ઇદ સ્પેશિયલ: આ 8 રેસિપીઝ તમારા મોંઢામાં લાવી દેશે પાણી
રમઝાનના ઉપવાસનો અંતિમ દિવસ ઇદ ઉલ-ફિત્ર મનાવવામાં આવે છે. આ તો દરેકને ખબર હશે કે મુસલમાન ભાઇ-બહેન કયા પ્રકારે ખુશીથી આ તહેવારને એકસાથે મળીને ઉજવે છે. આ ઇદમાં મુસલમાન 30 દિવસો બાદ પહેલીવાર દિવસે જમે છે. આ દિવસે દરેક ઘરમાં જાયકેદાર અને સ્વાદિષ્ટ ભોજન બનાવવામાં આવે છે. આ અવસર પર વ્યંજન પણ ઘરોમાં બનાવવામાં આવે છે, જે કદાચ આપણે સામાન્ય દિવસોમાં બનાવતા નથી.
હોટલ છોડો, ઘરે જાતે જ બનાવો સ્વાદિષ્ટ કેપ્સિકમ પુલાવ
તે લોકો જે માંસાહારી નથી પસંદ કરતા તેમના માટે ઘરમાં છોલે, પુલાવ, કુલચા વગેરે બનાવવામાં આવે છે. દિવસભર શુભેચ્છાઓ દોર ચાલતો રહે છે એટલા માટે ઇદ પર લોકો દિલથી મહેમાનોની આગતા સ્વાગતામાં લાગેલા રહે છે. આ ઇદના અવસર પર તમે અહીં આપવામાં આવેલી ઘણી નોનવેજ, વેજ અને ડેઝર્ટ્સ બનાવીને ઘરે આવનાર સગાવહાલાઓ અને મિત્રોનું દિલ જીતી શકો છો. તો મોટું કઇ વાતનું આવો જોઇએ કયા સ્વાદિષ્ટ વ્યંજનો બનાવી શકાય.
ધાણાની ગ્રેવીમાં બનાવો સ્વાદિષ્ટ ચટાકેદાર ચિકન
આ વખતે ઇદના અવસર પર તમારા ઘરે ઘણા મહેમાનો આવવાના છે, તો તમે આ રેસિપીઝને બનાવીને તેમનું દિલ જીતી શકો છો. આવો જાણીએ કે ઇદ પર કઇ રેસિપીઝ બનાવી શકાય.
શીર-ખુરમા
ઇદના દિવસે શીર ખુરમા એક સ્પેશય ડેઝર્ટના રૂપમાં બનાવવામાં આવે છે. શીર ખુરમા વિના જાણે દરેક ઇદ અધૂરી હોય.
ખજૂરનો હલવો
ખજૂરનો હલવો ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. ખજૂરને પહેલાં ગરમ દૂધમાં લગભગ 6 કલાક સુધી પલાળ્યા બાદ આ ખજૂરનો હલવો બનાવવામાં આવે છે.
ચિકન રેશમી કબાબ
જો તમે નોન વેજ ખાવ છો તો તમને ચિકન રેશમી કબાબ ખૂબ પસંદ પડશે. આ દહીથી મૈરીનેટ કરવામાં આવે છે એટલા માટે તેને મોંઢામાં મુકતાં જ પિગળી જાય છે.
ખજૂર ગોશ્ત
આ મટન રેસિપીનું નામ છે ખજૂર ગોશ્ત જે ખજૂર અને મટનના મિશ્રણથી બનાવવામાં આવે છે.
નલ્લી નિહારી
મટનમાંથી બનાવવામાં આવતી નલ્લી નિહારી એક એવી રેસીપી છે જે રમઝાનના સમયે મોટાભાગે મુસ્લિમ ઘરોમાં બનાવવામાં આવે છે. તેમાં જે સૌથી સ્પેશિલ હોય છે તે છે મટનની ટાંગો.
કલમી કબાબ
કલમી કબાબ ચિકન લેગ પીસને ઘણા બધા મસાલા તથા દહીમાં મૈરીનેટ કરી બનાવવામાં આવે છે. આ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ભારતમાં કલી કબાબને ખૂબ જ પસંદ કરવામાં આવે છે.
હૈદરાબાદી શિખમપુરી કબાબ
નિજમની રસોઇથી નિકળેલ આ શિખમપુરી કબાબ પણ થોડું ઘરે બનાવીને પરિવારાવાળાઓને ખવડાવીને જુઓ, તે તમારા વખાણ કરતાં થાકશે નહી. તે શિખમપુરી કબાબ ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે, જેને બનાવવું ખૂબ જ સરળ છે.
માલાબાર ચિકન બિરયાની
ઇદ કે બકરી ઇદ હોય અને તેમાં ચિકન બિરયાની ના બનાવવામાં આવે, એવું તો બને જ નહી. ચિકન બિરયાનીમાં ખૂબ બધા મસાલાઓ હોય છે જેથી આ ડિશ સ્વાદિષ્ટ લાગે છે.