પાકિસ્તાનમાં એક હજાર વર્ષ જૂનું શિવ મંદિર, શિવજીના આંસુઓથી બન્યું હતું આ મંદિર
મહાશિવરાત્રિનો તહેવાર ફક્ત આપણા દેશમાં નહીં, પણ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ઉજવાય છે. પાકિસ્તાનમાં પણ ઘણા પ્રાચીન હિન્દુ મંદિરો છે.
મહાશિવરાત્રિનો તહેવાર ફક્ત આપણા દેશમાં નહીં, પણ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ઉજવાય છે. પાકિસ્તાનમાં પણ ઘણા પ્રાચીન હિન્દુ મંદિરો છે. એમાંથી જ એક કટસરાજ મંદિર છે. આ મંદિર ભગવાન શિવજીનું છે.
પાકિસ્તાનના ચકવાલ ગામથી આશરે 40 કિ.મી. દૂર અને લાહોરથી 280 કિલોમીટર દૂર કટસ નામના સ્થળે એક ટેકરી પર છે. આ સ્થળથી સંબંધિત ઘણી માન્યતાઓ છે, શિવજીનું આ મંદિર લગભગ એક હજાર વર્ષ જૂનું છે. મહાભારત કાળમાં પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન અહીં થોડો સમય પસાર કર્યો હતો. તેથી, તે હિન્દુઓની શ્રદ્ધાનું મુખ્ય કેન્દ્ર છે.
આ પણ વાંચો: અહીં પ્રસાદમાં નૂડલ્સ અને ચોકલેટ મળે છે, આ અનોખા મંદિરો વિશે જાણો

કટસરાજ કુંડ કેવી રીતે બન્યું
માન્યતાઓ અનુસાર કટસરાજ મંદિરનો કટાક્ષ કુંડ ભગવાન શિવજીના આંસુથી બનેલો છે. આ કુંડના નિર્માણ પાછળ એક કથા છે. એવું કહેવાય છે કે જ્યારે દેવી સતીનું અવસાન થયું ત્યારે ભગવાન શિવજી તેમના દુઃખમાં એટલા રડ્યા હતા કે તેમના આંસુઓથી બે કુંડ બની ગયા. એક તો રાજસ્થાનનું પુષ્કર નામનું તીર્થ છે અને બીજું પાકિસ્તાનના કટસરાજ મંદિરમાં છે.

200 ભારતીય દર્શન કરવા જઈ શકે છે
ઈન્ડો-પાક પ્રોટોકોલ 1972 મુજબ, દર વર્ષે 200 ભારતીયોકટસરાજ પર યાત્રા કરી શકે છે. એ જ રીતે, હિંદુ ધર્મના અનુયાયીઓ મહાશિવરાત્રિ પ્રસંગે આ મંદિરમાં જાય છે અને ભગવાન શિવજીનો જલાભિષેક કરે છે.

મહાભારત કાળના સમયે પણ
એવું કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ છઠ્ઠી સદીથી નવમી સદીની વચ્ચે કરવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે આ મંદિર મહાભારત કાળ એટલે કે ત્રેતાયુગમાં પણ હતું. આ મંદિર સાથે સંકળાયેલી પાંડવોની ઘણી કથાઓ પણ અહીં પ્રખ્યાત છે. એવું કહેવામાં આવે છે કે મહાભારત સમયગાળા દરમિયાન અહીં સાત મંદિરો પાંડવો દ્વારા બાંધવામાં આવ્યા હતા. પાંડવોએ તેમના વનવાસ દરમિયાન ચાર વર્ષ અહીં ગાળ્યા હતા. આ સ્થળ વિશે એવું પણ માનવામાં આવે છે કે આ કુંડના કાંઠે યુધિષ્ઠિર અને યક્ષનો સંવાદ થયો હતો.

યુનેસ્કોની હેરિટેજ સૂચિમાં શામેલ કરવાનો પ્રયાસ
1000 વર્ષ જૂના આ મંદિરની નજીક 150 ફૂટ લાંબા અને 90 ફૂટ પહોળા પવિત્ર સરોવરના પાણીમાં ભગવાન શિવજીના આ મંદિરનું પ્રતિબિંબ જોવા મળે છે. થોડા સમય પહેલા જ તેની નજીકની સિમેન્ટ ફેક્ટરીઓ બોરવેલથી પાણી કાઢતી હતી, જેના કારણે ભૂમિગત પાણીનું સ્તર સતત ઘટી રહ્યું હતું અને સરોવર સુકાવા માંડ્યું હતું. ત્યારબાદ સિંધના હિન્દુઓની અરજી પર પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તળાવના ઉપચારનો આદેશ આપ્યો. સુપ્રીમ કોર્ટની કડકતા પછી, પાક સરકાર યુનેસ્કોની હેરિટેજ સૂચિમાં મંદિરનો સમાવેશ કરવાનો પ્રયાસ કરી રહી છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
