આપના સ્માર્ટફોનને ટ્રેક કરી શકે છે આ માલવેયર
કમ્પ્યુટર વૈજ્ઞાનિકોએ સ્માર્ટફોન સાથે જોડાયેલ તથ્યોનો ખુલાસો કરતા જણાવ્યું છે કે કેટલાક હાનિકારક સોફ્ટવેર જીપીએસનો ઉપયોગ કર્યા વગર માત્ર બેટ્રીના ઉપભોગના આધાર પર આપના ફોનને ટ્રેક કરી શકે છે. નોંધનીય છે કે જીપીએસ સાથે જોડાયેલ જાણકારીઓને સુરક્ષિત રાખવા માટે સ્માર્ટફોનમાં અનેક સુવિધાઓ હોય છે.
એટલા માટે એંડ્રોઇડ અને આઇઓએસ ઓપરેટિંગ સિસ્ટમ કોઇ અન્ય સ્માર્ટફોનના એપ દ્વારા જીપીએસ માહિતી શેર કરવા માટે ઉપયોગકર્તાની પરવાની વગર જ સુરક્ષિત રાખે છે. પ્રમુખ પ્રોદ્યોગિકી શોધ-પત્રિકા એમઆઇટી ટેકનોલોજી રીવ્યૂમાં પ્રકાશિત એક તાજી શોધથી માલૂમ પડે છે કે કેટલાંક માલવેયર આ પ્રકારની જીપીએસ સૂચનાઓ વગર પણ આપના ફોનને ટ્રેક કરી શકે છે.
શોધકર્તાઓએ ગૂગલ નેક્સસ-4 સ્માર્ટફોન પર આ પ્રયોગ કર્યો. શોધકર્તાઓએ આધાર કેન્દ્રથી 14 કિલોમીટર લાંબા ચાર માર્ગો પર 43 મોબાઇલ ફોન દ્વારા બેટ્રી ઉપભોગના આંકડાઓનું અધ્યયન કર્યું. આ આધાર પર અનુસંધાનકર્તાઓને મોબાઇલના માર્ગની ભાળ મેળવવામાં 93 ટકા સફળતા મળી.