જાણો: ભગવાન ગણેશના અનેક નામ
દેશભરમાં ગણેશોત્સવની ધુમ છે, ત્યારે આવો જણીએ ભગવાન ગણેશના 11 નામ વિશે.
હિંદુ ધર્મમાં ભગવાન ગણેશને જ્ઞાનના દેવતા કહેવામાં આવે છે. દરેક ભક્ત તેમની પાસે બળ, વિદ્યા, અને બુદ્ધિની કામના કરે છે. કહેવાય છે કે ગણેશજી વિઘ્નહર્તા છે, તે બધાં જ સંકટોને હરી લે છે. દરેક રાજ્યમાં ભગવાન ગણેશને અલગ અલગ નામે બોલાવવામાં આવે છે. પરંતુ દરેકની પૂજા કરવાની રીત એક જ હોય છે. દરેક એક જ શ્રદ્ધા અને ભક્તિ સાથે તેમની પૂજા કરે છે. ગણેશ ચતુર્થી દરમ્યાન ગણેશ ભગવાનનું ધામધુમથી પૂજન અર્ચન કરવામાં આવે છે. આજે આ આર્ટીકલમાં અમે તમને ગણેશજીના 11 નામો જણાવીશું અને આ નામોનો શું અર્થ છે.

ગણપતિ
ગણપતિનો અર્થ બધા ગણોના સ્વામી

ગજાનન
ભગવાન ગણેશનું માથું હાથીનું હોવાથી તેમને ગજાનન કહેવામાં આવે છે.

મંગલમૂર્તિ
કહેવાય છે કે ભગવાન ગણપતિ બધી જ નકારાત્મક્તા દુર કરીને મંગળ કરે છે. જેથી તેમને મંગલમૂર્તિ કહેવામાં આવે છે.

વક્રતુંડ
હાથીનું માથું લાગેલુ હોવાથી ભગવાન ગણેશને વક્રતુંડ કહેવામાં આવે છે.

સિદ્ધિ વિનાયક
ભગવાન ગણેશ બધાં જ ભક્તોના જીવનમાં સિદ્ધિ લઇ આવે છે. બધાં જ ભક્તોના જીવનમાં ખુશી આપે છે. અને એટલે જ તેમને સિદ્ધિ વિનાયક પણ કહે છે.

વિનાયક
સઘળી બાધાઓ હરી લેનાર ગણેશજીનું એક નામ વિનાયક પણ છે.

યગ્નાયક
ભગવાન ગણેશ પોતાના ભક્તોની દરેક ઇચ્છા અને કામના પૂરી કરે છે. એટલે તેમને આ નામથી પણ બોલાવવામાં આવે છે.

પીતામ્બરા
ભગવાન ગણેશના પીળા વસ્રોને કારણે તેમને પીતામ્બરા પણ કહેવાય છે

નંદના
ભગવાન શિવના પુત્ર હોવાના કારણે નંદન નામથી પણ ઓળખવામાં આવે છે.

પ્રથમેશ્વર
સર્વ કાર્યોમાં, સર્વ ભગવાનમાં ભગવાન ગણેશ પ્રથમ પૂજ્ય દેવ છે. એટલે તેમને પ્રથમેશ્વર પણ કહેવામાં આવે છે.

ઓમકારા
ભગવાન શિવના પુત્ર હોવાના કારણે તેમને ઓમકારા નામે પણ પુકારવામાં આવે છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
