મંગળનું કુંભમાં ગોચર, આ રાશિના જાતકો પર પડશે ખરાબ અસર
મંગળનું કુંભમાં ગોચર, આ રાશિના જાતકો પર પડશે ખરાબ અસર
નવી દિલ્હીઃ સાહસ, પરાક્રમ, નિડરતા, આત્મવિશ્વાસ અને ભૂમિ ભવન તથા સંપત્તિના દાતા ગ્રહ મંગળ 6 નવેમ્બરે પોતાની ઉચ્ચ રાશિ મકરને ત્યાગીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. મંગળ 2 નવેમ્બર 2018થી મકર રાશિમાં ચલ થઈ હ્યો છે, જે 188 દિવસ સુધી મકરમાં રહ્યા બાદ 6 નવેમ્બરે સાંજે 8.49 વાગ્યે કુંભ રાશિમાં ગોચર કરશે. આ રાશિમાં મંગળ 47 દિવસ રહ્યા બાદ 23મી ડિસેમ્બરે બપોરે 1.20 વાગ્યે મીન રાશિમાં ચાલ્યો જશે. મંગળના મિત્ર ગ્રહ સૂર્ય, ચંદ્ર અને બૃહસ્પતિ છે. તેના શત્રુ ગ્રહ બુધ અને રાહુ-કેતુ છે. શુક્ર અને શનિની સાથે આ સમ વ્યવહા કે છે.

તમામ રાશિના જાતકો માટે ભાગ્યોદયકારક
મંગળનું મકરથી કુંભ રાશિમાં પ્રવેશ કરવો કેટલાય મામલામાં તમામ રાશિના જાતકો માટે ભાગ્યોદયકારક સાબિત થશે. ગોચરની 47 દિવસની અવધી દરમિયાન મંગળ તમામ રાશિને પ્રભાવિત કરશે પરંતુ મોટાભાગના મામલાઓમાં આ શુભ ફળદાયી થશે. તે સાહસ, પરાક્રમમાં વૃદ્ધિ કરનાર સાબિત થશે. અટકેલા આર્થિક મામલામાં તેજી આવશે.

સ્વરાશિ અને મિત્ર ગ્રહોની રાશિ પર પ્રભાવ
મંગળ મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે તથા સિંહ, કર્ક અને ધન-મીન તેની મિત્ર રાશિઓ છે. માટે આ રાશિના જાતકો માટે મંગળનું આ ગોચર ફાયદાકારક રહેશે, રોગોથી મુક્તિ અને આર્થિક સંકટોનું સમાધાન થશે. લાંબા સમયથી જે કામ અટકેલા છે, તે હવે ફટાફટ પૂરાં થશે. સાહસ, પરાક્રમમાં વૃદ્ધિ થશે. સેના, પોલીસ, ઈલેક્ટ્રોનિક્સ, એન્જિનિયરિંગ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને મોટો અવસર મળશે. જે લોકો પોતાનું મકાન, પ્લોટ ખરીદવા માગતા હોય તેમના માટે આ સમય શુભ રહેશે. પ્રોપર્ટીમાં રોકાણ લાભદાયક રહેશે.

શત્રુ રાશિ રહે સાવધાન
મંગળનો શત્રુ ગ્રહ બુધ છે અને બુધ મિથુન તથા કન્યા રાશિનો સ્વામી છે. માટે આ રાશિના જાતકોને કેટલાય પ્રકારના શારીરિક કષ્ટ થઈ શકે છે. ખાસ કરીને રક્ત સંબંધી કોઈ રોગ પરશાન કરશે. મનમાં અસ્થિરતા રહેશે. મન વિચલિત રહેશે. કોઈ મોટું રોકાણ કરતાં બચો. ખાસ કરીને ભૂમિ, સંપત્તિમાં પૈસા ન ફસાવવા. પ્રેમના મામલામાં નુકસાન થઈ શકે છે. આ રાશિના જાતકો માટે એક વાત સારી થશે અને તે એ કે તેમના આત્મવિશ્વાસમાં જબરદસ્ત વૃદ્ધિ થશે. સાથે જ જેમના વૈવાહિક કાર્યો અટકેલાં છે તેમનાં કામ બની જશે.

સમ રાશિઓ પર મિશ્રિત પ્રભાવ
મંગળના સમ ગ્રહ છે શુક્ અને શનિ. તેમનાથી સંબંધિત રાશિઓ વૃષભ-તુલા અને મકર-કુંભ. આ ચાર રાશિના જાતકો માટે મંગળનું ગોચર મિશ્રિત ફળ લઈને આવશે. આર્થિક સંપન્નતાના રસ્તા પર આ લોકો આગળ તો વધશે પરંતુ પારિવારિક અને સામાજિક જીવનમાં પદ-પ્રતિષ્ઠામાં ઘટાડો આવી શકે છે. આ રાશિના જાતકો મંગળનો શુભ પ્રભાવ હાંસલ કરવા માટે દરેક મંગળવારે હનુમાન મંદિરમાં શ્રીફળ અર્પિત કરે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
