીવાર સુધી મજેદાર રહે છે, એક સમય બાદ આ ડિપ્રેશિંગ અને બેકાર લાગવા માંડે છે. જો તમે તમારા મનને ફ્રેશ અને તણાવમુક્ત રાખવા માંગો છો તો કદાચ અમારા આ આર્ટિકલમાં તમને કંઇક ખાસ મળી જશે.
નોકરીના ચક્કરમાં જીંદગીની ખૂબસૂરતીને ભૂલી જઇએ છીએ
જ્યારે તમે નોકરી કરવા લાગો છો તો એટલા વ્યસ્ત થઇ જાવ છો કે સવારન ઉગતાં સૂરજને લઇને સામાન્ય મંદ હવા અને ભીની સુગંધ સુધી ફીલિંગ ભૂલી જઇએ છીએ. ઇશ્વરની બનાવેલી આ સુંદર વસ્તુ તમે ભૂલવા લાગો છો. પરંતુ જો તમે કોઇ ધાર્મિક યાત્રા પર જાવ છો તો તમને પ્રકૃતિના સુંદર નજારા જોવા મળે છે.
જીંદગીમાં વાસીપણું આવતાં
ઘણીવાર જીંદગી બોજ લાગવા લાગે છે અથવા તેમાં કંઇપણ નવાપણું રહેતું નથી. એવામાં ધાર્મિક યાત્રા મનને તાજગીથી ભરી દે છે અને જીંદગીને બોજારૂપ થતાં બચાવે છે.
બીજાની સાથે સંબંધ સારા બનાવી રાખવા માટે પ્રેરિત કરે છે
આદ્યાત્મિક અથવા ધાર્મિક યાત્રા કરવાથી આપણને બીજાની સાથે સારા સંબંધ બનાવવાની પ્રેરણા મળે છે. તમારા પરિવાર અને મિત્રોનું મહત્વ પણ સમજાય છે અને માનવતાનો ભાવ પણ જાગૃત થાય છે.
તમારું આત્મમિલન કરાવે છે
ઘણીવાર આપણે આપણી વિચારસણીથી ભટકી જઇએ છીએ અને એવા બની જઇએ છીએ જે બીજા આપણને બનાવી દે છે. આદ્યાત્મિક યાત્રા અથવા ધાર્મિક યાત્રા બાદ ભટકતા નથી. તમે સ્વયંને ઓળખી લો છો.
યાત્રા તમારા શિક્ષણનો નવો પક્ષ પ્રદાન કરે છે
કોઇપણ યાત્રા તમારા શિક્ષણ અને તમારા દ્વારા ગ્રહણ કરવામાં આવેલી વાતોને એક નવું રૂપ પ્રદાન કરે છે, તમારી સમજણને પ્રોત્સાહન આપે છે. તમે જ્યારે અભ્યાસ કરો છો તો દરેક જગ્યાએ મેજિકલ પ્લેસ લાગે છે પરંતુ વાસ્તવિકતા થોડી હટીને હોય છે, એવામાં તમારી સમજણ વગેરેનો પરિચય આવી યાત્રાઓમાં જોવા મળે છે.
તમારી જરૂરિયાતોને નવસરથી બદલી નાખે છે
આ નહી તે જોઇએ, તે નહી આમ કરવું જોઇએ, એવી હજારો વાતો તમારા મગજમાં હંમેશા ટિક-ટિક કરે છે. પરંતુ આ એક યાત્રા બાદ તમારું વિઝન ક્લિયર થઇ જાય છે તમારી જરૂરિયાતો નવેસરથી બદલાઇ જાય છે.
તમને તમારું લક્ષ્ય સ્પષ્ટ જોવા મળે છે
આદ્યાત્મિક યાત્રા બાદ તમારું લક્ષ્ય ક્લિયર થઇ જાય છે. તમે તમારા જીવનના લક્ષ્યને સમજવા લાગો છો અને તે તરફ કાર્યરત થઇ જાય છે.
તમારા જીવનની માનસિકતા સ્પષ્ટતા જોવા મળે છે
ઘણીવાર જીવનમાં આપણે માનસિક રીતે ખૂબ પરેશાન હોઇએ છીએ. આદ્યાત્મિક યાત્રા એક કટરની માફક કામ કરે છે જે તમારી મુશ્કેલીઓને દૂર કરીને માનસિકતા સ્પષ્ટતા લાગે છે. તમારી લાઇફમાં એક ફ્લો આવી જાય છે.
સકારાત્મકતા વધે છે
વહેતી નદી, ઝરણાં, મંદિર, વિદેશી લોકોને હળવું-મળવું, બહાર સ્નાન વગેરેથી તમારી અંદર એક ગજબની ઉર્જાનો સંચાર થાય છે અને તમારી સકારાત્મકતાનું સ્તર વધી જાય છે.
તમારું શારીરિક સ્વાસ્થ્ય ઉત્તમ થઇ જાય છે
ધાર્મિક યાત્રા કરવાથી અથવા આદ્યાત્મિક યાત્રા કરવાથી તમારું શારિરીક સ્વાસ્થ્ય ઉત્તમ થઇ જાય છે. આ તમારા શરીરના ફેફસાંથી માંડીને દિન સુધી સારું સાબિત થઇ શકે છે.