સાત યોગ આસન, જે આપના પેટને રાખશે સંપૂર્ણ સ્વસ્થ
મોટા ભાગના લોકો એવું સમજે છે કે યોગાસન માત્ર માનસિક તણાવને જ દૂર કરી શકે છે, પરંતુ એવું નથી, યોગ કરવાથી તણાવ જ નહી પરંતુ આપણા શરીરની ઘણી બધી બિમારીઓ પણ દૂર કરે છે.
નોંધનીય બાબત એ છે કે આપણી મોટાભાગની બિમારીઓ પેટથી શરૂ થાય છે, અને જો તેને યોગ્ય સમયે ઠીક કરવામાં ના આવે તો તે ઘાતક બિમારીનું રૂપ ધારણ કરી શકે છે.
યોગશાસ્ત્રમાં પણ લખાયું છે કે યોગ એ આપણા શરીરની તમામ બિમારીઓને દૂર કરવા અને તેની પર કાબૂ મેળવવા માટે સક્ષમ અને કારગર છે. હવે તો શાળા અને કોલેજોના અભ્યાસમાં પણ બાળકોના સ્વાસ્થ્યને સશક્ત બનાવવા માટે યોગનું શિક્ષણ ફરજીયાત રાખવામાં આવે છે.
માટે આવો જાણીએ કેટલાંક એવા યોગાસનો જે આપના પાચનશક્તિને વધારે છે, તેને સુધારે છે અને સાથે સાથે વધારાની કેલેરીને પણ ઓછી કરે છે. સુઓ 7 યોગાસન જે આપના પેટને રાખે છે સ્વસ્થ.

ઉત્તાનાસન
આમ તો બધા જ આસન આપણા પાચનતંત્રને મજબૂત બનાવે છે, તેમાંનું ક છે ઉત્તાનાસન. ઉત્તાનાસનના નિયમિત અભ્યાસથી માત્ર પીઠ અને કમરનો દુ:ખાવામાં લાભ થાય છે એવું નથી પરંતુ માનસિક તણાવથી પણ રાહત મળે છે. આ આસનમાં હાથોને ઉપરની તરફ ઉઠાવીને કમરથી શરીરને વાળીને હાથને પગની પાછળ લઇ જવામાં આવે છે. આ પાચન શક્તિને સ્વસ્થ કરવા માટે અને બગલની ચરબીને પણ ઓછી કરવામાં મદદરૂપ બને છે.

હલાસન
આ આસન નિયમિતપણે કરવાથી કરોડરજ્જુમાં લચિલાપણું આવે છે, જેનાથી શરીર સ્ફૂર્તિલુ અને જવાન બની રહે છે. પેટ બહાર નથી નિકળતું, અને શરીર સુડોલ દેખાય છે. ભાવનાત્મક સંતુલન અને તણાવ દૂર કરવા માટે આ આસન લાભદાયક છે. આ આસનથી પાચન તંત્ર અને માસપેશિયોને શક્તિ મળે છે. આના અભ્યાસથી પાચન તંત્ર બરાબર રહે છે.

સર્વાંગાસન
સર્વાંગાસન, જોકે તેના નામથી જ માલૂમ પડે છે કે શરીરના સંપૂર્ણ અંગોને ઉપર તરફ રાખવાની સ્થિતિને સર્વાંગાસન કહે છે. આ આસન ગળાની ગ્રંથિઓને અસર પહોંચાડીને વજન ઓછો કરવામાં સહાયક બને છે તથા આંખો અને મસ્તિષ્કને શક્તિ પૂરી પાડે છે. આ આસન પાચન ક્રિયા શુદ્ધ કરે છે તથા શરીરમાં લોહીનો વધારો કરી લોહી બનાવવાનું કાર્ય પણ કરે છે.

સેતુબંધ આસન
સેતુબંધ આસન રીઢની તમામ કોશિકાઓ પોતાના સ્થાન પર સ્થાપિત કરવામાં સહાયક છે. આ આસન કમરના દુ:ખાવાને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. પેટના તમામ અંગો જેમકે લીવર, પેનક્રિયાઝ અને આંતરડામાં ખેંચાવ આવે છે. કબજીયાતની સમસ્યા દૂર થાય છે.

ધનુરાસન
આ આસનમાં શરીરનો દેખાવ ખેંચાયેલા ધનુસ જેવું દેખાય છે, માટે તેને ધનુરાસન કહેવામાં આવે છે. આના દ્વારા તમામ આંતરિક અંગો, માંસપેશિઓ અને ઘુંટણનું વ્યાયામ થઇ જાય છે. ગળાના રોગોને પણ દૂર કરી શકાય છે. પાચનશક્તિમાં વધારો થાય છે. સર્વાઇકલ સ્પાંડિલાઇટિસ, કમરનો દુ:ખાવો અને પેટ સંબંધીત સમસ્યાઓમાં પણ આ આસન લાભકારી છે.

નૌકાસન
નોકાસન એટલે કે નાવડીના આકારનું આસન. પીઠ અને મેરુદંડને લચીલું અને મજબૂત બનાવવા માટે નૌકાસન લાભદાયક છે. આ આસન ધ્યાન અને આત્મબળને વધારવામાં મદદરૂપ થાય છે. ખભા અને કમરના દુખાવા માટે પણ આ આસન ફળદાયી છે. શરીરને સુડૌલ બનાવી રાખવા માટે આ આસન નિયમિત કરવું જોઇએ.

ઉત્કટાસન
ઉત્કટાસનમાં શરીરનો સંપૂર્ણ ભાર પંજા પર હોય છે, અને શરીર કેટલેંક અંશે ઉપર ઉઠેલો રહે છે. તસવીરમાં જોઇ શકાય છે તેમ આખા ઊભેલા પણ નહીં, અને આખા બેઠેલા પણ નહીં. આ આસનના અભ્યાસથી કમર અને અન્ય જોઇન્ટના દુ:ખાવાઓ ઠીક હોય છે. આનાથી પગના પંજા અને આંગળીઓમાં મજબૂતી આપે છે.
-
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા










Click it and Unblock the Notifications
