ઇદ સ્પેશિયલ: આ 8 રેસિપીઝ તમારા મોંઢામાં લાવી દેશે પાણી
રમઝાનના ઉપવાસનો અંતિમ દિવસ ઇદ ઉલ-ફિત્ર મનાવવામાં આવે છે. આ તો દરેકને ખબર હશે કે મુસલમાન ભાઇ-બહેન કયા પ્રકારે ખુશીથી આ તહેવારને એકસાથે મળીને ઉજવે છે. આ ઇદમાં મુસલમાન 30 દિવસો બાદ પહેલીવાર દિવસે જમે છે. આ દિવસે દરેક ઘરમાં જાયકેદાર અને સ્વાદિષ્ટ ભોજન બનાવવામાં આવે છે. આ અવસર પર વ્યંજન પણ ઘરોમાં બનાવવામાં આવે છે, જે કદાચ આપણે સામાન્ય દિવસોમાં બનાવતા નથી.
તે લોકો જે માંસાહારી નથી પસંદ કરતા તેમના માટે ઘરમાં છોલે, પુલાવ, કુલચા વગેરે બનાવવામાં આવે છે. દિવસભર શુભેચ્છાઓ દોર ચાલતો રહે છે એટલા માટે ઇદ પર લોકો દિલથી મહેમાનોની આગતા સ્વાગતામાં લાગેલા રહે છે. આ ઇદના અવસર પર તમે અહીં આપવામાં આવેલી ઘણી નોનવેજ, વેજ અને ડેઝર્ટ્સ બનાવીને ઘરે આવનાર સગાવહાલાઓ અને મિત્રોનું દિલ જીતી શકો છો. તો મોટું કઇ વાતનું આવો જોઇએ કયા સ્વાદિષ્ટ વ્યંજનો બનાવી શકાય.
આ વખતે ઇદના અવસર પર તમારા ઘરે ઘણા મહેમાનો આવવાના છે, તો તમે આ રેસિપીઝને બનાવીને તેમનું દિલ જીતી શકો છો. આવો જાણીએ કે ઇદ પર કઇ રેસિપીઝ બનાવી શકાય.

શીર-ખુરમા
ઇદના દિવસે શીર ખુરમા એક સ્પેશય ડેઝર્ટના રૂપમાં બનાવવામાં આવે છે. શીર ખુરમા વિના જાણે દરેક ઇદ અધૂરી હોય.

ખજૂરનો હલવો
ખજૂરનો હલવો ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. ખજૂરને પહેલાં ગરમ દૂધમાં લગભગ 6 કલાક સુધી પલાળ્યા બાદ આ ખજૂરનો હલવો બનાવવામાં આવે છે.

ચિકન રેશમી કબાબ
જો તમે નોન વેજ ખાવ છો તો તમને ચિકન રેશમી કબાબ ખૂબ પસંદ પડશે. આ દહીથી મૈરીનેટ કરવામાં આવે છે એટલા માટે તેને મોંઢામાં મુકતાં જ પિગળી જાય છે.

ખજૂર ગોશ્ત
આ મટન રેસિપીનું નામ છે ખજૂર ગોશ્ત જે ખજૂર અને મટનના મિશ્રણથી બનાવવામાં આવે છે.

નલ્લી નિહારી
મટનમાંથી બનાવવામાં આવતી નલ્લી નિહારી એક એવી રેસીપી છે જે રમઝાનના સમયે મોટાભાગે મુસ્લિમ ઘરોમાં બનાવવામાં આવે છે. તેમાં જે સૌથી સ્પેશિલ હોય છે તે છે મટનની ટાંગો.

કલમી કબાબ
કલમી કબાબ ચિકન લેગ પીસને ઘણા બધા મસાલા તથા દહીમાં મૈરીનેટ કરી બનાવવામાં આવે છે. આ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ભારતમાં કલી કબાબને ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

હૈદરાબાદી શિખમપુરી કબાબ
નિજમની રસોઇથી નિકળેલ આ શિખમપુરી કબાબ પણ થોડું ઘરે બનાવીને પરિવારાવાળાઓને ખવડાવીને જુઓ, તે તમારા વખાણ કરતાં થાકશે નહી. તે શિખમપુરી કબાબ ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે, જેને બનાવવું ખૂબ જ સરળ છે.

માલાબાર ચિકન બિરયાની
ઇદ કે બકરી ઇદ હોય અને તેમાં ચિકન બિરયાની ના બનાવવામાં આવે, એવું તો બને જ નહી. ચિકન બિરયાનીમાં ખૂબ બધા મસાલાઓ હોય છે જેથી આ ડિશ સ્વાદિષ્ટ લાગે છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
